SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ 424 ભગવાઈ - 24o-1/839 પંચેન્દ્રિય તિર્યંચયોનિકથી આવી ઉત્પન્ન થાય. તે જલચરોથી આવી ઉત્પન્ન થાયઈત્યાદિ બધું અસંજ્ઞીની પેઠે જાણવું. | [૮૪૦]હે ભગવન્! પર્યાપ્ત સંખ્યાતા વર્ષના આયુષવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયનિકો જે નૈરયિમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલી નરક પૃથિવીઓમાં ઉત્પન્ન થાય ? સાતેમાં હે ભગવન્! પતિ સંખ્યાતા વર્ષના આયુષવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ યોનિક જીવો, તે રત્નપ્રભા પૃથિવીના નૈરયિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે, તેની સ્થિતિનો પ્રશ્ન હે ગૌતમ ! જઘન્ય દસ હજાર વર્ષની સ્થિતિવાળા અને ઉત્કૃષ્ટ સાગરોપમની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય. હે ભગવન્! તે એક સમયે ઉપજે-ઈત્યાદિ બધું અસંજ્ઞીની પેઠે. હે ભગવનું છે તે જીવોનાં શરીરો કેટલા સંઘયળવાળાં હોય છે ? જીએ સંઘયણવાળાં. શરીરની ઉંચાઈ અસંજ્ઞીની પેઠે જઘન્ય અંગુલનો અસંખ્યાત મો ભાગ અને ઉત્કૃષ્ટ અને હજાર યોજન હોય છે. હે ભગવન્! તેઓનાં શરીરો ક્યાં સંસ્થાનવાળાં હોય છે? છએ સંસ્થાનવાળાં હોય છે. હે ભગવન ! તે સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચોને કેટલી વેશ્યાઓ હોય છે ? હે ગૌતમ! છએ લેયાઓ હોય છે. તેઓને દ્રષ્ટિ ત્રણે હોય છે, તથા ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાએનવિકલો હોય છે. યોગ ત્રણે હોય છે. બાકી બધું અસંશીની પેઠે પાવતુઅનુબંધ સુધી જાણવું. પણ વિશેષ એ છે કે તેઓને પ્રથમના પાંચ સમુદુધાતો હોય છે. વેદ ત્રણે હોય છે. હે ભગવન્! પતિ સંખ્યાતા વર્ષના આયુષવાળો સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવ, જે જઘન્ય આયુષવાળા રત્નપ્રભાના નૈરયિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા વર્ષની સ્થિતિવાળા નરયિકોમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ દસ હજાર વર્ષની સ્થિતિવાળા. હે ભગવન્! તે જીવો એક સમયે કેટલા ઉત્પન્ન થાય-ઈત્યાદિ પ્રશ્ન. પૂર્વોક્ત પ્રથમ ગમ સંપૂર્ણ કહેવો, યાવતુ-કાલાદેશ વડે જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટથી ચાલીશ હજાર વર્ષ અધિક ચાર પૂર્વ કોટી-એટલો કાળ સેવે, યાવતુ-ગમના ગમન કરે. તે ઉત્કૃષ્ટ સ્થિતિ વાળા રત્ન પ્રભાનૈરયિકોમાં ઉત્પન્ન થાય તો જઘન્ય અને ઉત્કૃષ્ટ પણ સાગરોપમ સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય. બાકી પરિણામથી માંડી ભવાદેશ સુધીનો પૂર્વોક્ત પ્રથમ ગમક અહિં જાણવો. હે ભગવન ! જઘન્ય સ્થિતિવાળો પતિ સંખ્યાતા વર્ષના આયુષ વાળો સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવ, જે રત્નપ્રભા પૃથિવીમાં નૈરમિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે તે વિશે પ્રશ્ન હે ગૌતમ ! તે જઘન્યથી દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટથી સાગરોપમની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય. હે ભગવન! તે જીવો એક સમયે કેટલા ઉત્પન્ન થાય-ઈત્યાદિ બધી વક્તવ્યતા માટે પ્રથમ ગમક કહેવો. પણ આ આઠ બાબત સંબંધે વિશેષતા છે તેઓના શરીરની ઉંચાઈ જઘન્યથી અંગલનો અસંખ્યાતો ભાગ અને ઉત્કૃષ્ટથી ધનુષપૃથક્વન તેઓને પ્રથમની ત્રણ વેશ્યાઓ હોય, મિથ્યાદ્રષ્ટિ હોય છે, બે અજ્ઞાનવાળા હોય છે. તેઓને પ્રથમના ત્રણ સમુદ્રઘાતો હોય છે. આયુષ અધ્યવસાય અને અનુબંધ અસંજ્ઞીની પેઠે જાણવા. તે જઘન્ય કાળની સ્થિતિ વાળા રત્નપ્રભા નૈરયિકમાં ઉત્પન્ન થાય તો જઘન્ય અને ઉત્કૃષ્ટ દસ હજાર વર્ષની સ્થિતિ વાળા. નરયિકોમાં ઉત્પન્ન થાય. હે ભગવન! તે જીવી એક સમયે કેટલા ઉત્પન્ન થાય-ઈત્યાદિ સંબંધે સંપૂર્ણ ચોથો ગમ કહેવો. યાવતુ-કાળની અપેક્ષાએ જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy