SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૨, ઉદેસો-૧ 45 વૈશાલિક શ્રાવક પિંગલક સાધુને કાંઈપણ ઉત્તર આપી શક્યો નહિ. અને ચુપચુપ બેઠો. તે વખતે વૈશાલિક શ્રાવક પિંગલક સાધુએ કાત્યાયન ગોત્રના સ્કંદ પરિવ્રાજકને બે ત્રણવાર પણ પૂર્વ પ્રમાણે આક્ષેપ પૂર્વક પૂછ્યું હે માગધ ! શું લોક અંતવાળો છે ? થાવતુ-જીવ કેવી રીતે મરે તો તેનો સંસાર વધે અને ઘટે? તું મારા એ પ્રશ્નોનો ઉત્તર આપ? જ્યારે ફરીને પણ તે વૈશાલિક પિંગલ નિર્ગથે તે સ્કંદમ તાપસને પૂર્વ પ્રમાણે કહ્યું ત્યારે પણ તે સ્કંદ તાપસ શંકાવાળો થયો, કાંક્ષાવાળો થયો, યાવતું ક્લેશને પ્રાપ્ત થયો. પરંતુ કાંઈ જવાબ આપી શક્યો નહિ અને ચુપચાપ બેઠી. તે વખતે શ્રાવસ્તી નગરીમાં ત્રણ ખૂણાવાળા માર્ગમાં, મનુષ્યોની ગડદીવાળા માર્ગમાં, ચાલતી વખતે બ્હરૂપે ગોઠવાએલ મનુષ્યોવાળા સભા માર્ગમાં નીકળે છે. ત્યાં અનેક મનુષ્યોના મુખથી શ્રીમહાવીરપ્રભુ આવ્યાની વાત સાંભળી કાત્યાથનગોત્રી સ્કંદક તાપસના મનમાં પોતાના વિષે સ્મરણરૂપ અને અભિલાષરૂપ આ પ્રકારનો વિચાર થયો કે, શ્રમણ ભગવંત મહાવીર કૃતંગલા નગરીની બહાર છત્રપલાસક નામના ચૈત્યમાં સંયમ અને તપવડે આત્માને ભાવતા વિહરે છે. માટે હું તેની પાસે જાઉં, શ્રમણ ભગવંત મહાવીરને વાં, નમસ્કાર કરે અને શ્રમણ ભગવંત મહાવીરને વાદીને નમીને, તેઓનો સત્કાર કરીને તથા તેઓને સન્માન આપીને અને કલ્યાણરૂપ, મંગલરૂપ, દેવરૂપ, અને ચૈત્યરૂપ શ્રી મહાવીરની પપાસના કરીને આ એ પ્રકારના અર્થોને, હેતુઓને પ્રશ્નોને કારણોને, વ્યાકરણને પૂછું તો મારું કલ્યાણ છે. એ નક્કી છે. એ પૂર્વ પ્રમાણે સ્કંદક તાપસે વિચારીને જ્યાં પરિવ્રાજકોનો મઠ છે ત્યાં જઈને ત્યાંથી ત્રિદંડ, કુંડી, રુદ્રાક્ષની માળા, કરોટિક માટીનું વાસણ, બેસવાનું આસન, વાસણ લૂછવાનો કપડાનો ટુકડો. ત્રિગડી, અંકુશક, વીંટી, ગણેત્રિકા, છત્ર, પગરખાં, પાવડી, ભગવા રંગેલા વસ્ત્રોને લઈને નીકળે છે. નીકળી ત્રિદંડ, કુંડી, યાવતું વીંટી, ઘરેણું, એ બધી વસ્તુઓને, હાથમાં રાખી, છત્ર ઓઢી, પગરખાં પહેરી, તથા ભગવાં વસ્ત્રોને શરીર ઉપર પહેરી તે કંડક તાપસ શ્રાવસ્તી નગરીના મધ્યભાગમાંથી નીકળે છે. નીકળી જે તરફ કૃદંગલા નગરી છે, જે તરફ છત્રપલાશક ચૈત્ય છે, અને જે તરફ શ્રમણ ભગવંત મહાવીર છે તે તરફ જવાનો તે તાપસે સંકલ્પ કર્યો. હે ગૌતમ! એ પ્રમાણે આમંત્રી શ્રમણ ભગવંત મહાવીરે ભગવન્! ગૌતમને આ પ્રમાણે કહ્યું કે - હે ગૌતમ! તેને ક્યારે, કેવી રીતે અને કેટલા સમયે જોઇશ? હે ગૌતમ! તે કાળે તે સમયે શ્રાવતી નામની નગરી હતી. ત્યાં શ્રાવતી નગરીમાં ગદંભાલ નામના તાપસના, કાત્યાયનગોત્રીય શિષ્ય સ્કંદ નામે પરિવ્રાજક રહેતા હતા. તે સંબંધીની બધી હકીકત આગળ કહ્યા પ્રમાણે જાણવી. યાવતુ-તે સ્કંદક પરિવ્રાજકે જે તરફ હું છું તે તરફ મારી પાસે આવવાને સંકલ્પ કર્યો છે. અને તે સ્કંદક પરિવ્રાજક લગભગ પાસે પહોંચવા આવ્યા છે. ઘણો માર્ગ ઓળંગી ગયા છે, માર્ગ ઉપર છે, વચગાળાના માર્ગે છે. અને હે ગૌતમ! તે ખૂંદક પરિવ્રાજકને તું આજેજ જઈશ. પછી હે ભગવન્! એમ કહી ભગવન ગૌતમે શ્રમણ ભગવંત મહાવીરને વાંદી, નમી, આ પ્રમાણે કહ્યું કે - હે ભગવન્! તે કાત્યાયનગોત્રીય સ્વંદક પરિવ્રાજક આપ દેવાનુપ્રિયની પાસે મુંડ થઈને અગારપણે તજીને અણગારપણું લેવાને શક્તિ છે ? હે ગૌતમ ! હા, તે કંડક પરિવ્રાજક મારી પાસે અનગાર થવા શક્તિ છે. જ્યારે શ્રમણભગવંતમહાવીર, ગૌતમને પૂર્વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy