SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ 44 ભગવઇ-૨૪-૨૮૫૬ જો તે સંજ્ઞી મનુષ્ય જઘન્ય કાળની સ્થિતિવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકમાં ઉત્પન્ન થાય તો તેને એ જ પૂર્વોક્ત વક્તવ્યતા કહેવી. પરન્તુ કાળાદેશથી જઘન્ય અત્તમુહૂર્ત અને ઉત્કૃષ્ટ ચાર અન્તર્મુહૂર્ત અધિક ચાર પૂર્વકોટી વર્ષ-એટલો કાળ ચાવતુ ગમના ગમન કરે. જો તે જ મનુષ્ય ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા તિર્યંચમાં ઉત્પન્ન થાય તો તે જઘન્ય અને ઉત્કૃષ્ટત્રણપલ્યોપમનીસ્થિતિવાળા સંજ્ઞી પં તિર્યંચમાં ઉત્પન્ન થાય. (અહીં પણ એ જ પૂર્વોક્ત વક્તવ્યતા કહેવી. પણ વિશેષ એ કે શરીરપ્રમાણ જઘન્ય અંગુલ પૃથકત્વ અને ઉત્કૃષ્ટ પાંચસો ધનુષ હોય છે. આયુષ જઘન્ય માસપૃથકત્વ અને ઉત્કૃષ્ટ પૂર્વકોટી હોય છે. એ પ્રમાણે અનુબંધ પણ જાણવો. ભવાદેશથી બે ભવ તથા કાળાદેશથી જઘન્ય માસપૃથકત્વ અધિક ત્રણપલ્યોપમ ઉત્કૃષ્ટ પૂર્વકોટી અધિક ત્રણ પલ્યોપમ. જો તે સંજ્ઞી મનુષ્ય પોતે જઘન્યસ્થિતિવાળો હોય તો તેને જેમ પંચેન્દ્રિય તિચિમાં ઉત્પન થતા પંચેન્દ્રિય તિર્યંચની મધ્યમ ત્રણ ગમકોની વક્તવ્યતા કહી છે તેમ આની પણ મધ્યમ ત્રણ ગમફોની બધી વક્તવ્યતા કહેવી. પણ એ કે પરિમાણ “ઉત્કૃષ્ટ સંખ્યાતા ઉપજે એમ કહેવું, અને બાકી બધુ પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું. જો તે પોતે ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળો હોય તો તેને પ્રથમ ગમકની વક્તવ્યતા કહેવી. પણ વિશેષ એ કે શરીરની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ પાંચસો ધનુષની હોય છે. સ્થિતિ અને અનુબંધ જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટી હોય છે. બાકી બધુ યાવત્ ભવાદેશ સુધી તે જ પ્રાણે જાણવું. કાળાદેશથી જઘન્ય અન્તર્મુહૂત અધિક પૂર્વકોટી અને ઉત્કૃષ્ટ પૂર્વકોટી પૃથકત્વ અધિક ત્રણ પલ્યોપમ જો તે જ મનુષ્ય જઘન્ય સ્થિતિવાળા તિર્યંચમાં ઉત્પન્ન થાય તો તેને એ જ વક્તવ્યતા કહેવી. પણ વિશેષ એ કે કાળાદેશથી જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક પૂર્વકોટી અને ઉત્કૃષ્ટ ચાર અન્તર્મુહૂર્ત અધિક ચાર પૂર્વકોટી જો તે જ મનુષ્ય ઉત્કૃષ્ટકાળની સ્થિતિવાળા સંજ્ઞી પં તિર્યંચયોનિકમાં ઉત્પન્ન થાય તો તે જઘન્ય અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા સંજ્ઞી પં તિર્યંચમાં ઉત્પન્ન થાય. અહિં પૂર્વોક્ત સાતમા ગેમકની વક્તવ્યતા કહેવી. ભવાદેશથી બે ભવ અને કાળાદેશથી જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટી અધિક ત્રણા પલ્યોપમ તેઓ ભવનવાસી દેવોથી, અને ધાવતુ-વૈમાનિક દેવોથી પણ આવી ઉત્પન્નથાય. તેઓ અસુરકુમારોથી, યાવતુ-સ્તુનિતકુમાર ભવનવાસી દેવોથી આવી ઉત્પન્ન થાય છે. હે ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટીની સ્થિતિવાળા સંજ્ઞી પં તિર્યંચમાં ઉત્પન્ન થાય. તેને નવે ગમનમાં જે વક્તવ્યતા પૃથિવીકાયિકોમાં ઉત્પન્ન થતા અસુરકુમારીની કહી છે તેમ કહેવી. એ પ્રમાણે વાવતુ-ઈશાનદેવ લોક સુધી પણ તે પ્રમાણે વક્તવ્યતા કહેવી. ભવાદેશ બધે ઠેકાણે ઉત્કૃષ્ટ આઠ ભવ જધન્ય બે ભવ હોય છે. અહીં સર્વ ઠેકાણે સ્થિતિ અને સંવેધ ભિન્ન જાણવો. હે ભગવનું ! જે નાગકુમાર, પંચેન્દ્રિય તિર્યંચયોનિ- કોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા કાળની સ્થિતિવાળા એ 5 તિર્યંચમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ ! અહીં બધી પૂર્વોક્ત વક્તવ્યતા કહેવી. પણ વિશેષ એ કે સ્થિતિ અને સંવેધ (ભિન્ન) જાણવો. એ પ્રમાણે યાવતુ-સ્તનિતકુમાર સુધી જાણવું. હે ભગવન્! જો તે (સંજ્ઞી પં તિર્યંચો) વાવ્યન્તરોથી આવી ઉત્પન્ન થાય તો શું પિશાચ વાનવ્યન્તરોથી આવી ઉત્પન્ન થાય-ઇત્યાદિ બધું પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy