SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-ર૫, ઉદેસીદ 473 -શતક-૨૫ ઉદેશક દ) [898-9001 છત્રીશ વિષયો છે. પ્રજ્ઞાપન, વેદ, રાગ, કલ્પ, ચારિત્ર, પ્રતિરો વના, જ્ઞાન, તીર્થ લિંગ, શરીર, ક્ષેત્ર, કાળ, ગતિ, સંયમ, નિકાશ-યોગ, ઉપયોગ, કષાય, લેશ્યા, પરિણામ, બન્ધ, વેદ- ઉદીરણા, ઉપસંપદ્ સંજ્ઞા, આહાર, ભવ, આકર્ષ. કાળ માન, અત્તર, સમુદ્યાત, ક્ષેત્ર સ્પર્શના, ભાવ, પરિમાણ, અને અલ્પબહુત્વ. [901) ભગવદ્ ! નિર્મન્થો કેટલા કહ્યા છે ? પાંચ પ્રકારના પુલાક, બકુશ, કુશીલ, નિર્ઝન્થ અને સ્નાતક. પુલાકના પાંચ પ્રકાર જ્ઞાનપુલાક, દર્શનપુલાક, ચારિત્ર મુલાક, લિંગપુલાક અને યથાસૂક્ષ્મપુલાક. બકુશના પાંચ પ્રકાર આભોગબકુશ, અના ભોગબકુશ,સંવૃતબકુશ, અસંવૃતબકુશ અને પાંચમાં યથાસૂક્ષ્મ- બકુશ. કુશીલનાં બે પ્રકાર પ્રતિસેવનાકુશીલ અને કષાયકુશીલ, પ્રતિસેવનાકુશીલના પાંચ પ્રકાર જ્ઞાન પ્રતિસેવનાકુશીલ, યથાસૂક્ષ્મપ્રતિસેવનાકુશીલ. હે ભગવન્! કષાયકુશીલના કેટલા પ્રકાર કહ્યા છે ? પાંચ પ્રકાર-જ્ઞાનકષાય કુશીલ, યથાસૂક્ષ્મષાયકુશીલ. નિગ્રંથના પાંચ પ્રકાર પ્રથમસમયવર્તીનિગ્રંથ, પ્રથમ સમયવર્તી નિગ્રંથ, ચરમસમયવતનિગ્રંથ, અચરમસમવયવર્તી નિગ્રંથ અને પાંચમો યથાસૂમ નિરંથ. સ્નાતકના પાંચ પ્રકાર-અચ્છવી અશબલ- અકમશિ સંશુદ્ધ જ્ઞાન અને દર્શનને ધરનાર- પાંચમો અપરિસાવી. હે ભગવન! શું પલાક નિગ્રંથ વેદસહિત છે કે વેદરહિત છે ? વેદસહિત છે, તે સ્ત્રીવેદવાળો નથી, પણ પુરુષવેદવાળો અને પુરુષનપુંસકવેદવાળો છે. બકુશ તે સ્ત્રીવેદવાળો, પુરુષવેદવાળી અને પુરુષન- પુંસકવેદવાળો હોય છે. એ પ્રમાણે પ્રતિસેવનાફશીલ પણ જાણવો. કષાયકુશીલ વેદસહિત પણ હોય અને વેદર હિત પણ હોય. હે ભગવનું તે ઉપશાંતવૃંદવાળો પણ હોય અને ક્ષીણવેદવાળો પણ હોય. તેને બકુશની પેઠે ત્રણે વેદ હોય. નિગ્રંથ વેદસહિત નથી, પણ વેદરહિત છે, હે ગૌતમ! તે ઉપશાંતવેદ પણ હોય અને ક્ષીણવેદ પણ હોય. સ્નાતક નિગ્રંથની પેઠે વેદરહિત હોય. પણ વિશેષ એ કે, સ્નાતક ઉપશાંતવેદ ન હોય, પણ ક્ષીણવેદ હોય. 9i02] હે ભગવન્! શું પુલાક રાગ સહિત હોય કે વિતરાગ હોય? હે ગૌતમ! પુલાક રાગસહિત હોય, એ પ્રમાણે યાવતુ-કષાયકુશીલ સુધી જાણવું. નિગ્રંથ તે સરાગ નથી, પણ વીતરાગ હોય છે. હે ગૌતમ! તે ઉપશાંતકષાય વીતરાગ હોય અને ક્ષીણક પાય વીતરાગ પણ હોય. એ પ્રમાણે સ્નાતક પણ જાણવો. વિશેષ એ કે સ્નાતક ઉપશાંત કષાય વીતરાગ ન હોય, પણ ક્ષીણકષાય વીતરાગ હોય. [903 હે ભગવન્! શું પુલાક સ્થિતિકલ્પમાં હોય કે અતિકલ્પમાં હોય? હે ગૌતમ ! તે સ્થિતકલ્પમાં પણ હોય અને અસ્થિતકલ્પમાં પણ હોય. એ પ્રમાણે વાવતુસ્નાતક સુધી જાણવું. પુલાક જિનકલ્પમાં ન હોય, કલ્પાંતીત ન હોય, પણ સ્થવિરકલ્પમાં હોય. બકુશ જિનકલ્પમાં હોય અને સ્થવિરકલ્પમાં હોય. પણ કલ્પાતીત ન હોય. એ પ્રમાણે પ્રતિસેવનાકુશીલ વિષે પણ સમજવું. કષાયકુશીલ જિનકલ્પમાં હોય, સ્થવિર કલ્પમાં હોય, અને કલ્પાતીત પણ હોય.નિગ્રંથ જિનકલ્પમાં અને વિકલ્પમાં ન હોય, પણ કલ્પાતીત હોય. એ પ્રમાણે સ્નાતક સંબંધે પણ જાણવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy