SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૨૪, ઉસો-૨૦ 447 વાવ- હે ભગવન ! જે વાનધ્યન્તર, પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા કાળની સ્થિતિવાળા સંજ્ઞી પં તિર્યંચમાં ઉત્પન્ન થાય ? પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું. પણ વિશેષ એ કે અહીં સ્થિતિ અને સંવેધ ભિન્ન જાણવો. જો તે જ્યોતિષિકોથી આવી ઉત્પન્ન થાય તો તેને પૂર્વે કહ્યા પ્રમાણે-પૃથિવી કાયિકમાં ઉત્પન્ન થતા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચને કહ્યા પ્રમાણે ઉપપાત કહેવો. યાવતુ-હે ભગવન્! જે જ્યોતિષિક, પંચેન્દ્રિય તિયચયોનિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા કાળની સ્થિતિવાળા સં પં તિર્યંચમાં ઉત્પન થાય ? એ જ પૂર્વોક્ત વક્તવ્યતા જેમ પૃથિવીકાયિક ઉદ્દેશકમાં કહેલી છે તેમ કહેવી. નવે ગમકમાં આઠ ભવો જાણવા. પાવતુકાળાદેશથી જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક પલ્યોપમનો આઠમો ભાગ અને ઉત્કૃષ્ટ ચાર પૂર્વકોટી અધિક પલ્યોપમ એટલો કાળ યાવતુ-ગતિઆગતિ કરે. એ પ્રમાણે નવે ગમ કોમાં જાણવું. પણ વિશેષ એ કે અહીં સ્થિતિ અને સંવેધ ભિન્ન જાણ. જો તેઓ વૈમાનિક દેવોથી આવી ઉત્પન્ન થાય, પણ કલ્પાતીત વૈમાનિક દેવોથી આવી ન ઉત્પન્ન થાય. જો કલ્યોપપન વૈમાનિક દેવોથી આવી ઉત્પન્ન થાય તો યાવતુ-સહસ્રાર કલ્પોપ પન્નક વૈમાનિક દેવોથી આવી ઉત્પન્ન થાય, પણ આનત કલ્પોપન્ક, યાવતુ અશ્રુત કલ્પોપન્નકથી આવી ઉત્પન્ન ન થાય. હે ભગવન્! જે સૌધર્મ દેવ, પંચેન્દ્રિય તિર્યંચયો નિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા કાળની સ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! તે જઘન્ય અન્તર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટી આયુષવાળા પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થાય. બાકી બધું નવું ગમકોને આશ્રયી પૃથિવીકાયિક ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે કહેવું, પણ વિશેષ એ કે નવે ગમકોમાં સંવેધ-ભવની અપેક્ષાએ જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ આઠ ભવનો હોય છે. સ્થિતિ અને કાળાદેશ (ભિન્ન ભિન્ન જાણવા. એ પ્રમાણે ઈશાન દેવ સંબંધે પણ જાણવું. તથા એ જ ક્રમવડે બાકી બધા દેવોના. યાવતુ-સહસ્ત્રાર દેવ સુધી ઉપપાત કહેવો. પરન્તુ અવગાહના, અવગાહના સંસ્થાન પદમાં કહ્યા પ્રમાણે જાણવી. વેશ્યા-સનકુમાર, માહેન્દ્ર અને બ્રહ્મલોકમાં એક પદ્મ લેશ્યા અને બાકી બધાને એક શુક્લલેશ્યા જાણવી. વેદમાં સ્ત્રીવેદવાળા અને નપુંસક વેદવાળા નથી, પણ પુરુષવેદવાળા હોય છે. સ્થિતિપદમાં કહ્યા પ્રમાણે આયુષ અને અનુબંધ જાણવો. બાકી બધું ઈશાન દેવોની પેઠે જાણવું, તેમજ અહિં કાયસંવેધ જુદો કહેવો. “હે ભગવન્! તે એમજ છે, હે ભગવન્! તે એમજ છે. શતક ૨૪-ઉદ્દેસાઃ ૨૦નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (-ઉદ્દેશકઃ 21 - ) [857] હે ભગવન્! મનુષ્યો ક્યાંથી આવી ઉત્પન્ન થાય? શું નૈરયિકોથી, કે થાવતુ-દેવોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ ! તેઓ નરયિકોથી આવી ઉત્પન્ન થાય, થાવતુ દેવોથી પણ. આવી ઉત્પન્ન થાય. એ પ્રમાણે અહીં પંચેન્દ્રિય તિર્યંચયોનિક ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે ઉપપાત કહેવો. યાવતુ-છઠ્ઠી. તમા પૃથિવીના મરયિકોથી આવી ઉત્પન્ન થાય પણ સાતમી તમતમા પૃથિવીના નૈરયિકોથી આવી ન ઉત્પન્ન થાય. હે ભગવન! રત્નપ્રભાથિવીનો નૈરયિક જે મનુષ્યોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા કાળની સ્થિતિવાળા મનુષ્યમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! તે જઘન્ય બે માસથી આરંભી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy