SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ s1 શતક-૨, ઉસો-૧૦ તે કદાપિ ન હતો એમ નથી, કદાપિ નથી એમ નથી અને ભાવતુ તે નિત્ય છે. ભાવથી રંગ વિનાનો, ગંધ વિનાનો, રસ વિનાનો અને સ્પર્શ વિનાનો છે. ગુણથી તે ગતિગુણવાળો છે. એ પ્રમાણે અધમસ્તિકાય સંબંધી પણ સમજવું. વિશેષ એ કે, તે ગુણથી સ્થિતિગુણવાળો છે. આકાશાસ્તિકાય સંબંધે પણ એજ પ્રકારે જણવું. વિશેષ એ કે- તે આકાશાસ્તિકાય ક્ષેત્રથી લોકાલોક પ્રમાણ છે, અનંત છે અને ભાવતું ગુણથી તે અવગાહના ગુણવાળો છે. હે ભગવન્! જીવાસ્તિકાયમાં કેટલા રંગ છે, કેટલા ગંધ છે, કેટલા રસ છે અને કેટલા સ્પર્શ છે? હે ગૌતમ! તે રંગ વિનાનો છે અને યાવતુ-અરૂપી છે, તે જીવ છે, શાશ્વત છે, અને અવસ્થિત લોકદ્રવ્ય છે. તેના પાંચ પ્રકાર કહ્યા છે - દ્રવ્યથી જીવાસ્તિકાય અને યાવતુ- ગુણથી જીવાસ્તિકાય. જીવાતિકાય અનંત જીવદ્રવ્યરૂપ છે, ક્ષેત્રથી માત્ર લોકપ્રમાણ છે, કાળથી તે કદાપિ ન હતો નહીં યાવતું, એમ તે નિત્ય છે, વળી ભાવથી તે જીવાસ્તિકાય રંગ વિનાનો, ગંધ વિનાનો, રસ વિનાનો, અને સ્પર્શ વિનાનો છે તથા ગુણથી તે ઉપયોગગુણવાળો છે. પુદ્ગલાસ્તિકાયમાં કેટલા રંગ છે, કેટલા ગંધ છે, કેટલા રસ છે અને કેટલા સ્પર્શ છે ? હે ગૌમત ! પુદ્ગલાસ્તિકામાં પાંચ રંગ, પાંચ રસ, બે ગંધ અને આઠ સ્પર્શ છે. તે રૂપવાળો છે, અજીવ છે, શાશ્વત છે અને અવસ્થિત લોકદ્રવ્ય છે. તેના પાંચ પ્રકાર છે - દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી અને ગુણથી. દ્રવ્યથી પુદ્ગલાસ્તિકાય અનંત દ્રવ્યરૂપ છે, ક્ષેત્રથી તે માત્ર લોક જેવડો છે, કાળથી તે કદાપિ ન હતો એમ નથી અને યાવતુનનિત્ય છે, ભાવથી તે રંગવાળો, ગંધવાળો, રસવાળો અને સ્પર્શવાળો છે તથા ગુણથી તે ગ્રહણગુણવાળો છે. [143] હે ભગવન્! ધમસ્તિકાયનો એક પ્રદેશ તે “ધમસ્તિકાય’ કહેવાય? હે ગૌતમ ! તે અર્થ સમર્થ નથી. એજ રીતે બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દશ પ્રદેશ. સંખેય અને અસંખ્ય પ્રદેશો પણ ધમસ્તિકાય; એમ ન કહેવાય. હે ભગવન્! ધમસ્તિકાયના પ્રદેશો એ “ધમસ્તિકાય' એ પ્રમાણે કહેવાય ? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! તેમ કહેવાનું શું કારણ કે, “ધમસ્તિકાય'નો એક પ્રદેશ અને યાવતુ જ્યાં સુધી એક પ્રદેશ ઉણો હોય ત્યાંસુધી ધમસ્તિકાય ન કહેવાય. હે ગૌતમ ! ચક્રનો ભાગ તે ચક્ર કહેવાય કે આખું ચક્ર તે ચક્ર કહેવાય? હે ભગવન્! ચક્રનો એક ભાગ તે ચક્ર ન કહેવાય. પણ તેનો આખો ભાગ ચક્ર કહેવાય. એ પ્રમાણે છત્ર, ચર્મ, દંડ, વસ્ત્રાદિ સંબંધે જાણવું હે ગૌતમ ! તે કારણથી એમ કહ્યું છે કે, ધમસ્તિકાયનો એક પ્રદેશ અને યાવતુ જ્યાં સુધી એક પ્રદેશ ઉણો હોય ત્યાંસુધી ધમસ્તિકાય ન કહેવાય. હે ભગવન્! ત્યારે “ધમસ્તિકાય’ એ પ્રમાણે શું કહેવાય ? હે ગૌતમ ! ધમસ્તિકમાં અસંખ્ય પ્રદેશ છે, જ્યારે તે બધા, કન્ઝ-પૂરેપૂરા, પ્રતીપૂર્ણ, એક પણ બાકી ન રહે એવા અને એક શબ્દથી જ કહી શકાય તેવા હોય ત્યારે તે ધમસ્તિકાય એમ કહેવાય. એ પ્રમાણે અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પગલાસ્તિકાય વિષે એ પ્રમાણેજ જાણવું. વિશેષ એ કે, ત્રણ દ્રવ્યના-આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાયના- અનંત પ્રદેશો જાણવા. બાકી બધું તેજ પ્રમાણે સમજવું. [144] હે ભગવન્! ‘ઉત્થાનવાળો, કર્મવાળો, બળવાળો, વીર્યવાળો, અને પુરુપાકાર પરાક્રમવાળો જીવ આત્મભાવવડે જીવભાવને દેખાડે’ એમ કહેવાય ? હે ગૌતમ! હા, તેવા પ્રકારનો જીવ યાવતુ-તે જીવભાવને દેખાડે' એમ કહેવાય. હે ગૌતમ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy