SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૨૪, ઉસો-૨૨ 451 થાય તો તે સંબંધે નાગકુમારના બીજા ગમકમાં કહેલી વક્તવ્યતા કહેવી.જો તે જ ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા વાનવ્યન્તરમાં ઉત્પન્ન થાય તો જઘન્ય અને ઉત્કૃષ્ટ પલ્યોપમની સ્થિતિવાળા વાનવન્તરમાં ઉત્પન્ન થાય-ઇત્યાદિ પૂર્વોક્ત વક્તવ્યતા કહેવી. પણ વિશેષ એ કે તેની સ્થિતિ જઘન્ય પલ્યોપમની અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની જાણવી. સંવેધ જઘન્ય બે પલ્યોપમ અને ઉત્કૃષ્ટ ચાર પલ્યોપમનો હોય મધ્યમના અને છેલ્લા ત્રણ ગમકો નાગકુમારના ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે કહેવા. પરન્તુ વિશેષ એ કે સ્થિતિ અને સંવેધ ભિન્ન ભિન્ન જાણવો. સંખ્યાતા વર્ષના આયુષવાળા નં 5 તિર્યંચોની વક્ત હતા તે જ પ્રમાણે જાણવી. પણ વિશેષ એ કે સ્થિતિ અને અનુબંધ ભિન્ન ભિન્ન જાણવો. તથા સંવેધ બન્નેની સ્થિતિને એકઠી કરીને કહેવો. જો તેઓ (વાવ્યન્તર) મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો તેને નાગકુમારના ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે અસંખ્યા તા વર્ષના આયુષવાળા મનુષ્યોની વક્તવ્યતા કહેવી. પણ વિશેષ એ કે ત્રીજા ગમકમાં સ્થિતિ જઘન્ય પલ્યોપમની અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની જાણવી. અવગાહના જઘન્ય થી એક ગાઉ અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની હોય છે. બાકી બધું પૂર્વ કહ્યા પ્રમાણે જાણવું. વળી તેનો સંવેધ આજ ઉદ્દેશકમાં જેમ અસંખ્યાતા વર્ષના આયુષવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચનો કહ્યો છે તેમ કહેવો. તથા જેમ નાગકુમારના ઉદ્દેશકમાં કહ્યું છે તે પ્રમાણે સંખ્યાતા વર્ષના આયુષવાળા સંજ્ઞી મનુષ્યોની વક્તવ્યતા કહેવી. પણ વિશેષ એ કે વાનવ્યન્તરની સ્થિતિ અને સંવેધ ભિન્ન જાણવો. -શતક-૨૪ ઉદ્દેશકઃ 23-) | [85] હે ભગવન્! જ્યોતિષિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય ? શું નરયિ કોથી-ઈત્યાદિ ભેદ કહેવો. યાવતુ તેઓ સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચોથી આવી ઉત્પન્ન થાય, હે ગૌતમ ! સંખ્યાતા કે અસંખ્યાતા વર્ષના આયુષવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચોથી આવી ઉત્પન્ન થાય. હે ગૌતમ ! તે જઘન્ય પલ્યોપમના આઠમા ભાગની અને ઉત્કૃષ્ટ એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમની સ્થિતિવાળા જ્યોતિર્ષિકોમાં ઉત્પન્ન થાય. બાકી બધું અસુરકુમારના ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે જાણવું. વિશેષ એ કે જઘન્ય સ્થિતિ પલ્યોપમના આઠમા ભાગની અને ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમની હોય છે. અનુબંધ પણ એ પ્રમાણે જાણવો. પરન્તુ કાળાદેશથી જઘન્ય પલ્યોપમના બે આઠમા ભાગ અને ઉત્કૃષ્ટ લાખ વર્ષ અધિક ચાર પલ્યોપમ જો તે જઘન્યકાળની સ્થિતિવાળા જ્યોતિષિ કમાં ઉત્પન્ન થાય તો જઘન્ય અને ઉત્કૃષ્ટ પલ્યોપમના આઠમા ભાગની સ્થિતિવાળા જ્યોતિષિકમાં ઉત્પન્ન થાય-ઈત્યાદિ. જો તે જ જીવ ઉત્કૃષ્ટકાળની સ્થિતિવાળા જ્યોતિષિકમાં ઉત્પન્ન થાય તો તેને પણ એ જ વક્તવ્યતા કહેવી. પરનું સ્થિતિ જઘન્ય એક લાખ વર્ષ અધિક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની હોય છે. અનુબંધ પણ એ જ પ્રમાણે જાણવો. કાળાદેશથી જઘન્ય બે લાખ વર્ષ અધિક બે પલ્યોપમ અને ઉત્કૃષ્ટ એક લાખ વર્ષ અધિક કાળની સ્થિતિવાળો હોય અને જ્યોતિષિકમાં ઉત્પન્ન થાય તો તે જઘન્ય અને ઉત્કૃષ્ટ પલ્યો પમના આઠમા ભાગની સ્થિતિવાળા જ્યોતિર્ષિકમાં ઉત્પન્ન થાય. એક સમયે કેટલા ઉત્પન્ન થાય ? પૂર્વોક્ત વક્તવ્યતા કહેવી. વિશેષ એ કે શરીરનું પ્રમાણ જઘન્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy