SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૨૫, ઉસો 475 શરીરમાં હોય. એ પ્રમાણે પ્રતિસેવનાકુશલ પણ જાણવો. કષાયકુશીલ ત્રણ, ચાર કે પાંચ શરીરમાં હોય. અથવા ઔદારિક, તૈજસ અને કામણ ઔદારિક વૈક્રિય, તૈજસ અને કામણ ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્પણ શરીરમાં હોય. નિગ્રંથ અને સ્નાતકને પુલાકની પેઠે જાણવા. | [11] હે ભગવન્શું પુલાક કર્મભૂમિમાં હોય કે અકર્મભૂમિમાં હોય ? હે ગૌતમ ! જન્મ અને સદૂભાવને અપેક્ષી કર્મભૂમિમાં હોય, બકુશ જન્મ અને સભાવને આશ્રયી કર્મભૂમિમાં હોય, અને સંહરણને અપેક્ષી કર્મભૂમિમાં પણ હોય અને અકર્મ ભૂમિમાં પણ હોય. એ પ્રમાણે યાવતું-સ્નાતક સુધી જાણવું. [912] હે ભગવન્! શું પુલાક અવસર્પિણી કાળમાં હોય, ઉત્સર્પિણી કાળમાં હોય કે નોઆઅવસર્પિણી-નોઉત્સર્પિણી કાળે હોય? હે ગૌતમ ! ત્રણે માં હે ગૌતમ ! જન્મની અપેક્ષાએ પુલાવ- અવસર્પિણી કાળે સુષમસુષમા અને સુષમા કાળે ન હોય, પણ સુષમદુઃષમાં કાળે હોય, દુઃશ્વમસુષમા કાળે હોય, દુઃષમા કાળે ન હોય અને દુઃષમ દુષમા કાળે પણ ન હોય. તથા સદ્ભાવની અપેક્ષાએ સુષમ- દુઃષમા કાળે હોય, દુઃષમ સુષમકાળે હોય ને દુઃષમા કાળે હોય. ઉત્સર્પિણી કાળે જન્મને આશ્રયી દુઃષમા કાળે હોય, દુઃષમસુષમા કાળે હોય, સુષમદુઃષમા કાળે હોય,સદૂભાવને આશ્રયી દુઃષમ સુષમા કાળે હોય, સુષમદુઃ૫માં કાળે હોય, જો તે (પુલાક) નોઉત્સર્પિણી-નોઅવસર્પિણી કાળે હોય તો હે ગૌતમ ! જન્મ અને સભાવને આશ્રયી સુષમસુષમા સમાન કાળને વિષે ન હોય, સુષમાસમાન કાળે ન હોય. સુષમદુઃષમાસમાન કાળે ન હોય. પણ દુઃષમસુષમાસમાન કાળે હોય.બકુશ અવસર્પિણી કાળે હોય, ઉત્સર્પિણી કાળે હોય, પણ નોઉત્સર્પિણી-નોઅવસર્પિણી કાળે ન હોય. તે બકુશ અવસર્પિણી કાળે જન્મ અને સદ્દભાવને અપેક્ષી સુષમદુઃષમા કાળે હોય, દુઃષમસુષમા કાળે હોય કે દુઃષમાકાળે હોય, સંહરણને અપેક્ષી કોઈ પણ હોય. બકુશ ઉત્સર્પિણી કાળે જન્મને આશ્રયી બધું પુલાકની પેઠે જાણવું. સદ્ભાવને આશ્રયી પણ પુલાકની પેઠે જાણવું.સંહરણને અપેક્ષી કોઇ પણ કાળે હોય. બકુશ નોઅવસર્પિણીનોઉત્સર્પિણી કાળે જન્મ અને સદ્ભાવને આશ્રયી પુલાકની પેઠે જાણવું,સંહરણને અપેક્ષી કોઈ પણ કાળે હોય. નીજેમ બકુશ પ્રતિસેવનાકુશીલ અને કષાયકુશીલ જાણવો. નિગ્રંથ અને સ્નાતક પણ મુલાકની પેઠે સમજવા. વિશેષ એ નિર્ગથ અને સ્નાતક સંહરણને આશ્રયી સર્વ કાળે હોય. [13] હે ભગવન્! પુલાક મરણ પામીને કઈ ગતિમાં જાય ? હે ગૌતમ ! દેવગતિમાં જાય. દેવગતિમાં વૈમાનિકમાં ઉત્પન્ન થતો પુલાક જઘન્યથી સૌધર્મ કલ્પમાં અને ઉત્કૃષ્ટ સહસ્ત્રાર કલ્પમાં ઉત્પન્ન થાય. બકુશ વિષે પણ એજ પ્રમાણે જાણવું. વિશેષ એ કે તે ઉત્કૃષ્ટ અચુત કલ્પમાં ઉત્પન્ન થાય. બકુશની પેઠે પ્રતિસેવનાકુશીલ વિષે પણ સમજવું. અને પુલાકની પેઠે કષાયકુશીલને પણ જાણવું. વિશેષ એ કે, કષાયકુશીલ ઉત્કૃષ્ટ અનુત્તરવિમાનમાં ઉત્પન્ન થાય. ને પણ નિગ્રંથ એ પ્રમાણે જાણવું. થાવતુ વૈમાનિકોમાં ઉત્પન્ન થતો જઘન્ય અને ઉત્કૃષ્ટ સિવાય એક અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય. સ્નાતક એક સિદ્ધગતિમાં જાય. દેવોમાં ઉત્પન થતો પુલાક હે ગૌતમ ! અવિરાધનાને આશ્રયી ઈદ્રપણે ઉત્પન્ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy