SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૨૪, ઉદેસો-૧૨ થી 19 439 થાય? હે ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ બાવીશ હજાર વર્ષ તે જીવ એક સમયે કેટલા ઉત્પન્ન થાય ? રત્નપ્રભામાં ઉત્પન્ન થવાને યોગ્ય મનુષ્યની જે વક્તવ્યતા કહી છે તે અહિં ત્રણે આલાપકમાં કહેવી. પણ વિશેષ એ કે શરીરની અવગાહના જધન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ પાંચસો ધનુષ હોય છે, સ્થિતિ જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટીની છે. એ પ્રમાણે અનુબંધ પણ જાણવો. સંવેધ જેમ સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચનો કહ્યો છે તેમ નવે ગમોમાં કહેવો. વચ્ચેના ત્રણ ગમોમાં સંશી. પંચેન્દ્રિય તિર્યંચની વક્તવ્યતા કહેવી. તથા છેલ્લા ત્રણ ગમ કો આ ઔધિક-સામાન્ય ગમની પેઠે કહેવા.વિશેષ એ કે શરીરની અવગા- હનાજઘન્ય અને ઉત્કૃષ્ટપાંચસો ધનુષ ની હોય છે. સ્થિતિ અને અનુબંધ જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકટીની હોય છે. જો તે પૃથિ વીકાયિકો દેવોથી આવી ઉત્પન્ન થાય તો કે કયા દેવોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! ચારે દેવોથી જે તે ભવનપતિ દેવોથી આવી ઉત્પન્ન થાય તો શું અસુરકુમારોથી આવી ઉત્પન્ન થાય કે યાવતુ-સ્વનિતકુમારોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! તે સર્વેથી. હે ભગવન! અસરકુમાર જે પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા કાળની સ્થિતિવાળા પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ બાવીસ હજાર વર્ષની સ્થિતિવાળા. તે અસુરકુમારો એક સમયે કેટલા. ઉત્પન્ન થાય? તેઓ જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થાય. હે ભગવનું ! તે જીવોનાં શરીરો કેટલા સંઘયાવાળાં હોય છે ? છ પ્રકારના. સંઘયણ રહિત હોય છે હે ભગવન્! તે જીવોનાં શરીરની કેટલી મોટી અવગાહના કહી. છે? હે ગૌતમ ! તેઓને ભવધારણીય અને ઉત્તરક્રિય અને બે જાતની અવગાહના હોય. છે. તેમાં જે ભવધારણીય અવગાહના છે તે જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ સાત હાથની છે, અને જે ઉત્તરવૈક્રિય અવગાહના છે તે જઘન્ય અંગુલનો સંખ્યાત મો ભાગ અને ઉત્કૃષ્ટ એક લાખ યોજન હોય છે. હે ભગવન્! તે જીવોનાં શરીરો કેટલા. સંસ્થાનવાળાં હોય છે? હે ગૌતમ ભવધારણીય શરીર છે તેને સમચતુરસ્ત્ર સંસ્થાના હોય છે, અને જે ઉત્તરવૈક્રિય છે તે અનેક પ્રકારનું સંસ્થાન હોય છે. વેશ્યાઓ ચાર છે. બ્રિષ્ટિ ત્રણે, ત્રમ જ્ઞાન અવશ્ય હોય,અજ્ઞાન ત્રણ ભજનાએ હોય છે. ત્રણ યોગ, બન્ને ઉપયોગ, ચાર સંજ્ઞાઓ, ચાર કષાયો, પાંચ ઈન્દ્રિયો અને પાંચ સમુધાત હોય છે. વેદના બન્ને પ્રકારની હોય છે. સ્ત્રીવેદ અને પુરુષવેદ હોય છે સ્થિતિ જઘન્ય દસ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ કાંઈક અધિક સાગરોપમ હોય છે. અધ્યવસાયો.અનુબંધ સ્થિ તિની પેઠે જાણવી.ભવની અપેક્ષાએ બે ભવ અને કાળની અપેક્ષાએ જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ બાવીશ હજાર વર્ષ અધિક અધિક સાગરોપમ પણ વિશેષ એ કે મધ્યના ત્રણ અને છેલ્લા ત્રણ ગમોમાં અસુરકુમારોની સ્થિતિસંબંધે વિશેષતા હોય છે, બાકી બધી ઔધિક વક્તવ્યતા અને કાયસંવેધ જાણવો. સંવેધમાં બધે ઠેકાણે બે ભવ જાણવા. એ પ્રમાણે યાવતુ-ગમમાં કાળાદેશથી જઘન્ય અને ઉત્કૃષ્ટ સાધિક સાગરોપમ સહિત બાવીશ હજાર વર્ષ-એટલો કાળ યાવતુ-ગતિઅગતિ કરે. હે ભગવન્! જે નાગકુમાર દેવ પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા કાળની સ્થિતિવાળા પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થાય. અહિં પૂર્વોક્ત બધી અસુરકુમારોની વક્તવ્યતા યાવ-ભવાદેશ સુધી કહેવી. પણ વિશેષ એ કે સ્થિતિ જઘન્ય દસ હજાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy