SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ 440. ભગવાઈ- 24-12 થી 19848 વર્ષ અને ઉત્કૃષ્ટ કાંઈક ન્યૂન બે પલ્યોપમની હોય છે. એ પ્રમાણે અનુબંધે પણ જાણવો. કાળની અપેક્ષાએ જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ કાંઈક ન્યૂન બે પલ્યોપમ સહિત બાવીશ હજાર વર્ષ નવે આલાપકો અસુરકુમારના આલાપકની પેઠે જાણવા. પણ વિશેષ એ કે અહિં સ્થિતિ અને કાળાદેશ ભિન્ન) જાણવો. એ પ્રમાણે થાવતું સ્વનિતકુમારો સુધી જણવું. જો તેઓ વાનવ્યન્તરોથી આવી ઉત્પન્ન થાય તો શું પિશાચ વાનવ્યન્તરોથી, કે યાવતુ-ગાંધર્વવ્યાનધ્યત્તરોથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! સર્વેથી વાનધ્યન્તરદેવ જે પૃથિવીકાયિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા કાળની સ્થિતિવાળા પૃથિવીકાયિકોમાં આવી ઉત્પન્ન થાય? અહિં પણ અસુરકુમારોની પેઠે ન ગમકો કહેવા. પણ વિશેષ એ કે અહિં સ્થિતિ તથા કાળાદેશ (ભિત્ર) જાણવો. સ્થિતિ જઘન્ય દસ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ પલ્યોપમની હોય છે. જે તેઓ જ્યોતિષ્ક દેવોથી આવી ઉત્પન્ન થાય તો કયા જ્યોતિષ્ક દેવોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! સર્વેથી જે જ્યોતિષ્કદેવ પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે, તે કેટલા કાળની સ્થિતિવાળા પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થાય ? અહિં અસુરકુમારોના લબ્ધિ-વક્તવ્ય તાની પેઠે સઘળી વક્તવ્યતા કહેવી. પણ વિશેષ એ કે તેઓને એક તેજલેશ્યા હોય છે. ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન અવશ્ય હોય છે. સ્થિતિ જઘન્ય પલ્યોપમનો આઠમો ભાગ અને ઉત્કૃષ્ટ એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમ હોય છે. એ પ્રમાણે અનુબંધ પણ જાણવો. (સંવેધ) કાળની અપેક્ષાએ જધન્ય અન્તર્મુહૂર્ત અધિક પલ્યોપમનો આઠમો. ભાગ અને ઉત્કૃષ્ટ એક લાખ બાવીશ હજાર વર્ષ અધિક એક પલ્યોપમએ પ્રમાણે બાકી ના આઠ ગમો પણ જાણવા. પણ વિશેષ એ કે અહિં સ્થિતિ અને કાળાદેશ (પૂર્વ કરતાં ભિન્ન) જાણવો. જે તેઓ વૈમાનિકો દેવોથી આવી ઉત્પન્ન થાય. તો શું કલ્પીપપત્રક વૈમાનિક દેવોથી આવી ઉત્પન્ન થાય કે કલ્પાતીત વૈમાનિક દેવોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! તેઓ કલ્પોપપત્રક વૈમાનિક દેવોથી આવી ઉત્પન્ન થાય.જો તેઓ કલ્પોપપન્ન વૈમાનિક દેવોથી આવી ઉત્પન્ન થાય તો શું સૌધર્મકલ્પોપપન્ન કે યાવતુ-અય્યત કલ્પપપત્ર વૈમાનિક દેવોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ ! સૌધર્મ અને ઈશાન કલ્પપપત્ર દેવોથી આવી ઉત્પન્ન થાય જે સૌધર્મકલ્પોપપન્ન વૈમાનિક દેવ પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે, તે કેટલા કાળની સ્થિતિવાળા પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થાય ? અહિં જ્યોતિ પિકના ગમકની પેઠે કહેવી. પણ વિશેષ એ કે સ્થિતિ અને અનુબંધ જઘન્ય પલ્યોપમ અને ઉત્કૃષ્ટ બે સાગરોપમ હોય છે. (સંવેધ) કાળની અપેક્ષાએ જઘન્ય અત્તમુહૂર્ત અધિક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ બાવીશ હજાર વર્ષ અધિક બે સાગરોપમ બાકીના આઠે ગમો જાણવા. પરન્તુ વિશેષ એ કે અહિં સ્થિતિ અને કાળાદેશ (પૂર્વી કરતાં ભિન્ન) જાણવો. હે ભગવન્! જે ઈશાનદેવ, પૃથિવીકાયિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે-ઈત્યાદિ સંબંધે પણ નવે ગમો કહેવા. પણ વિશેષ એ કે સ્થિતિ, અનુબંધ જઘન્ય સાધિક, પલ્યોપમ, અને ઉત્કૃષ્ટ સાધિક બે સાગરોપમ. [૮૪૯-૮૫પોહે ભગવન્! અપ્લાયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય-ઈત્યાદિ જેમ પૃથિવી કાયિકના ઉદ્દેશકમાં કહ્યું છે તેમ જાણવું, પરન્તુ વિશેષ એ કે અહીં સ્થિતિ અને સંવેધ જુદો જાણવો. તેજસ્કાયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય-ઈત્યાદિ પૃથિવીકાયિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy