SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-વર્ગ-૧, 419 સોપારીનું વૃક્ષ, ખજૂરી અને નાળીયેરી- એ બધાના મૂળપણે જે જીવો ઉપજે છે તે જીવો ક્યાંથી આવીને ઉપજે છે? શાલિવર્ગની પેઠે કહેવું. પરંતુ તેમાં વિશેષ એ છે કે આ વૃક્ષ ના મૂળ, કંદ, સ્કંધ, છાલ, અને શાખા-એ પાંચે ઉદ્દેશકમાં દેવો આવી ઉપજતા નથી, તેથી ત્યાં તેઓને ત્રણ લેશ્યાઓ હોય છે. તેઓની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દશહજાર વર્ષ છે, અને બાકીના પાંચ ઉદ્દેશકમાં દેવો ઉત્પન્ન થાય છે. માટે ત્યાં તેઓને ચાર વેશ્યાઓ હોય છે. તેઓની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વર્ષપૃથક્વ હોય છે. અવગાહના-શરીર પ્રમાણે મૂળ અને કંદની ધનુષપૃથક્વ, તથા શાખાની ગાઉપૃથ ત્ત્વ હોય છે, પ્રવાલ અને પાંદડાની અવગાહના ધનુષપૃથકત્વ, પુષ્પની હસ્તપૃથકત્વ અને બીજની અંગુલપૃથક્વ ઉત્કૃષ્ટ અવગાહના હોય છે. એ બધાની જઘન્ય અવ ગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની જાણવી. | શતક ૨૨-વર્ગ-૧ ની મુનિ દીપરત્નસાગરે કહેલ ગુર્જરછાયાપૂર્ણ ! વર્ગ 2 થી 6 ક. [824-828] હે ભગવન્! લીમડો, આંબો, જાંબુ, કોસંબ, અંકોલ્લ, પીલુ, સેલ, સલ્લીક, મોચકી, માલુક, બકુલ, પલાશ, કરંજ, પુત્રજીવક, અરિષ્ટ-બહેડા, હરડે, મિલા મા,ઉંબેભરિકા, ક્ષીરિણી, ઘાવડી, પ્રિયાલ-પૂતિબિંબ, સેહય, પાસિય, સીસમ, અમી નાગકેસર, નાગવૃક્ષ, શ્રીપર્ણ અને અશોક-એ બધા વૃક્ષો મૂળપણે જે જીવો ઉપજે છે તે જીવો ક્યાંથી આવીને ઉપજે છે ? એ પ્રમાણે અહિં પણ મૂલાદિક દશ ઉદ્દેશકો સમગ્ર તાડવર્ગની પેઠે કહેવો. હે ભગવન્! અગસ્તિક, તિંદુક, બોર, કોઠી, અંબાડગ, બીજોરું, 'બિલ્વ,આલમક,ફણસ,દાડિમ,અશ્વત્થ, ઉંબરો, વડ, ન્યગ્રોધ, નંદિવૃક્ષો, પીપર, સતર, વૃક્ષવૃક્ષ કાકોદુબરી, કરૂંભરિ, દેવદાલિ, તિલક, લચૂક, છત્રોધ, શિરિષ. સમર્પણસાદડ, દધિપણ, લોધક, ધવ, ચંદન, અર્જુન, નીપ, કુટજ અને કદંબ-એ પ્રશ્ન એ બધું તાડવર્ગની પેઠે કહેવું. હે ભગવનુ ! વેંગણ, અલ્સર, પોંડઈ ઈત્યાદિ વૃક્ષોના નામો પ્રજ્ઞા પના સૂત્રની ગાથાને અનુસારે યાવતુ-ગંજ, પાટલા, વાસી અને અંકોલ્લ સંબંધે પ્રશ્ન અહિં પણ મૂળાદિક યાવતુ-બીજપર્યત ઉદ્દેશકો વંશવર્ગની પેઠે કહેવા. હે ભગવન્! સિરિયક, નવમાલિકા, કોટક, બંધુજીવક, મળો- જ્જા-ઈત્યાદિ બધાં નામી પ્રજ્ઞાપના સૂત્ર અનુસારે વાવતુ-નલિની, કંદ અને મહાજાતિ સંબંધે પ્રશ્ન અહિં પણ શાલિવર્ગની પેઠે મૂલાદિક દશ ઉસકો સમગ્ર કહેવા. હે ભગવન્! પૂસ ફલિકા, કાલિંગી, તુંબડી, ત્રપુષી-એલવાલુંકી ઈત્યાદિ નામો પ્રજ્ઞાપનસૂત્રોની ગાથાને અનુસાર તાડવર્ગમાં કહ્યા પ્રમાણે સમજવાં, યાવત્-દલિફોલ્લઈ, કાકલિ, સોકલિ અને અર્કબોંદી, એ સંબંધે પ્રશ્ન અહિં પણ તાડવર્ગની પેઠે મૂળાદિક દશ ઉદ્દેશકો સંપૂર્ણ કહેવા. વિશેષ એ કે ફલોદ્દે શકમાં ફલની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગની અને ઉત્કૃષ્ટ ધનુષ પૃથક્વે-હોય છે. બધે સ્થળે સ્થિતિ જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ બેથી નવ વરસની જાણવી. એ પ્રમાણે છ વર્ગના મળીને સાઠ ઉદ્દેશક થાય છે. શતક ૨૨-વર્ગ 2 થી ની મુનિ દીપરત્નસાગરે કહેલગુર્જરછાયાપૂર્ણ શતક-૨ ગુર્જરછાયાપૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy