SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૨, ઉદેસી-૧ 47 પ્રશ્નોથી મુંઝાઈને તું મારી પાસે શીદ આવ્યો છું. હે અંદક! કેમ એ સાચી વાત છે? હા, તે સાચી વાત છે. વળી હે ર્હદક ! તારા મનમાં જે આ પ્રકારનો સંકલ્પ થયો હતો કે, “શું લોક અંતવાળી છે? કે અંત વિનાનો છે? તેનો પણ આ અર્થ છે - મેં લોકને ચાર પ્રકારનો જણાવ્યો છે. તે આ પ્રમાણે - દ્રવ્યથી -- દ્રવ્યલોક, ક્ષેત્રથી-ક્ષેત્રલોક, કાળથી-કાળલોક અને ભાવથી-ભાવલોક. તેમાં જે દ્રવ્યલોક છે તે એક છે અને અંતવાળો છે જે ક્ષેત્રલોક છે તે અસંખ્ય કોડાકોડી યોજન સુધી લંબાઈ પહોળાઈવાળો છે, તથા તેની પરિધિ અસંખ્ય યોજન કોડાકોડીનો કહ્યો છે અને વળી તેનો અંત છે. તથા જે કાળલોક છે તે કોઈ દિવસ ન હર્તા એમ નથી અને કોઈ દિવસ નથી એમ પણ નથી. તે હંમેશ હતો, હંમેશ હોય છે અને હંમેશાં રહેશે, તે ધ્રુવ, નિયત, શાશ્વત, અક્ષત, અવ્યય, અવસ્થિત અને નિત્ય છે, વળી તેનો અંત નથી. તથ જે ભાવલોક છે તે અનંત વણપર્યવરૂપ છે, અનંત ગંધ, રસ અને સ્પર્શપર્યવરૂપ છે, અનંત સંસ્થાન પર્યવરૂપ છે અનંત ગુરુલઘુ પર્યવરૂપ છે તથા અનંત અગુરુલઘુ પર્યવરૂપ છે. વળી તે અંત નથી. તો હે સકંદ તે પ્રમાણે દ્રવ્યલોક અને અંતવાળો છે, ક્ષેત્રલોક અંતવાળે છે, કાળલોક અંત વિનાનો છે. અને ભાવલોક અંત વિનાનો છે. લોક અંતવાળો છે અને અંતવિનાનો પણ છે. વળી હે áદક ! તને જે આ વિકલ્પ થયો હતો કે, શું જીવ સંતવાળો છે. કે અંત વિનાનો છે? તેનો પણ આ ખુલાસો છે. યાવતુ-દ્રવ્યથી જીવ એક છે અને અંતવાળો છે, ક્ષેત્રથી જીવ અસંખ્ય પ્રદેશવાળો છે અને અસંખ્ય પ્રદેશમાં અવગાઢ છે, તથા તેનો અંત પણ છે. કાળથ જીવ કોઈ દિવસ ન હતો, એમ નથી, વાવતુ-નિત્ય છે અને તેનો અંત નથી, ભાવથી જીવ અનંત. જ્ઞાન પયયરૂપ છે, અનંતદશનિ પરિરૂપ છે, અનંત અગુરુલઘુ પાયિરૂપ છે અને તેનો છેડો નથી. તો હે જીંદક ! એ પ્રમાણે દ્રવ્યજીવ અંતવાળો છે, ક્ષેત્રજીવ અંતવાળો છે, કાળજીવ અંત વિનાનો છે, તથા ભાવજીવ અંત વિનાનો છે, વળી હે સ્કંદ ! તને જે આ વિકલ્પ થયો હતો કે. સિદ્ધિ અંતવાળી છે કે અંત વિનાની છે? તેનો પણ આ ઉત્તર છે-હે કુંદક! સિદ્ધિ ચાર પ્રકારની કહી છે, તે આ પ્રમાણે-દ્રવ્યથી સિદ્ધિ એક છે અને અંતવાળી છે, ક્ષેત્રથી સિદ્ધિની લંબાઈ પહોળાઈ પીસ્તાલીશ લાખ યોજનની છે. અને તેની પરિધી એક ક્રોડ, બેંતાલીસ લાખ, ત્રીસ હજાર, બસોને ઓગણપચાસ યોજન કરતાં કાંઇક વિશેષાધિક છે. તથા તેનો અંત પણ છે. કાળથી સિદ્ધિ કઈ દિવસ ન હતી એમ નથી, કોઈ દિવસ નથી એમ નથી. અને કોઈ દિવસ તે નહીં હશે એવું પણ નથી. તથા ભાવથી સિદ્ધિ ભાવલોકની પેઠે કહેવી. તેમાં દ્રવ્યસિદ્ધિ અને ક્ષેત્રસિદ્ધિ અંતવાળી છે, તથા કાળસિદ્ધિ અને ભાવસિદ્ધિ અંત વિનાની છે- સિદ્ધિ અંતવાળી પણ છે અને અંત વિનાની પણ છે. વળી હે કુંદક! તને જે આ સંકલ્પ થયો હતો કે, સિદ્ધો અંતવાળા છે કે અંત વિનાના છે ? તેનો પણ આ ઉત્તર છે :- અહીં બધું આગળની પેઠે કહેવું. વાવતુદ્રવ્યથી સિદ્ધ એક છે અને અંતવાળા છે, ક્ષેત્રથી સિદ્ધ અસંખ્ય પ્રદેશવાળા છે અને અસંખ્ય પ્રદેશમાં અવગાઢ છે, તથા તેનો અંત પણ છે. કાળથી સિદ્ધ આદિવાળા છે અને અંત વિનાના છે તેનો અંત નથી ભાવથી સિદ્ધ અનંત જ્ઞાનપયિરૂપ છે, અનંત, દર્શનપર્યાયરૂપ છે, યાવતું-અનંત અગુરુલઘુ પર્યવરૂપ છે અને તેનો અંત નથી અથતુ દ્રવ્યથી અને ક્ષેત્રથી સિદ્ધ અંતવાળા છે તથા કાળથી અને ભાવથી સિદ્ધ અનંત અંત વિનાના છે. સિદ્ધો અંતવાળા પણ છે અને અંત વિનાના પણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy