SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧, ઉદ્દેશો-૧૦ ચોંટતા નથી ? બે પરમાણુ પુદ્ગલોમાં ચીકાશ નથી માટે તે બે પરમાણુ પુદ્ગલો એક એકને ચોંટતા નથી.” ત્રણ પરમાણુ યુગલો એક એકને પરસ્પર ચોંટી જાય છે, ત્રણ. પરમાણુ યુગલો એક એકને પરસ્પર ચોંટે છે તેનું શું કારણ? ત્રણ, પરમાણુ યુદ્ગલોમાં ચીકાશ હોય છે. માટે તે ત્રણ પરમાણુ યુગલો એક એકને પરસ્પર ચોંટી જાય છે. વળી જો તેના બે ભાગ પણ થઈ શકે છે અને ત્રણ ભાગ પણ થઈ શકે છે, જો તે ત્રણ પરમાણુ પુદ્ગલના બે ભાગ કરવામાં આવે તે એક તરફ દોઢ પરમાણું આવે છે અને બીજી તરફ પણ દોઢ પરમાણુ આવે છે. ને જો તે ત્રણ પરમાણુ યુગલના ત્રણ ભાગ કરવામાં આવે તો ત્રણે પરમાણુ યુગલો એક એક એમ જુદા જુદા થઈ જાય છે. એ પ્રમાણે યાવતુ-ચાર પરમાણુ યુદ્ગલો વિષે પણ જાણવું. “પાંચ પાંચ પરમાણુ યુગલો એકએકને પરસ્પર ચોંટી જાય છે અને દુખપણે કર્મપણે થાય છે તે દુઃખ કર્મ શાશ્વત છે અને હંમેશાં સારી રીતે ઉપચય પામે છે તથા અપચય પામે છે.” “બોલવાના સમયની પૂર્વે જે ભાષાના પુદ્ગલો છે જે ભાષા છે બોલવાના સમયની જે ભાષા છે અને બોલવાના સમય પછીની-જે (ભાષા) બોલાએલી છે તે ભાષા છે.” “જે તે પૂર્વની ભાષા ભાષા છે, બોલતી ભાષા અભાષા છે અને બોલવાના સમય પછીની જે ભાષા બોલાએલી છે તે ભાષા છે, તો શું તે બોલતા પુરુષોની ભાષા છે? અણબોલતા પુરુષોની ભાષા છે. પણ તે બોલતા પુરુષની તો ભાષા નથી" જે તે પૂર્વની ક્રિયા છે તે દુઃખહેતુ છે. કરાતી ક્રિયા દુઃખ હેતુ નથી. અને કરવાના સમય પછીની જે ક્રિયા છે તે દુઃખ હેતુ છે તો શું તે કરણથી દુઃખ હેતુ છે કે અકરણથી દુઃખ હતુ છે ? તે અકરણથી દુઃખ હેતુ છે પણ કરણથી દુઃખ હતુ. નથીજ. તે એ પ્રમાણે વક્તવ્ય છે. “અન્ય દુઃખ છે, અસ્પૃશ્ય દુઃખ છે-અક્રિયમાણ કત દુઃખ છે, તેને નહીં કરીને, પ્રાણો, ભૂતો,જીવો અને સત્વો વેદનાને વેદે છે તે એ પ્રમાણે છે.” હે ભગવન! એ તે કેવી રીતે એ પ્રમાણે હોય? હે ગૌતમ! જે તે અન્યતીથિંકો કહે છે કે, વેદનાને વેદે, એમ કહેવાય. તેઓએ જે એ પ્રમાણે કહ્યું છે, તે ખોટું કહ્યું છે. વળી હે ગૌતમ! હું એમ કહું છું કે, ચાલતું હોય તે ચાલ્યું કહેવાય અને યાવત્-નિર્જરાતું હોય તે નિર્જરાયું કહેવાય.બે પરમાણુ યુગલો એક એક પરસ્પર ચોંટી જાય છે. અને તે બે પરમાણુ યુગલો પરસ્પર ચોંટી જાય છે તેનું શું કારણ? બે પરમાણુ પુદ્ગલોમાં ચીકાશ છે, માટે બે પરમાણુ એક એકને પરસ્પર ચોંટી જાય છે. અને તે બે પરમાણુ યુદ્ગલોના બે ભાગ થઈ શકે છે. જે તે બે પરમાણુ પુદગલોના બે ભાગ કરવામાં આવે તો એક તરફ એક પરમાણુ પુદ્ગલ અને બીજી તરફ એક પરમાણુ પુદ્ગલ છે.” ત્રણ પરમાણુ પુદ્ગલો એક એક પરસ્પર ચોંટી જાય છે. અને તે ત્રણ પરમાણુ પુદ્ગલો પરસ્પર ચોંટી જાય છે તેનું શું કારણ? ત્રણ પરમાણુ યુદ્ગલોમાં ચીકાશ છે માટે ત્રણ પરમાણુ પુદ્ગલો. એક એક પરસ્પર ચોંટી જાય છે. અને તે ત્રણ પરમાણુ પુદ્ગલના બે તથા ત્રણ ભાગ થઈ શકે છે. જો તેના બે ભાગ કરવામાં આવે તો એક તરફ એક પરમાણુ યુગલ આવે છે અને એક તરફ બે પ્રદેશવાળો એક સ્કંધ આવે છે. જો તેના ત્રણ ભાગ કરવામાં આવે તો એક એક એમ ત્રણે પરમાણુઓ જુદા જુદા થઈ જાય છે. આ પ્રમાણે ચાર પરમાણુઓ સંબંધે પણ જાણવું.” પાંચ પરમાણુ પુદ્ગલો એક એક પરસ્પર ચોંટી જાય છે. અને તે પરસ્પર ચોંટી ગયા પછી એક સ્કંધરૂપે બની જાય છે તથા તે સ્કંધ અશાશ્વત છે અને હંમેશાં સારી રીતે ઉપચય પામે છે, અપચય પામે છે. પૂર્વની ભાષા અભાષા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy