SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ 48 ભગવાઈ - 2-1/112 વળી હે જીંદક ! તને જે આ સંકલ્પ થયો હતો કે, જીવ કેવી રીતે મરે તો તેનો સંસાર વધે અને ઘટે? તેનો ઉત્તર આ રીતે છે - હે સ્કંદક! મેં મરણના બે પ્રકાર જણાવ્યા છે તે આ પ્રમાણે :- એક બાલમરણ અને બીજું પંડિતમરણ. બાલમરણ એ શું ? બાલમરણના બાર ભેદ કહ્યા છે તે આ પ્રમાણે - બલમ્મરણ (તરફડતા મરવું) વશર્તમરણ શસ્ત્રાદિકના લાગવાથી) તદ્દભવમરણ (મરી ગયા બાદ પુનસ્તેજ ગતિમાં આવવું) પહાડથી પડીને મરવું, ઝાડથી પડીને મરવું, પાણીમાં ડૂબીને મરવું, અગ્નિમાં પેસીને મરવું, ઝેર ખાઈને મરવું, ઝાડ વિગેરે સાથે ગળાફસાં ખાઈને મરવું, અને ગીધ આદિ જંગલી જાનવરો ઠોલે તેથી મરવું, હે કુંદક ! એ બાર પ્રકારના બાલમરણ વડે મરતો જીવ પોતે અનંતવાર નારકીના ભવને પામે છે. તિર્યંચ, મનુષ્ય, અને દેવગતિરૂપ, અનાદિ અનંત તથા ચાર ગતિવાળા સંસારરૂપ વનમાં તે જીવ રખડે છે. એ બાલમરણની હકીકત છે. પંડિતમરણ એ શું ? પંડિતમરણ બે પ્રકારનું કહ્યું છે. પાદપોપગમન અને ભક્તપ્રત્યાખ્યાન પાદોપગમન એ શું ? પાદપિંગમન બે પ્રકારનું કહ્યું છે. નિહરિમ અને અનિહરિમ એ બન્ને જાતનું પાટોપગમન મરણ પ્રતિકર્મ વિનાનું જ છે. એ પ્રમાણે પાદોપગમન મરણની હકીકત છે ભક્તપ્રત્યાખ્યાન એ શું? ભક્તપ્રત્યાખ્યાન મરણ બે પ્રકારનું કહ્યું છે. નિહરિમ અને અનિહરિમ. એ બન્ને જાતનું ભક્તપ્રત્યાખ્યાન મરણ પ્રતિકર્મવાળુંજ છે. એ પ્રમાણે ભક્તપ્રત્યાખ્યાન મરણની હકીકત છે. તે સ્કંદ ! એ બને જાતના પંડિતમરણવડે મરતો જીવ પોતે નૈરયિકના અનંત ભવને પામતો નથી, યાવતું સંસારરૂપ વનને વટી જાય છે. એ પ્રમાણે મરતા જીવનો સંસાર ઘટે છે. એ પ્રમાણે પંડિત મરણની હકીકત છે. સ્કંદક ! એ-પૂર્વોક્ત બે પ્રકારના-મરણવડે મરતા જીવનો સંસાર વધે છે અને ઘટે છે. [117] કાત્યાયનગોત્રીય સ્કંદકપરિવ્રાજક બોધ પામ્યો અને તેણે શ્રમણ ભગવંત મહાવીરને વાંદી, નમી આ પ્રમાણે કહ્યું કે - હે ભગવન્! તમારા મુખથી કવળીએ કહેલ ધર્મને સાંભળવાને ઇચ્છું છું. હે દેવાનુપ્રિય! જેમ ઠીક લાગે તેમ કર, વિલંબ ન કર. ત્યારે પછી શ્રમણ ભગવંત મહાવીરે કાત્યાયનગોત્રીય સ્કંદક પરિવ્રાજકને અને ત્યાં મળેલી મોટી સભાને ધર્મ કહ્યો. પછી તે કાત્યાયનગોત્રીય સ્કંદક પરિવ્રાજક શ્રમણ ભગવંત મહાવીરના મુખથી ધર્મને સાંભળી, અવધારી. હર્ષ પામ્યો. સંતુષ્ટ થયો, યાવતુવિકસિત દૃયવાળો થયો અને પછી તેણે ઉભા થઈ, શ્રમણ ભગવંત મહાવીરને ત્રિ પ્રદક્ષીણા દઈ આ પ્રમાણે કહ્યું કે - હે ભગવન્! નિગ્રંથના પ્રવચનમાં શ્રદ્ધા રાખું છું. પ્રીતિ રાખું છું. રચી રાખું છું, સ્વીકાર કરું છું. હે ભગવન્! એ એ પ્રમાણે છે. એ રીતે છે. સત્ય છે. સંદેહ વિનાનું છે. તે ઈષ્ટ છે. તે ઈષ્ટ પ્રતીષ્ટ છે, જે તમે કહો છો. એમ કરીને તે સ્કંદક તાપસ શ્રમણ ભગવંત મહાવીરને વાંદે છે, નમે છે, પછી ઉત્તર પૂર્વની દિશાના ભાગમાં જઈને તે સ્કંદક પરિવ્રાજકે ત્રિદંડને, કુંડિકાને, યાવતું ભગવા વસ્ત્રોને એકાંતે મૂક્યાં અને પછી જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજ્યા છે ત્યાં આવી, શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ પ્રદક્ષિણા કરી તે સ્કંદક પરિવ્રાજક આ પ્રમાણે બોલ્યા - હે ભગવન્! ઘડપણ અને મોતના દુઃખથી આ સંસાર સળગેલો છે, વધારે સળગેલો છે જેમ કોઈ એક ગૃહસ્થ હોઈ અને તેનું ઘર સળગતું હોય, તથા તે સળગતા. ઘરમાં તેનો બહુ મૂલ્યવાળો અને ઓછા વજનવાળો સામાન હોય, તે સામાનને તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy