SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ 524 ભગવઇ-૪૦૨ થી 25-1067 આવી ઉત્પન્ન થાય છે? હે ગૌતમ! જેમ એઓનું ઔધિક શતક કહ્યું છે તેમ કૃષ્ણલેશ્યા શતક પણ કહેવું. વિશેષ એ કે- તે જીવો કૃષ્ણલેશ્યાવાળા છે તેઓની સ્થિતિ કાળ અને સ્થિતિ સંબંધે જેમ કુષણલેશ્યાશતકમાં કહ્યું છે તેમ કહેવું, અને બાકી બધું તેમજ જાણવું. એ પ્રમાણે જેમ કૃષ્ણલેશ્યા સંબંધે શતક કહ્યું છે તેમ છએ વેશ્યા સંબંધે છ શતકો કહેવાં. વિશેષ એ કે, ઓધિક શતકમાં જણાવ્યા પ્રમાણે સ્થિતિકાળ અને સ્થિતિ જાણવી. તેમાં વિશેષ એ કે, શુક્લલશ્યાનો ઉત્કૃષ્ટ સ્થિતિકાળ. અન્તર્મુહૂત અધિક એકત્રીશ સાગરોપમ હોય છે અને સ્થિતિ પૂર્વોક્ત જ જાણવી. પણ જઘન્ય અંતર્મુહૂર્ત અધિક ન કહેવું. બધે સમ્યજ્ઞાન નથી, વિરતિ, વિરતાવિરતિ અને અનુત્તર વિમાનથી આવીને ઉપજવું તે પણ નથી. બધા જીવો પૂર્વે અહીં ઉત્પન્ન થયા છે એ અર્થ સમર્થ નથી' શતક:૪૦-ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ શતક:૪૧ - ઉદેશકઃ[૧૦૬૮હે ભગવન્! કેટલાં રાશિયુગ્મો કહ્યાં છે ? હે ગૌતમ ! ચાર કૃતયુગ્મ અને યાવતુ-કલ્યો. હે ગૌતમ ! જે રાશિમાંથી ચાર ચાર સંખ્યાનો અપહાર કરતાં છેવટે ચાર બાકી રહે તે રાશિયુગ્મ કૃતયુગ્મ કહેવાય છે, અને યાવતુ-જે રાશિમાંથી ચાર ચાર સંખ્યાનો અપહાર કરતાં છેવટે એક બાકી રહે તે રશિયુગ્મ કલ્યોજ કહેવાય છે. કતયુગ્મરાશિપ્રમાણ નૈરયિકો માટે જેમ વ્યુત્ક્રાંતિપદમાં ઉપપાત કહ્યો છે તેમ અહીં પણ કહેવો. તે જીવો એક સમયે યાર, આઠ, બાર, સોળ, સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. હે ગૌતમ ! તેઓ સાંતર ઉત્પન્ન થાય છે અને નિરંતર પણ ઉત્પન્ન થાય છે. સાંતર ઉત્પન્ન થતા તેઓ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્ય સમયનું અંતર કરીને ઉત્પન્ન થાય છે, અને નિરંતર ઉત્પન્ન થતા જઘન્ય બે સમય સુધી અને ઉત્કૃષ્ટ સંખ્યાતા સમય સુધી નિરંતર ઉત્પન્ન થાય છે. હે ભગવન્! તે જીવો જે સમયે કૃતયુગ્મરાશિપ હોય તે સમયે ચ્યો જ્યરાણિરુપ હોય અને જે સમયે ચ્યો જ્યરાશિપ હોય તે સમયે કૃતયુગ્મ રાશિપ હોય? હે ગૌતમ! તે અર્થ સમર્થ-નથી. જે સમયે કૃતયુગ્મરુપ હોય તે સમયે દ્વાપરયુગ્મરુપ હોય અને જે દ્વાપરયુગ્મ હોય તે સમયે કૃતયુગ્મરુપે હોય? એ અર્થ સમર્થ નથી. જે સમયે કૃતયુગ્મરાશિપ હોય તે સમયે કલ્યોજરાશિપ હોય અને જે સમયે કલ્યોદરુપ હોય તે સમયે કૃતયુગ્મરાશિપ હોય? એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! તે જીવો કેવી રીતે ઉત્પન્ન થાય છે? હે ગૌતમ! જેમ કોઈ એક યુવક હોય અને તે જેમ કૂદતો કૂદતો પોતાને સ્થાનકે જાય છેઈત્યાદિ જેમ ઉપપાતશતકમાં કહ્યું છે તેમ બધું અહીં સમજવું. તેઓ આત્માના અસંયમથી ઉત્પન્ન થાય છે. હે ગૌતમ ! તેઓ આત્મસંય-મનો આશ્રય કરતા નથી પણ આત્માના અસંયમનો આશ્રય કરે છે. જો તેઓ આત્માના અસંયમનો આશ્રય કરે છે તો શું લેશ્યાવાળા છે કે વેશ્યા રહિત છે? હે ગૌતમ ! તેઓ વેશ્યાવાળા છે, પણ લેશ્યારહિત નથી. તેઓ વેશ્યાવાળા છે અને ક્રિયાવાળા છે, જો તેઓ ક્રિયાવાળા છે તો શું તેઓ તેજ ભવમાં સિદ્ધ થાય છે, વાવતુકર્મનો અંત કરે ? હે ગૌતમ ! તે અર્થ સમર્થ નથી. હે ભગવન!કતયુગ્મરાશિ પ્રમાણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy