SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ 474 ભગવાઈ - 25-16904 [904] હે ભગવન્! શું પુલાક સામાયિક સંયમમાં હોય છેદોષસ્થાનીય સંયમમાં હોય, પરિહારવિશુદ્ધ સંયમમાં હોય, સૂક્ષ્મસંપરાય સંયમમાં હોય કે યથાખ્યાતા સંયમમાં હોય? હે ગૌતમ ! તે સામાયિક સંયમમાં અને છેદોપસ્થાપનીય સંયમમાં હોય. એ પ્રમાણે બકુશ અને પ્રતિસેવનાકુશીલ પણ સમજવો. કષાયકુશીલ કયા સંયમમાં હોય?સામાયિકસંયમ, અનેયાવતુ-સૂક્ષ્મપરાયસંયમમાંહોય,પણ યથાખ્યાત સંયમ માં ન હોય. નિગ્રંથ યથાવાત સંયમમાં હોય. એ પ્રમાણે સ્નાતક વિષે પણ સમજવું. [905 હે ભગવન્! શું પુલાક ચારિત્રી પ્રતિસેવક (સંયમવિરાધક હોય કે અપ્રતિસેવક સંયમારાધક હોય ? હે ગૌતમ ! તે પ્રતિસેવક હોય, પણ અપ્રતિસેવક ન હોય. તે મૂલગુણનો પ્રતિસેવક-વિરાધક હોય અને ઉત્તરગુણનો પણ પ્રતિસેવક હોય. મૂલગુણની વિરાધના કરતો પાંચ આસવોમાંના કોઈ પણ આસવને સેવે. તથા ઉત્તર ગુણની વિરાધના કરતો દશ પ્રકારના પ્રત્યાખ્યાનમાંથી કોઈ એક પ્રત્યાખ્યાનને વિરાધે. બકુશ વિરાધક હોય, પણ અવિરાધક ન હોય. તે મૂલગુણનો વિરાધક ન હોય. પણ ઉત્તરગુણનો વિરાધક હોય. ઉત્તરગુણને વિરાધતો દશ પ્રકારના પ્રત્યાખ્યાનમાંથી કોઈ એક પ્રત્યાખ્યાનને વિરાધે. પુલાકની પેઠે પ્રતિસેવનાકુશીલ પણ જાણવો. કષાય કુશીલ વિરાધક ન હોય, પણ આરાધક હોય. એ પ્રમાણે નિગ્રંથ અને સ્નાતક વિષે પણ સમજવું. 906] હે ભગવન્! પુલાક કેટલા જ્ઞાનોમાં વર્તે? હે ગૌતમ ! બે જ્ઞાનોમાં હોય કે ત્રણ જ્ઞાનોમાં હોય. એ પ્રમાણે બકુશ અને પ્રતિસેવનાકુશીલ પણ જાણવો. કષાયકુશીલ બે જ્ઞાનોમાં હોય, ત્રણ જ્ઞાનોમાં હોય, અથવા ચાર જ્ઞાનોમાં પણ હોય. જ્યારે તે બે જ્ઞાનોમાં હોય ત્યારે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં હોય. જ્યારે તે ત્રણ જ્ઞાનમાં હોય ત્યારે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનમાં હોય, અથવા મતિ, શ્રુત અને મન:પર્યવ જ્ઞાનમાં હોય, અને જ્યારે તે ચાર જ્ઞાનમાં હોય ત્યારે મતિ, કૃત, અવધિ અને મનપર્યવ જ્ઞાનમાં હોય. એ પ્રમાણે નિગ્રંથવિષે પણ જાણવું.સ્નાતક એક કેવલજ્ઞાનમાં હોય. [09] હે ભગવન્! પુલાક કેટલું કૃત ભણે? હે ગૌતમ! પુલાક જઘન્ય નવમા પૂર્વની ત્રીજી આચાર વસ્તુ સુધી ભણે અને ઉત્કૃષ્ટ સંપૂર્ણ નવ પૂર્વેને ભણે. બકુશ જધન્ય આઠ પ્રવચન માતા સુધી અને ઉત્કૃષ્ટ દશ પૂર્વો ભણે. એ પ્રમાણે પ્રતિસેવનાકુશીલ પણ જાણવો. કષાયકુશીલ જઘન્ય આઠ પ્રવચન માતા ભણે અને ઉત્કૃષ્ટ ચૌદ પૂર્વો ભણે. એ પ્રમાણે નિગ્રંથ વિષે પણ જાણવું. સ્નાતક શ્રુતરહિત હોય. 9i08 હે ભગવન્!શું પુલાક તીર્થમાં હોય કે તીર્થના અભાવમાં હોય? હે ગૌતમ! તે તીર્થમાં હોય, પણ તીર્થના અભાવમાં ન હોય. એ પ્રમાણે બકુશ અને પ્રતિસેવનાકુશીલ પણ જાણવો. કષાયકુશીલ તીર્થમાં હોય અને અતીર્થમાં પણ હોય. તે તીર્થંકર પણ હોય કે પ્રત્યેકબુદ્ધ પણ હોય. એ પ્રમાણે નિગ્રંથ અને સ્નાતક વિશે પણ જાણવું. [909] હે ભગવન્! શું પુલાક સ્વલિંગમાં હોય, અન્યલિંગમાં હોય કે ગૃહસ્થ લિંગમાં હોય? હે ગૌતમ ! હોય ભાવલિંગને આશ્રયી અવશ્ય સ્વલિંગમાં હોય. એ પ્રમાણે યાવતુ નાક સુધી જાણવું. [10] હે ભગવન્! પુલાક કેટલા શરીરમાં હોય? હે ગૌતમ! દારિક, તૈજસ અને કાર્પણ -એ ત્રણ શરીરમાં હોય. બકુશ ત્રણ શરીર કે ચાર શરીરમાં હોય. ઔદારિક, તૈજસ અને કામણ શરીરમાં અથવા ઔદારિક, વૈક્રિય. તૈજસ અને કાર્પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy