SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૨, ઉસો-૧ 43 બહારના ઉચ્છુવાસને લે છે ? તથા અંદરના અને બહારના નિઃશ્વાસને મૂકે છે ? હે ગૌતમ ! હા, એ એક ઇંદ્રિયવાળા જીવો પણ બહારના અને અંદરના ઉચ્છવાસને લે છે તથા નિઃશ્વાસને મૂકે છે. [10] હે ભગવન્! તે જીવો કેવા પ્રકારનાં દ્રવ્યોને બહારના અને અંદરના શ્વાસમાં લે છે? તથા નિશ્વાસમાં મૂકે છે? હે ગૌતમ! દ્રવ્યથી અનંત પ્રદેશવાળા દ્રવ્યોને, ક્ષેત્રથી અસંખ્ય પ્રદેશમાં રહેલાં દ્રવ્યોને કાળથી કોઇપણ જાતની સ્થિતિવાળાં દ્રવ્યોને, બિહારના અને અંદરના નિઃશ્વાસમાં મૂકે છે. હે ભગવન! તે જીવો ભાવથી વર્ણવાળાં જે દ્રવ્યોને બહારના અને અંદરના શ્વાસમાં લે છે તથા મૂકે છે તે દ્રવ્યો શું એક વર્ણવાળાં છે? હે ગૌતમ ! અહીં આહારગામ જાણવો અને તે યાવતુ-પાંચ દિશા તરફથી શ્વાસ અને નિઃશ્વાસના અણુઓ મેળવે છે. હે ભગવન્! નૈરયિકો કેવા પ્રકારનાં દ્રવ્યોને બહારના અને અંદરના શ્વાસમાં લે છે? અને નિઃશ્વાસમાં મૂકે છે? હે ગૌતમ તે સંબંધે પૂર્વ પ્રમાણેજ જાણવું ને નિયમે છએ દિશામાંથી બહારના અને અંદરના શ્વાસ અને નિઃશ્વાસના. અણુઓને મેળવે છે. જીવો અને એ કેદ્રિયો સંબંધે એમ કહેવું કે, તેઓને જે કાંઈ વ્યાઘાત ન હોય તો તેઓ બધી દિશાઓમાંથી શ્વાસ અને નિઃશ્વાસના અણુઓ મેળવે છે. અને જો તેઓને કાંઈ અડચણ હોય તો તે એ દિશામાંથી શ્વાસ અને નિઃશ્વાસના અણુઓ મેળવી શકતા નથી, પણ કોઇવાર ત્રણ દિશામાંથી કોઇવાર ચાર દિશામાંથી અને કોઇવાર પાંચ દિશામાંથી શ્વાસ અને નિઃશ્વાસના અણુઓ મેળવે છે અને બાકી બધા જીવો ચોક્કસ છએ દિશામાંથી શ્વાસ તથા નિઃશ્વાસ મેળવે છે. હે ભગવન્! વાયુકાય વાયુકાયોનેજ અંદરના અને બહારના શ્વાસમાં લે છે ? તથા તેઓનેજ અંદરના અને બહારના નિઃશ્વાસમાં મૂકે છે? હે ગૌતમ! હા તે તેમજ છે. [108] હે ભગવન્! વાયુકાય વાયુકાયમાં અનેકવાર મરીને પાછો ત્યાંજ ઉત્પન્ન થાય? હે ગૌતમ ! તે પાછો ત્યાંજ આવે. હે ભગવન્! તે વાયુકાય સ્વજાતિના અથવા પરજાતિના જીવો સાથે અથડાવાથી મરણ પામે? કે કોઈ સાથે અથડાયા સિવાય મરણ પામે ? હે ગૌતમ ! અથડાવાથી મરણ પામે. પણ કોઈ સાતે અથડાયા સિવાય તે મરે નહિં. હે ભગવન્! તે શરીરવાળો થઈને જાય છે કે શરીરવિનાનો થઈને જાય છે તે ગૌતમ ! વાયુકાયને ચાર શરીર કહ્યાં છે. ઔદારિક, વૈક્રિય. તૈજસ, અને કામણ. તેમાં ઔદારિક અને વૈક્રિય શરીરને છોડીને જાય છે માટે શરીરવિનાનો થઈને જાય છે અને તૈજસ તથા કામણ શરીરને સાથે લઈને જાય છે માટે શરીરવાળો થઈને જાય છે. [10] હે ભગવન્! જેણે સંસારને નિરોધ્યો નથી, પ્રપંચોને નિરોધ્યા નથી, જેનો સંસાર ક્ષીણ થયો નથી, જેનુ સંસાર વેદનીય કર્મક્ષીણ થયું નથી, જેનો સંસાર વ્યછિન્ન નથી, જેનું સંસારવેદનીયકર્મબુચ્છિન્ન થયું નથી, જે સિદપ્રયોજન નથી તેવો મૃતાદી અનગાર શું ફરીને પણ તુરત મનુષ્યપણા આદિક ભવને પામે છે ગૌતમ! પૂર્વ પ્રમાણેના સ્વરૂપવાળો સાધુ ફરીને પણ તુરત મનુષ્યાદિક ભવને પામે. [11] હે ભગવન્! તે નિગ્રંથના જીવને ક્યા શબ્દથી બોલાવાય? હે ગૌતમ ! તે કદાચ પ્રાણ” કહેવાય, કદાચ ભૂત કહેવાય, કદાચ ‘જીવ’ કહેવાય કદાચ સત્વ કહેવાય, કદાચ 'વિશ' કહેવાય. અને કદાચ ‘વેદ કહેવાય, તથા કદાચ પ્રાણ’ ‘ભૂત’ ‘જીવ” “સત્ત્વ' ‘વિજ્ઞ’ અને વેદ પણ કહેવાય. હે ભગવન્! તે “પ્રાણ” કહેવાય અને ‘વેદ' કહેવાય, તેનું શું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy