SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ 438 ભગવાઈ - 24-12 થી 19847 એમ બેઈજિયના ઔધિક ગમકની વક્તવ્યતા અહિં કહેવી. પણ વિશેષ એ કે અહિં શરીરની જધન્ય અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ એક હજાર યોજન જેટલી છે. તેઓને પાંચ ઈન્દ્રિયો છે. સ્થિતિ અને અનુબંધ જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટીની છે. ભવની અપેક્ષાએ જઘન્ય બે ભવ ઉત્કૃષ્ટ આઠ ભવ તથા કાળની અપેક્ષાએ જઘન્ય બે અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અઠ્યાવીસ હજાર વર્ષ અધિક ચાર પૂર્વ કોટીનવે ગમકોમાં ભવની અપેક્ષાએ જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ આઠ ભવ હોય છે. અને કાળની અપેક્ષાએ ઉપયોગપૂર્વક કાયસંવેધ કહેવો. પણ વિશેષ એક વચ્ચે ના ત્રણે ગમકોમાં બેઈદ્રિયના વચ્ચેના ગમકો પેઠે જાણવું. અને છેલ્લા ત્રણે ગમકોમાં આના પ્રથમના ત્રણ ગમકોની પેઠે સમજવું. પણ વિશેષ એ કે સ્થિતિ અને અનુબંધ જઘન્ય તથા ઉત્કૃષ્ટ પૂર્વકોટી હોય છે. જો તે પૃથિવીકાયિક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ યોનિકોથી આવી ઉત્પન્ન થાય તો શું સંખ્યાતા વર્ષના આયુષવાળા કે અસંખ્યાતા. વર્ષના આયુષવાળાથી આવી ઉત- પન્ન થાય ? હે ગૌતમ ! તે સંખ્યાતા વર્ષના આયુષ. વાળા તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય. જો સંખ્યાતા વર્ષના આયુષવાળા સં૫. તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય તો શું જલચરોથી આવી ઉત્પન્ન થાય-ઈત્યાદિ બાકીની બધી વક્તવ્યતા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચની પેઠે જાણવીયાવતુ હે ભગવન્! તે એક સમયે કેટલા ઉત્પન્ન થાય? હે ગૌતમ! જેમ રત્નપ્રભામાં ઉપજવાને યોગ્ય સંsી પંચેન્દ્રિય તિર્યંચની વક્ત- વ્યતા કહી છે. તેમ અહિં પણ કહેવી. પણ વિશેષ એએ કે શરીરની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યા. તમો ભાગ અને ઉત્કૃષ્ટ એક હજાર યોજન હોય છે. એ પ્રમાણે નવે ગમતીમાં બધો સંવેધ અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચની પેઠે કહેવો. પ્રથમના ત્રણ અને વચ્ચેના ત્રણે ગમોમાં પણ એ જ લબ્ધિ કહેવી. પણ વચ્ચેના ત્રણે ગમકોમાં આ નવ વિશેષતાઓ છે-“શરીરની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલનો અસંખ્યાતમો ભાગ,ત્રણ વેશ્યાઓમિથ્યા દ્રષ્ટિ બે અજ્ઞાન કાયયોગ, ત્રણ સમુદ્ધાતો હોય છે, ચિતિ જધન્ય અને ઉત્કૃષ્ટ અન્ત મુહુર્ત હોય છે, અધ્યવસાય અપ્રશસ્ત છે અને અનુબંધ સ્થિતિની પ્રમાણે જાણવો.” તથા છેલ્લા ત્રણે આલા-પકમાં પ્રથમ ગમકની પેઠે વક્તવ્યતા કહેવી. પણ વિશેષ એ કે સ્થિતિ અને અનુબંધ જધન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટીની હોય છે. [૮૪૮]હે ભગવન્! જો તે પૃથિવીકાયિકો મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું સંજ્ઞી મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય કે અસંજ્ઞી મનુષ્યોથી અસંજ્ઞી મનુષ્ય, જે પૃથિવી કાયિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા કાળની સ્થિતિવાળા પૃથિવી કાયિકમાં ઉત્પન્ન થાય ? જેમ જઘન્યકાળની સ્થિતિવાળા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક સંબંધે ત્રણ ગમો કહ્યા છે તેમ આ સંબંધે પણ સામાન્ય ત્રણ ગુમકો સંપૂર્ણ કહેવા અને બાકીના છ ગમકો ન કહેવા. જો તેઓ સંસી મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું સંખ્યાતા વર્ષના આયુષવાળા કે અસંખ્યાતા વર્ષના આયુષવાળા સંજ્ઞી મનુષ્યોથી તેઓ સંખ્યાતા વર્ષ આયુષવાળા સંજ્ઞી મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય, જો તેઓ સંખ્યા. તા વર્ષના આયુષવાળા મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું પર્યાપ્ત કે અપર્યાપ્તા? બન્ને. હે ભગવન્! સંખ્યાતા વર્ષના આયુષવાળા પર્યાપ્તા સંજ્ઞી મનુષ્ય, જે પૃથિવીકાયિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા કાળની સ્થિતિવાળા પૃથિવી કાયિકોમાં ઉત્પન્ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy