SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ 484 ભગવાઈ- રપ૩-૭૯૪૭ યથાખ્યાત સંયત સંબંધે પણ જાણવું. એ પ્રમાણે છેદોપસ્થાપનીય પણ નીચેના ત્રણે ચારિત્રની અપેક્ષાએ છ સ્થાનપતિત છે અને ઉપરના બે ચારિત્રથી તેજ પ્રમાણે અનન્ત ગુણ હીન છે. જેમ છેદોપસ્થાપનીયસંયત વિષે કહ્યું તેમ પરિહારવિશુદ્ધિક સંબંધે પણ જાણવું. હે ભગવનું ! સૂક્ષ્મસંપરાયસંયત સામાયિકસંયતના વિજાતીય પાયોની અપેક્ષાએ શું હીન છે- ઈત્યાદિ પૃચ્છા, હે ગૌતમ ! તે હીન નથી, સરખો નથી, પણ અધિક છે અને તે અનંત ગુણ, અધિક છે. એ પ્રમાણે છેદોપસ્થાપનીય અને પરિહારવિશુદ્ધિકની સાથે જાણવું. પોતાના સજાતીય પયયની અપેક્ષાએ કદાચ હીન હોય, કદાચ તુલ્ય હોય અને કદાચ અધિક હોય. જો હીન હોય તો અનંતગુણ હીન હોય, જે અધિક હોય તો અનંતગુણ અધિક હોય. સૂક્ષ્મસંપરાયસંયત યથાખ્યાત સંયતના વિજાતીય ચારિત્રપ યયોની અપેક્ષાએ હીન છે, અધિક છે. અને તે અનંતગુણ હીન છે. યથાખ્યાત સંયત નીચેના ચારેની અપેક્ષાએહીનનથી,તુલ્ય નથી,પણ અધિક છે અને તે અનંતગુણ અધિક છે. પોતાના સ્થાનમાં હીન અને અધિક નથી પણ સરખા છે. હે ગૌતમ! સામાયિક સંયત અને છેદોપસ્થાપ- નીય સંયત એ બન્નેના જઘન્ય ચારિત્રપર્યવો પરસ્પર સરખા અને સૌથી થોડા છે, તેથી પરિહારવિશુદ્ધિક સંયતના જઘન્ય ચારિત્ર પર્યવો અનંત ગુણા છે, અને તેથી તેનાજ ઉત્કૃષ્ટ ચારિત્રપર્યવો અનંત ગુણા છે, તેથી સામાયિક સંયત અને છેદોપસ્થાપનીય સંયતના ઉત્કૃષ્ટ ચારિત્રપર્યવો અનંતગુણા અને પરસ્પર સરખા છે, તેથી સૂક્ષ્મસંપરાય સંયતના જઘન્ય ચારિત્રપર્યવો અનંતગુણા છે અને તેથી તેના ઉત્કૃષ્ટ ચારિત્રપર્યવો અનંતગુણા છે, અને તેથી યથાખ્યાત સંયતના અજઘન્ય અને અનુકુટ ચારિત્રપર્યવો અનંતગુણા છે. સામાયિક સંતસયોગી હોય-ઈત્યાદિ બધું પુલાકની પેઠે જાણવું. એ પ્રમાણે યાવતુ-સૂક્ષ્મસંપરાય સંયત સંબંધે સમજવું. અને યથાખ્યાત સંયત સંબંધે સ્નાતકની પેઠે જાણવું. હે ભગવન્! શું સામાયિકસંયત સાકાર-જ્ઞાનઉપોયગવાળો હોય કે અનાકારદર્શન ઉપયોગવાળો હોય ? હે ગૌતમ ! સાકારઉપયોગવાળો હોય-ઈત્યાદિ બધું મુલાક ની પેઠે જાણવું. એ રીતે યાવતુ યથાખ્યાત સંયત. સંબંધે સમજવું. વિશેષ એ કે સૂક્ષ્મ સંપરાય સંયત સાકાર ઉપયોગવાળો હોય, પણ અનાકાર ઉપયોગવાળો ન હોય. સામ પયિક સંયત તે કપાયવાળો હોય, ઈત્યાદિ કષાયકુશીલની પેઠેજાણવું. એ પ્રમાણે છેદોપ સ્થાપનીય પણ જાણવો. પરિહારવિશુદ્ધિક સંયતને પુલાકની પેઠે જાણવું. સૂક્ષ્મસંપરાય સંયત કષાયવાળો હોય, તેને માત્ર એક સંજ્વલ લોભ હોય. યથાખ્યાત સંયત સંબંધ નિર્મથની પેઠે જાણવું. સામાયિક સંયત લેશ્વાસહિત હોય-ઈત્યાદિ બધું કષાયકુશીલની પેઠે જાણવું છેદોપસ્થાપનીયને પણ એ પ્રમાણે જાણવું.પુલાકની પેઠ પરિહારવિશુદ્ધિકને સમજવું. સૂક્ષ્મસં૫રાય સંયત નિગ્રંથની પેઠે જાણવો. અને સ્નાતકની પેઠે યથાખ્યાત સંયત વિષે જાણવું. પરન્તુ જો લેશ્વાસહિત હોય તો તે એક શુકલેશ્યાવાળો હોય. [948] હે ભગવન્! શું સામાયિક સંયત ચઢતા પરિણામવાળો હોય, હીયમાન કે સ્થિર પરિણામવાળો હોય ? હે ગૌતમ ! તે ચઢતા પરિણામવાળો હોય-ઇત્યાદિ બધું મુલાકની પેઠે જાણવું. એ પ્રમાણે ભાવતુ-પરિહારવિશુદ્ધિક સંયત સુધી સમજવું. શું સૂક્ષ્મસંપરાયસંયત ચઢતા પરિણાવાળો હોય, પડતા પરિણામવાળો હોય, યથાખ્યાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy