SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ 472 ભગવાઈ- 25-5894 પલ્યોપમો તે સંખ્યાતી આવલિકારૂપ નથી, પણ કદાચ અસંખ્યાતી અને કદાચ અનંત. આવલિકારૂપ છે. એ પ્રમાણે યાવતુ-ઉત્સર્પિણીઓ સુધી જાણવું. હે ભગવનું ! પુદ્ગ પરિવર્તે શું સંખ્યાતી આવલિકારૂપ છે-ઈત્યાદિ પ્રશ્ન. અનંત આવલિકારૂપ છે. સ્તો, શું સંખ્યાતા આનપ્રાણરૂપ છે કે અસંખ્યાતા આનપ્રાણરૂપ છે ત્યાદિ પ્રશ્ન. આવલિકા ની જેમ આનપ્રાણ સંબંધે પણ જાણવું. એ પ્રમાણે એ પૂર્વોક્ત ગમ-પાઠવડે યાવતુ-શીપ્રહેલિકા સુધી સમજવું. હે ભગવનું ! સાગરોપમ શું સંખ્યાના પલ્યોપમરૂપ છે-ઈત્યાદિ પ્રશ્ન: હે ગૌતમ! તે સંખ્યાતા પલ્યોપમરૂપ છે, એ પ્રમાણે અવસર્પિણી અને ઉત્સર્પિણી. સંબધે પણ જાણવું. હે ભગવન્! પુદ્ગલપરિવર્ત શું સંખ્યાતા પલ્યોપમરૂપ છે-ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! અનંત પલ્યોપમરૂપ છે. એ પ્રમાણે યાવતુ-સદ્ધિા સુધી જાણવું. સાગરોપમનો કદાચ સંખ્યાતા પલ્યોપમરૂપ હોય છે, કદાચ અસંખ્યાતા પલ્યોપમરૂપ હોય છે અને કદાચ અનંત પલ્યોપમરૂપ પણ હોય છે. એ પ્રમાણે વાવતુ-અવસર્પિણી તથા ઉત્સર્પિણી સંબંધે પણ જાણવું. હે ભગવન્! પુલપરિવર્તે શું સંખ્યાતા પલ્યોપમરૂપ છે-ઈત્યાદિ પ્રશ્ન. તે અનંત પલ્યોપમરૂપ છે. હે ભગવન્! અવસર્પિણી શું સંખ્યાતા સાગરોપમો છેઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! પલ્યોપમની જેમ સાગરોપમની પણ વક્તવ્યતા કહેવી. હે ભગવન્! પુદ્ગલ પરિવર્ત શું સંખ્યાતી ઉત્સર્પિણી અને અવસર્પિણીરૂપ છે-ઈત્યાદિ પ્રશ્ન. તે અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણીરૂપ છે. એ પ્રમાણે યાવતુ-સદ્ધિા સુધી જાણવું. પુદ્ગલપરિવત હે ગૌતમ ! તે અનંત ઉત્સર્પિણીઓ અને અવસર્પિણીઓ છે. હે ભગવનું ! અતીતા-ભૂતકાળ એ શું સંખ્યાતા પુદ્ગલપરિવતો છે-ઈત્યાદિ પ્રશ્ન. તે અનંત પુદ્ગલપરિવર્તે છે. એ પ્રમાણે અનાગત કાળ અને સર્વોદ્ધા વિશે પણ જાણવું. [85] હે ભગવન્! અનાગતાદ્ધા-ભવિષ્યકાળ શું સંખ્યાતા અતીતાબ્દારૂપ છે, અસંખ્યાતા અતીતાદ્ધારૂપ છે કે અનંત તીતાદ્ધારૂપ છે? હે ગૌતમ ! ભવિષ્યકાળ અતી તાદ્ધા-ભૂતકાળથી અનાગતાદ્ધા-ભવિષ્યકાળ એક સમય અધિક છે અને ભવિષ્ય કાળ કરતાં ભૂતકાળ એક સમય ન્યૂન છે.અતીતાદ્ધા-ભૂતકાળ કરતાં સવદ્ધા કાંઈક અધિક બમણો છે, અને અતીતાદ્ધા-ભૂતકાળ સવદ્ધા કરતાં કાંઈક ન્યૂન અર્ધભાગરૂપ છે. ભવિષ્યકાળ કરતાં સવદ્ધા કાંઈક ન્યૂન બમણો છે, અને અનાગતાધા સવદ્ધા કરતાં કાંઈક અધિક અરધો છે. [896] હે ભગવન્! નિગોદો કેટલા પ્રકારના કહ્યા છે? હે ગૌતમ ! બે પ્રકારનાનિગોદ અને નિગોદજીવો. નિગોદો બે પ્રકારના સૂક્ષ્મનિગોદ અને બાદરનિગોદ, એ પ્રમાણે જીવાભિગમ સૂત્રમાં કહ્યા પ્રમાણે બધા નિગોદો કહેવા. [897] હે ભગવન્! નામ-ભાવ કેટલા પ્રકારનું કહ્યું છે? હે ગૌતમ! નામ-ભાવ છ પ્રકારનું કહ્યું છે. તે આ પ્રમાણે-ઔદયિક, યાવતું સાંનિપાતિક, હે ભગવનું ! ઔદયિક નામ-ભાવ કેટલા પ્રકારનું છે? હે ગૌતમ! બે પ્રકારનું ઉદય ઉદયનિષ્પન્ન. એ. પ્રમાણે બધું સત્તરમા શતકના પ્રથમ ઉદ્દેશકમાં ભાવ સંબધે કહ્યું છે તે પ્રમાણે અહિં પણ કહેવું. પણ તેમાં વિશેષ પ્રમાણે છે ત્યાં ભાવ સંબન્ધ કહ્યું છે અને અહીં નામ સંબંધ યાવતુ-સંનિપાતિક સુધી કહેવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy