SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવઈ - 21/112 પ્રમાણેની વાત કહેતા હતા તેવામાં જ તે કાત્યાયનગોત્રીય સ્કંદપરિવ્રાજક તે ઠેકાણે શ્રીમહાવીર પાસે તુરંત આવ્યા. પછી ભગવન ગૌતમ કાત્યાયનગોત્રીય અંદક પરિવ્રાજકને પાસે આવેલા જાણીને, તુરતજ આસનથી ઉભા થઈને તે પરિવ્રાજકની સામે ગયા. અને જ્યાં કાત્યાયનગોત્રીય સ્કંદ પરિવ્રાજક હતા ત્યાં આવ્યા. તથા ત્યાં આવીને શ્રી ગૌતમે કાત્યાયનગોત્રીય સ્વંદક પરિવ્રાજકને આ પ્રમાણે કહ્યું કે- હે જીંદક! તમને સ્વાગત છે, હે કુંદક તમને સુસ્વાગત છે, હું સ્કંદ ! તમને અન્વાગત છે, હે સ્કંદક ! તમને સ્વાગત અન્વાગત. છે, પછી ગૌતમે તે કંઇકને આ પ્રમાણે કહ્યું કે - “હે આંદક! શ્રાવસ્તી નગરીમાં વૈશાલિક શ્રાવક પિંગલક નામના નિર્મથે તમને આ પ્રમાણે આક્ષેપપૂર્વક પૂછ્યું હતું કે, હે માગધ ! લોક અંતવાળો છે કે અંત વિનાનો છે? ઇત્યાદિ બધું પૂર્વની પેઠે કહેવું. વાવતુ તેના પ્રશ્નોથી મુંઝાઈ તમો અહીં શીધ્ર આવ્યા.' હે કુંદક એ કહો, એ વાત સાચી કે કેમ? હા, એ વાત સાચી છે. પછી કાત્યાયનગોત્રીય તે સ્કંદક પરિવ્રાજકે ગૌતમને આ પ્રમાણે કહ્યું કે - હે ગૌતમ ! હે ગૌતમ! એ તેવા પ્રકારના જ્ઞાની અને તપસ્વી પુરુષ કોણ છે, કે જેઓએ મારી ગુપ્તવાત તમને શીધ્ર કહી દીધી ! જેથી તમે મારી ગુપ્ત વાતને જાણો છો. ત્યારપછી ભગવાનું ગૌતમે કાત્યાયનગોત્રીય સ્કંદ પરિવ્રાજકને આ પ્રમાણે કહ્યું - હે સ્કંદ ! મારા ધર્મગુર, ધર્મોપદેશક શ્રમણ ભગવંત મહાવીર ઉત્પન્ન જ્ઞાન દર્શનના ધારક છે અહત છે, જિન છે, કેવળી છે, ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળના જાણકારી છે. તથા સર્વજ્ઞ અને સર્વદર્શી છે, જેણે મને તમારી ગુપ્ત વાત શીધ્ર કહી દીધી છે અને સ્કંદ ! જેથી હું તેને જાણું છું. પછી કાત્યાયનેગોત્રીય અંદક પરિવ્રાજકે ભગવાનું ગૌતમને આ પ્રમાણે કહ્યું કે - હે ગૌતમ ! તારા ધર્માચાર્ય ધર્મોપદેશક, શ્રમણ ભગવંત મહાવીર પાસે જઈએ અને તેઓને વંદન કરીએ. નમન કરીએ યાવતુ તેની પર્યાપાસના કરીએ. હે દેવાનુપ્રિય ! જેમ તમને ઠીક લાગે તેમ કરો. વિલંબ ન કરો. પછી ગૌતમે તે કાત્યાયન- ગોત્રીય સ્વંદક પરિવ્રાજક સાથે જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજ્યા છે ત્યાં જવાનો સંકલ્પ કર્યો. તે કાલે તે સમયે શ્રમણ ભગવંત મહાવીર વ્યાવૃત્તભોજી હતા. તે વ્યાવૃત્તભોજી શ્રમણ ભગવંત મહાવીરનું શરીર ઉદાર, શણગારેલા જેવું, કલ્યાણરૂપ, શિવરૂપ, ધન્ય મંગલરૂપ, અલંકારો વિના શોભતું હતું. સારાં લક્ષણો વ્યંજનો અને ગુણોથી યુક્ત એવું શરીર અત્યંત શોભતું હતું. પછી તે કાત્યાયનગોત્રીય સ્કંદપરિવ્રાજક, વ્યાવૃત્તભોજી શ્રમણ ભગવંત મહાવીરનું પૂર્વ પ્રકારનું ઉદાર યાવતુ અત્યંત શોભાયમાન શરીર જોઈ હર્ષ પામ્યો, સંતોષ પામ્યો, આનંદયુક્ત ચિત્તવાળો થયો, પ્રીતિયુક્ત મનવાળો થયો, પરમ સૌમનસ્યને પામ્યો તથા હર્ષે કરીને પ્રફુલ્લ દ્ધયવાળો થઈ જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બીરાજ્યા છે તે તરફ જઈ, શ્રમણ ભગવંત મહાવીરને ત્રણવાર પ્રદક્ષિણા કરી તેઓની પર્થપાસના કરે છે. પછી “હે સ્કંદક' ! એમ કહી શ્રમણ ભગવંત મહાવીરે કાત્યાયનગોત્રીય સ્કંદક પરિવ્રાજકને આ પ્રમાણે કહ્યું કે - હે ઠંદક! શ્રાવસ્તી નગરીમાં રહેતા વૈશાલિક શ્રાવક પિંગલક નામના નિગ્રંથે તને આ પ્રમાણે આક્ષેપપૂર્વક પૂછ્યું હતું કે હે માગધ ! શું લોક અંતવાળી છે કે અંત વિનાનો છે? એ બધું આગળ કહ્યા પ્રમાણે જાણી લેવું યાવતુ તેના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy