SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૨૪, ઉદેસો-૧ 425 દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ ચાર અન્તર્મુહૂર્ત અધિક ચાલીશ હજાર વર્ષ-એટલો કાળ સેવે, યાવતુ-ગમનાગમન કરે. તે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા રત્નપ્રભા નૈરયિકોમાં ઉત્પન્ન થાય તો જઘન્ય અને ઉત્કૃષ્ટ સાગરોપમ સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય. હે ભગવન્! તે જીવો એક સમયે કેટલા ઉપજે ઈત્યાદિ ચોથો ગમ સંપૂર્ણ કહેવો. ઉત્કૃષ્ટ સ્થિતિવાળો સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવ, જે રત્નપ્રભા પૃથિવીમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા વર્ષની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! તે જઘન્યથી દસ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટથી એક સાગરોપમની સ્થિતિવાળા નિરયિકોમાં ઉત્પન્ન થાય. હે ભગવન ! તે જીવો એક સમયે કેટલા ઉત્પન્ન થાય ઈત્યાદિ-પરિમાણથી માંડી ભવાદેશ સુધીની વક્તવ્યતા કહેવા માટે એઓનો (સંજ્ઞી પંચેન્દ્રિયોનો) પ્રથમ ગમ કહેવો. પરંતુ વિશેષ એ કે સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂવકોટી વર્ષની છે. એ પ્રમાણે અનુબંધ પણ જાણવો. તથા કાળની અપેક્ષાએ જઘન્યથી દસહજાર વર્ષ અધિક પૂર્વકોટી વર્ષ અને ઉત્કૃષ્ટથી ચાર પૂર્વકોટી અધિક ચાર સાગરોપમ-એટલો કાળ યાવતુ-ગમનાગમન કરે. જો તે જઘન્ય સ્થિતિવાળા રત્નપ્રભા પૃથિવીના નૈરયિકોમાં ઉત્પન્ન થાય તો તે જઘન્ય અને ઉત્કૃષ્ટ દસ હજાર વર્ષની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય. હે ભગવન્! તે જીવો એક સમયે કેટલા ઉત્પન્ન થાય ઈત્યાદિ યાવતુ-ભવાદેશ સુધી સાતમો ગમ કહેવો. કાળની અપેક્ષાએ જઘન્યથી દસ હજાર અધિક પૂર્વકોટી વર્ષ અને ઉત્કૃષ્ટથી ચાલીશ હજાર અધિક ચાર પૂર્વકોટી વર્ષ-એટલો કાળ યાવતુ ગામનાગમન કરે. હે ભગવન્! ઉત્કૃષ્ટ સ્થિતિવાળો પર્યાપ્ત યાવતુતિચયોનિક, જે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા, રત્નપ્રભા નૈરયિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તેની સ્થિતિ વિશે પ્રશ્ન. જઘન્યથી અને ઉત્કૃષ્ટથી એક સાગરોપમની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય. હે ભગવન્! તે જીવો એક સમયે કેટલા ઉત્પન્ન થાય-ઈત્યાદિ યાવ-ભવાદેશ સુધી પૂર્વે કહેલ સાતમો ગમ સંપૂર્ણ કહેવો. એ પ્રમાણે એ નવ ગમો જાણવા. અને નવે ગમોમાં પ્રારંભ અને ઉપસંહાર અસંસીની પેઠે કહેવો. હે ભગવન્! પર્યાપ્ત સંખ્યાતા વર્ષના આયુષવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવ, જે શર્કરા પ્રભા પૃથિવીમાં નૈરકિપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે, તે કેટલા વર્ષની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય?હે ગૌતમ ! તે જઘન્યથી એક સાગરોપમની અને ઉત્કૃષ્ટથી ત્રણ સાગરોપમની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય. હે ભગવન્! તે જીવો એક સમયે કેટલા ઉત્પન્ન થાય ? રત્નપ્રભા નરકમાં ઉત્પન્ન થનાર પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક સમગ્ર વક્તવ્યતા અહિં ભવાદેશ સુધી કહેવી. તથા કાળની અપેક્ષાએ અન્તર્મુહૂર્ત અધિક સાગરોપમ અને ઉત્કૃષ્ટથી ચાર પૂર્વ કોટી અધિક બાર સાગરોપમ એટલો કાળ યાવતુ-ગમનાગમન કરે. એ પ્રમાણે રત્નપ્રભા પૃથિવીના ગમકની સમાન નવે ગમક જાણવા. પણ વિશેષ એ છે કે બધા ગમફોમાં નૈરયિકની સ્થિતિ અને સંવેધને વિષે “સાગરોપમો' કહેવા. અને એમ થાવત્ છઠ્ઠી નરક પૃથિવી સુધી જાણવું. પરન્તુ જે નરક પૃથિવીમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ જેટલા કાળની હોય તે સ્થિતિને તેજ કમથી ચારગુણી કરવી, હવે સંધયણને આશ્રયી વાલુકાપ્રભામાં વજનૃપનારા, વાવ-કીલિકા એ પાંચ સંઘયણવાળા, પંકપ્રભામાં પ્રથમના ચાર સંઘયણવાળા, ધૂમપ્રભામાં પ્રથમના ત્રણ સંઘયણવાળા અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy