SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૪૧, ઉદેસી-૧ 525 અસુરકુમારો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે? હે ગૌતમ ! જેમ નૈરયિકો સંબંધે કહ્યું તેમ અસુરકુમારો સંબંધે પણ બધું જાણવું. એ રીતે યાવતુ-પંચેન્દ્રિય તિર્યંચયોનિકો સુધી સમજવું. પણ વિશેષ એ કે, વનસ્પતિકાયિકો અસંખ્યા- તા કે અનંતા ઉત્પન્ન થાય છે. એ રીતે મનુષ્યો સંબંધે પણ સમજવું. વાવતુ- આત્માના અસંયમથી ઉત્પન્ન થાય છે. જે તેઓ આત્માના અસંયમથી ઉત્પન્ન થાય તે! આત્મસંયમનો પણ આશ્રય કરે છે અને આત્માના અસંયમનો પણ આશ્રય કરે છે. હે ભગવન! જે તેઓ આત્મસંયમનો આશ્રય કરે છે તેઓ વેશ્યા સહિત છે અને લેશ્વારહિત પણ છે. ગૌતમ! ક્રિયારહિત છે. હે ગૌતમ! તેઓ સિદ્ધ થાય છે યાવતુ-સર્વ દુઃખનો અંત કરે છે. હે ભગવન્! જો તેઓ વેશ્યાવાળા છે તો શું તેઓ સક્રિય છે કે અક્રિય છે? હે ગૌતમ! તેઓ સક્રિય છે હે ગૌતમ! કેટલાંક તેજ ભવમાં સિદ્ધ થાય છે, પાવતુ-સર્વ દુઃખનો અંત કરે છે અને કેટલાક તે ભવમાં સિદ્ધ થતા નથી અને વાવતુ-સર્વ દુઃખનો અંત કરતાં નથી. જો તેઓ આત્માના અસંયમનો આશ્રય કરે છે તો શું તેઓ વેશ્યાહિત છે કે વેશ્યારહિત છે? હે ગૌતમ ! તેઓ વેશ્યા સહિત છે, પણ લેશ્યારહિત નથી. હે ગૌતમ! તેઓ સક્રિય છે. તેઓ સક્રિય છે તો શું તેજ ભવમાં સિદ્ધ થાય છે, યાવતુર્વદુઃખનો અંત કરે છે ? હે ગૌતમ ! તે અર્થ સમર્થ નથી. વાનવ્યંતરો, જ્યોતિષિકો અને વૈમાનિકોએ બધા નૈરયિકોની પેઠે જાણવા છે. (શતક:૪૧ ઉદેશકાર થી 28) [૧૦૬૯]હે ભગવન્! રાશિયુગ્મમાં ચોરાશિપ્રમાણ નૈરયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે? હે ગૌતમ! પૂર્વની પેઠે આ સંબંધે ઉદેશક કહેવો. વિશેષ એ કે પરિમાણત્રણ, સાત, અગિયાર, પંદર, સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. સાંતર સબંધ તેમજ જાણવું. હે ભગવન્! તે જીવો જે સમયે જરાશિપ્રમાણ છે તે સમયે કૃતયુગ્મપ્રમાણ છે કે જે સમયે કૃતયુગ્મ છે તે સમયે શ્રોજપ્રમાણ છે? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! તે જીવો જે સમયે જરાશિપ્રમાણ છે તે સમયે દ્વાપરયુગ્મપ્રમાણ છે અને જે દ્વાપરયુગ્મરાશિ પ્રમાણ છે તે સમયે ત્યાંજરાશિપ્રમાણ છે? હે ગૌતમ ! તે અર્થ સમર્થ નથી. એ રીતે કલ્યોજ રાશિની સાથે પણ સમજવું. અને બાકી બધું વૈમાનિકો. સુધી તેમજ જાણવું. પરન્તુ બધાઓનો ઉપપાત વ્યુત્ક્રાંતિપદમાં કહ્યા પ્રમાણે જાણવો. [૧૦૭૦]હે ભગવન્ ! રાશિયુગ્મમાં દ્વાપરયુગ્મરાશિપ્રમાણ નરયિકો ક્યાંથી ઉત્પન્ન થાય છે ? હે ગૌતમ ! પૂર્વની પેઠે ઉદ્દેશક કહેવો. પણ પરિમાણ-બે, છ, દસ, સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થાય છે અને સંવેધ પણ કહેવો. હે ભગવન્! તે જીવો જે સમયે દ્વાપરયુગ્મ છે તે સમયે કૃતયુગ્મ છે, કે જે સમયે કૃતયુગ્મ છે તે સમયે દ્વાપરયુગ્મ છે? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. એ રીતે ચોરાશિ અને કલ્યોનરાશિ સાથે પણ સમજવું. બાકી બધું પ્રથમોદ્દેશકની પેઠે યાવતુ-વૈમાનિકો સુધી સમજવું. 1071 હે ભગવનું ! રાશિયુગ્મમાં કલ્યોજપ્રમાણ નૈરયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે? પૂર્વ પ્રમાણે જાણવું. પરતુ પરિમાણ એક, પાંચ, નવ, તેર, સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. સંવેધ પૂર્વની પેઠે જાણવો. હે ભગવન્! તે જીવો જે સમયે કલ્પોજરાશિપ્રમાણે છે તે સમયે કૃતયુગ્મરાશિપ્રમાણ છે અને જે સમયે કૃતયુગ્મરાશિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy