SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-રપ, ઉદેસો-દ 485 પ્રતિપદ્યમાન કષાયકુશીલો કદાચ હોય અને કદાચ ન હોય. જો હોય તો જધન્ય એક, બે અને ત્રણ હોય, અને ઉત્કૃષ્ટ બે હજારથી નવ હજાર સુધી હોય. પૂર્વ પ્રતિપન્ન કષાય કુશીલોને આશ્રયી જધન્ય અને બે ક્રોડથી નવ કોડ સુધી હોય.એક સમયે નિગ્રંથો પ્રતિપદ્યમાન નિઝેન્થો કદાચ હોય અને કદાચ ન હોય. જો હોય તો જઘન્ય એક બે અને ત્રણ હોય અને ઉત્કૃષ્ટ એકસોને આઠ ક્ષપકશ્રેણિવાળા અને ચોપન ઉપશમ શ્રેણિવાળા મળીને એકસોને બાસઠ હોય. પૂર્વપ્રતિપન નિગ્રંથો કદાચ હોય હોય અને કદાચ ન હોય. જો હોય તો જઘન્ય એક બે કે ત્રણ નિગ્રંથ ઉત્કૃષ્ટ બસોથી નવસો સુધી હોય. એક સમયે સ્નાતકો પ્રતિપદ્યમાન કદાચ હોય અને કદાચ ન હોય. જો હોય તો જઘન્ય એક, બે અને ત્રણ હોય અને ઉત્કૃષ્ટ આઠસો હોય. પૂર્વપ્રતિપન સ્નાતકો જઘન્ય અને ઉત્કૃષ્ટ બે કોડથી નવ ક્રોડ સુધી હોય. પુલાક, બકુશ, પ્રતિસેવનાકુશીલ, કષાયકુશીલ, નિર્ગથ અને સ્નાતક, એ બધામાં નિગ્રંથો સૌથી થોડા છે, તે કરતાં અનુક્રમે પુલાકો સ્નાતકો બકુશો પ્રતિસેવનાકુશીલોઅને કષાયકુશીલો સંખ્યાતગુણ છે. (-શતક-રપ ઉદ્દેશકઃ 7:[36] હે ભગવન્! કેટલા સંતો કહ્યા છે? હે ગૌતમ! પાંચ સામાયિકસંયત. છેદોપસ્થાપનીયસંત, પરિહારવિશુદ્ધિસકસંયત, સૂક્ષ્મસંપરાયસંયત અને યથાવાત સંયત.સામાયિકસંયત બે પ્રકારે કહ્યા છે, ઈત્વરિક (અલ્પકાલીક) અને થાકથિક (જીવનપર્યત).છદોપસ્થાપનીયસંયતના બે પ્રકારે કહ્યા છે, સાતિચાર અને નિરતિ ચાર-પરિહારવિશુદ્ધિક સંવતનબે પ્રકારે નિર્વિશમાનક તપ કરનાર) અને નિર્વિષ્ટ કાયિક વૈયાવૃત્વ કરનાર). સૂક્ષ્મસં૫રાય સંયત બે પ્રકારે સંલિશ્યમાનકઅને વિશુધ્ધ માનક (ઉપશમશ્રેણિ કે ક્ષપકશ્રેણિ પર ચઢતો). [૯૩૭-૯૪૧]હે ભગવન્! યથાખ્યાત સંયતના કેટલા પ્રકાર કહ્યા છે? હે ગૌતમ! બે છાસ્થ અને કેવળી. સામાયિક સ્વીકાર્યા પછી ચાર મહાવ્રતરૂપ પ્રધાન ધર્મને મન, વચન અને કાયથી ત્રિવિધે જે પાળે તે “સામાયિકસંયત' કહેવાય. પૂર્વના પયયનો છેદ કરી જે પોતાના આત્માને પાંચ મહાવ્રતરૂપ ધર્મમાં સ્થાપે તે છેદોપસ્થાપનીયસંવત કહેવાય છે. જે પાંચ મહાવ્રતરૂપ અને ઉત્તમોત્તમ ધર્મને ત્રિવિધે પાળતો અમુક પ્રકારનું તપ કરે તે પરિહારવિશુદ્ધિકસયત’ કહેવાય છે. જે લોભના અણુઓને વેદતો ચારિત્ર મોહને ઉપશમાવે કે ક્ષય કરે તે “સૂક્ષ્મસંપરાય' કહેવાય છે અને તે યથાખ્યાતસયતથી કિંઈક ન્યૂન હોય છે. મોહનીય કર્મ ઉપશાન્ત કે ક્ષીણ થયા પછી જે છવસ્થ હોય કે જિન હોય તે યથાખ્યાતસંવત’ કહેવાય. 9i42] હે ભગવન્! સામાયિક સંયત વેદવાળો હોય કે વેદવિરહિત હોય? બંને. જો વેદવાળો સામાયિકસંયત હોય તો તેને બધી હકીકત કષાયકુશીલની પેઠે જાણવી. એ પ્રમાણે છેદોપસ્થાપનીય સંયત પણ સમજવો. પરિહારવિશુદ્ધિક સંયત સંબંધી હકી કત મુલાકની પેઠે જાણવી. સૂક્ષ્મસંપરાય સંયત અને યથાખ્યાત સંયત નિગ્રંથની પેઠે (અવેદક) જાણવા. હે ભગવન્ ! શું સામાયિક સંયત રાગવાળો હોય કે વીતરાગ હોય? હે ગૌતમ ! તે રાગવાળો હોય, પણ વીતરાગ ન હોય. એ પ્રમાણે સૂક્ષ્મસંપરાય સંયત સંબંધે પણ જાણવું. યથાખ્યાત સંયતને નિગ્રંથની પેઠે જાણવું. સામાયિક સંવત [31] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy