SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ 482 ભગવાઈ - 255-7942 સ્થિત કલ્પમાં પણ હોય અને અતિકલ્પમાં પણ હોય. શું છેદપસ્થાપનીય સંયત સ્થિતકલ્પમાં હોય, એ પ્રમાણે પરિહાર- વિશુદ્ધિક સંયતને પણ જાણવું. અને બાકીના બધા સામાયિક સંયતની પેઠે જાણવા. હે ભગવન્! શું સમાયિકસંવત જિનકલ્પમાં હોય, વિરકલ્પમાં હોય કે કલ્પાતીત હોય? હે ગૌતમ ! તે જિનકલ્પમાં હોય-ઇત્યાદિ બાકી બધુ કષાયકુશીલની પેઠે જાણવું. છેદોપસ્થાપનીય અને પરિહારવિશુદ્ધિકની હકીકત બકુશની પેઠે જાણવી અને બાકી બધા નિગ્રંથની પેઠે સમજવા. [૯૪૩]સામાયિકસંયત પુલાક પણ હોય, બકુશ પણ હોય, યાવતુ-કષાયકુશીલ હોય, પણ નિગ્રંથ કે સ્નાતક ન હોય. એ પ્રમાણે છેદોપસ્થાપનીયસંયત સંબંધે પણ જાણવું.પરિહારવિશુદ્ધિકસંયત કષાયકુશીલ હોય. એ પ્રમાણે સૂક્ષ્મસંપરાય સંયત પણ જાણવો. યથાખ્યાત- સંયત નિગ્રંથ હોય અથવા સ્નાતક હોય. હે ભગવન્! શું સામાયિકસંવત પ્રતિસેવક-ચારિત્રવિરાધક હોય કે અપ્રતિસેવક ? હે ગૌતમ ! બંને બાકી બધું પુલાકની પેઠે જાણવું. સામાયિકસંયતની પેઠે છેદોપસ્થાપનીય સંયત પણ જાણવો.પરિહારવિશુદ્ધિક સંયત અપ્રતિસેવક છે. એ પ્રમાણે યાવતુ યથાખ્યાત સંયત સુધી જાણતું. હે ભગવન્! સામાયિકસંયતને કેટલાં જ્ઞાન હોય? હે ગૌતમ! તેને બે, ત્રણ કે ચાર જ્ઞાન હોય. એ પ્રમાણે કષાયકુશીલની પેઠે ચાર જ્ઞાન ભજનાએ હોય છે. એ પ્રમાણે યાવતુ-સૂક્ષ્મસંપરય સંયત સુધી જાણવું. તથા જ્ઞાનોદ્દેશકમાં કહ્યા પ્રમાણે યથાખ્યાત સંયતને પાંચ જ્ઞાન ભજનાએ હોય છે. હે ભગવન્! સામાયિકસંયત કેટલું કૃત ભણે? હે ગૌતમ ! તે જઘન્ય આઠ પ્રવચનમાતા રૂપ શ્રતનું અધ્યયન કરે-ઇત્યાદિ બધી હકીકત કષાયકુશીલની પેઠે જાણવી. તથા એજ રીતે છેદોપસ્થાપનીયસંયતને પણ સમજવું. પરિહારવિશુદ્ધિકસંયત જઘન્ય નવમાં પૂર્વની ત્રીજી આચારવસ્તુ સુધી, અને ઉત્કૃષ્ટ અપૂર્ણ દસ પૂર્વે ભણે. તથા સૂક્ષ્મપરાય સંયત સામાયિકસંયતની પેઠે જાણવો. યથાખ્યાતસયત જઘન્ય આઠ પ્રવચનમાતા રૂપ ઉત્કૃષ્ટ ચૌદ પૂર્વ ભણે અથવા ઋતરહિત (કેવલી) હોય. હે ભગવન્! શું માયિક સંયત તીર્થમાં હોય કે તીર્થના અભાવમાં હોય? હે ગૌતમ.! બંનેમાં ઈત્યાદિ બધી હકીકત કષાયકુશીલની પેઠે જાણવી. છેદોપસ્થાપનીય અને પરિહાર- વિશુદ્ધિક પુલાકની પેઠે જાણવા, અને બાકી બધા સામાયિકસંયતની પેઠે જાણવા. હે ભગવન્! શું સામાયિકસંયત સ્વલિંગ-સાધુના લિંગમાં હોય, અન્ય-તાપ સાદિના લિંગમાં હોય કે ગૃહસ્થના લિંગમાં હોય? તે સંબંધી બધી હકીકત પુલાકની પેઠે જાણવી. એ પ્રમાણે છેદોપસ્થાપનીય સંયત માટે પણ જાણવું. પરિહારવિશુદ્ધિક સંયત તે દ્રવ્યલિંગ અને ભાવલિંગ આશ્રયી સ્વલિંગમાં હોય, બાકી બધું સામાયિકસંયતની પેઠે જાણવું. હે ભગવન્! સામાયિક સંયતને ત્રણ, ચાર, કે પાંચ શરીર હોય-ઈત્યાદિ બધું કષાયકુશીલની પેઠે જાણવું. એ પ્રમાણે છેદોપસ્થાપનીય સંયત વિષે પણ જાણવું બાકીના બધા સંતો પુલાકની પેઠે સમજવા. સામાયિક સંયત જન્મ અને સદ્ભાવ બન્નેની અપેક્ષાએ કર્મભૂમિમાં થાય, ઈત્યાદિ બધું બકુશની પેઠે જાણવું. એ રીતે છેદપસ્થાપનીય સંયતને પણ સમજવું. પરિહારવિશુદ્ધિકને પુલાકની પેઠે જાણવું અને બાકી બધા સંયતો સામાયિકસંયતની પેઠે જાણવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy