SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ 452 ભગવઇ- 24-23859 ધનુષપૃથકત્વ અને ઉત્કૃષ્ટ અઢારસો ધનુષ કરતાં કાંઈક અધિક હોય છે. સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ પલ્યોપમના આઠમા ભાગની અને અનુબંધ પણ એ જ પ્રમાણે હોય છે. બાકી બધું પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું. કાળાદેશથી જઘન્ય અને ઉત્કૃષ્ટ પલ્યોપમના બે આઠમાભાગજઘન્યકાળની સ્થિતિવાળામાટે આ એક જ ગમ હોય છે. જો તે પોતે ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળો હોય તો તેને સામાન્ય ગમકની જેમ વક્તવ્યતા કહેવી. પરન્તુ સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની જાણવી. અનુબંધ પણ એ જ પ્રમાણે છે. પણ વિશેષ એ કે, સ્થિતિ અને સંવેધ ભેદપૂર્વક જાણવો.જો તેઓ સંખ્યાતા વર્ષના આયુ ષવાળાસંજ્ઞીપણતિર્યચોથીઆવીઉત્પન્ન થાયતોઅસુરકુમારોમાં ઉત્પન્ન થતા સંખ્યા તા વર્ષના આયુષવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચન તિર્યંચની પેઠે નવે ગમકો કહેવા. જો તેઓ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો તેને બધી વિશેષતા પૂર્વે કહેલા સંશી પંચેન્દ્રિય તિર્યંચની પેઠે કહેવી. યાવતુજેમ જ્યોતિષિકોમાં ઉત્પન્ન થતા અસંખ્યાતા વર્ષના આયુષવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિવચને સાત ગમકો કહ્યા છે તેમ જ મનુષ્યોને પણ સાત ગમકો કહેવા. અવગાહના જઘન્ય કાંઇક અધિક નવસો ધનુષ અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની હોય છે. મધ્યમના ગમકમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ કાંઈક અધિક નવસો ધનુષ અને છેલ્લા ત્રણ ગમકોમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની છે. (-શતક-૨૪ ઉદ્દેશકઃ 24:[860 હે ભગવન્! સૌધર્મદિવો ક્યાંથી આવી ઉત્પન્ન થાય ? શું નૈરયિકોથી, આવી ઉત્પન્ન થાય-ઇત્યાદિ. ત્રેવીસમા જ્યોતિર્ષિક ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે ભેદ કહેવો. હે ગૌતમ ! જઘન્ય પલ્યોપમની અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા સૌધર્મદ વોમાં ઉત્પન્ન થાય. હે ભગવન્! તે જીવો એક સમયે કેટલા ઉત્પન્ન થાય-ઈત્યાદિ બાકી ની હકીકત જ્યોતિર્ષિકમાં ઉત્પન્ન થતા અસંખ્યાતા વર્ષના આયુષવાળા સંજ્ઞી તિર્યંચ ની પેઠે કહેવી. પરન્તુ વિશેષ એ કે તે સમ્યવૃષ્ટિ પણ હોય અને મિથ્યાવૃષ્ટિ પણ હોય, જ્ઞાની પણ હોય અને અજ્ઞાની પણ હોય. તેઓને બે જ્ઞાન કે બે અજ્ઞાન અવશ્ય હોય છે. તેઓની સ્થિતિ જઘન્ય પલ્યોપમની અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની હોય છે. એ પ્રમાણે અનુબંધ પણ જાણવો. ફાળાદેશથી જઘન્ય બે પલ્યોપમ અને ઉત્કૃષ્ટ છ પલ્યોપમ હવે જે તે જઘન્યકાળની સ્થિતિવાળા સૌધર્મદિવમાં ઉત્પન્ન થાય તો તેને એ જ વક્તવ્યતા કહેવી. વિશેષ એ કે કાળાદેશથી જઘન્ય બે પલ્યોપમ અને ઉત્કૃષ્ટ ચાર પલ્યોપમ. છે તે જ જીવ ઉત્કૃષ્ટકાળની સ્થિતિવાળા સૌધર્મ દેવમાં ઉત્પન્ન થાય તો જઘન્ય અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થાય-ઇત્યાદિ પૂર્વોક્ત વક્તવ્યતા કહેવી. વિશેષ એ કે સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની જાણવી. કાલાદેશથી જઘન્ય અને ઉત્કૃષ્ટ છ પલ્યોપમજો તે પોતે જઘન્ય સ્થિતિવાળો હોય તો તે જઘન્ય અને ઉત્કૃષ્ટ પલ્યોપમની સ્થિતિવાળા સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થાય. વિશેષ એ કે શરીરનું પ્રમાણ જધન્ય ધનુષપૃથકત્વ અને ઉત્કૃષ્ટ બે ગાઉનું હોય છે. સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ પલ્યોપમની હોય છે. કાલાદેશથી જઘન્ય અને ઉત્કૃષ્ટ બે પલ્યોપમ છે તેઓ સંખ્યાતા વર્ષના આયુષવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચોથી આવી ઉત્પન્ન થાય તો તેને અસુરકુમારોમાં ઉત્પન્ન થતા સંખ્યાતા વર્ષના આયુષવાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy