SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ 42 ભગવાઈ-પ-૧૦/૧૦૨ બોલાતી ભાષા ભાષા છે. અને બોલ્યા પછીની ભાષા અભાષા છે જે તે પૂર્વની ભાષા અભાષા છે, બોલાતી ભાષા અભાષા છે અને બોલ્યા પછીની અભાષા છે. તો શું તે બોલતા પુરુષની ભાષા છે કે અબોલતા પુરુષની ભાષા છે? તે બોલતા પુરુષની ભાષા છે. પણ અબોલતા પુરુષની તો ભાષા નથીજ.” પૂર્વની ક્રિયા દુઃખ હેતુ નથી, તેને પણ ભાષાની પેઠેજ જાણવી. કરણથી તે દુઃખ હેતુ છે. પણ અકરણથી તે દુઃખ હેતુ નથી. એ પ્રમાણે કહેવાય.” કૃત્ય દુઃખ છે, સૃશ્ય દુઃખ છે, ક્રિયામાણ કત દુઃખ છે, તેને કરી કરીને પ્રાણી, ભૂતો જીવો અને સત્વો વેદનાને વેદે છે. એમ કહેવાય. [103 હે ભગવન્અન્યતીર્થિકો કહે છે કે, પાવતુ એક જીવ એક સમયે બે ક્રિયાઓ કરે છે. તે આ પ્રમાણે :- ઐયપિથિક અને સાંપરાયિકી. જે સમયે ઐયપથિકી ક્રિયા કરે છે તે સમયે સાંયરાયિકી ક્રિયા કરે છે અને જે સમયે સાંપરાયિકી ક્રિયા કરે છે તે સમયે ઐયપથિકી ક્રિયા કરે છે ઐયપથિકી ક્રિયા કરવાથી સાંપરાયિકી ક્રિયા કરે છે અને સાંપરાયિકી ક્રિયા કરવાથી ઐયપિથિકી ક્રિયા કરે છે એ પ્રમાણે એક જીવ એક સમયે બે ક્રિયા કરે છે. હે ભગવન્! એ તે એ પ્રમાણે કેવી રીતે હોય? હે ગૌતમ ! જે તે અન્યતીર્થિકો કહે છે. તે ખોટું કહ્યું છે. હું આ પ્રમાણે કહું છું કે, એક જીવ એક સમયે એક ક્રિયા કરે છે. અહીં પરતીથિકનું તથા સ્વસમયનું વક્તવ્ય કહેવું યાવતુ- પથિકી અથવા સાંપરાવિકી ક્રિયા કરે છે. 104] હે ગૌતમ ! જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત સુધી નારકી ઉત્પાત વિનાની કહી છે. અહીં એ પ્રમાણે વ્યુત્ક્રાંતિ પદ આખું કહેવું. હે ભગવન્! તે એ પ્રમાણે છે. હે ભગવન્! તે એ પ્રમાણે છે. એમ કહી યાવતુ વિહરે છે. શતક-૧ની ઉદ્દેસા-૧૦ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] || શતક-૧ ની ગુર્જરછાયા પૂર્ણ ] ( શતક 2 ) .. - ઉદેસો 1 - [105 ૧-ઉદ્દેશામાં શ્વાસોચ્છવાસ અને સ્કંદકનામના અનગાર વિષે, ૨સમુદુધાત વિષે વિવેચન, ૩-પૃથિવી વિષે વિચાર, ૪-ઈદ્રિયો વિષે વિચાર, 5- અન્યતીર્થિકોનો અધિકાર, ૬-ભાષા સંબંધે વિવેચન, ૩-દેવનો અધિકાર, ૮-ચમચંચા નામની વાત છે, ૯-સમયક્ષેત્રનું સ્વરૂપ, ૧૦-અસ્તિકાય સંબંધે વિવેચન છે. [10] તે કાલે અને તે સમયે રાજગૃહ નામનું નગર હતું, જાણી લેવું. સ્વામી સમોસ. તેઓની દેશના સાંભળવા સભા મળી. તેઓએ ધર્મ કહ્યો તે સાંભળી સભા વિસર્જીત થઈ. તે કાલે તે સમયે ભગવંતના મોટા શિષ્ય પર્યપાસના કરતા આ પ્રમાણે બોલ્યા- હે ભગવન ! જે બે ઈદ્રિયવાળા, ત્રણ ઇંદ્રિયવાળા ચાર ઇંદ્રિયવાળા અને પાંચ ઈદ્રિયવાળા જીવો છે. તેઓના અંદરના અને બહારના ઉચ્છવાસને અને નિઃશ્વાસને જાણીએ છીએ. દેખીએ છીએ પણ જે એક ઈકિયાવાળા પૃથિવીના જીવો છે, યાવતુંવનસ્પતિના જીવો છે. તેઓના અંદરના અને બહારના ઉચ્છવાસને તથા નિઃશ્વાસને જાણતા નથી, દેખતા નથી, તો શું હે ભગવન્! તે એક ઈદ્રિયવાળા જીવો અંદરના અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy