SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ 420 - ભગવઈ - 231 થી પ-૧૮૨૯ (શતક-૨૩) ક વર્ગ 1 થી૫ : [૮૨૯-૮૩૪]શ્રી શ્રુતદેવતા ભગવતીને નમસ્કાર આલુક, લોહી, અવક, પાઠા, માષપણ, એ પ્રમાણે પાંચ વર્ગના દસ દસ ઉદ્દેશકો મળીને પચાસ ઉદ્દેશકો છે. હે” ભગવન્! આલુક,મૂળા, આદુ, હળદર, ર, કંડરિક, જીરું, ક્ષીરવિરાલી કિદ્ધિ, કુંદુ, કૃષ્ણ, કડસુ, મધુ, પયલઈ, મધુસિંગી, નિરુહા, સપસુ- ગંધા, છિન્નરુહા અને બીજા હા-એ બધા વૃક્ષોના મૂળપણે જે જીવો ઉપજે છે તે જીવો ક્યાંથી આવીને ઉપજે છે ? અહિં વંશવર્ગની પેઠે મૂળાદિક દશ ઉદેશકો કહેવો. વિશેષ એ કે તેઓનું પરિમાણ જઘન્યથી એક સમયે એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા, અસંખ્યાતા અને અનંતા આવીને ઉપજે છે. તેઓનો અપહાર આ પ્રમાણે છે-જો તે અનંત જીવો, સમયે સમયે અપહરીએ. તો અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળે અપહરાય, પણ એ પ્રમાણે અપહરાતા નથી. વળી તેઓની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતમુહૂર્તની છે. હે ભગવનું ! લોહી. ની, થીછું, થિમગા, અકળ, સિંહકણ, સીઢી અને મુસુંઢા સંબંધે પ્રશ્ન આલુવર્ગની પેઠે અહિં પણ મૂળાદિક દશ ઉદ્દેશકો. કહેવા. પરંતુ વિશેષ એ કે, અવગાહના તડવર્ગની પેઠે જાણવી. હે ભગવન્! આય, કાય, કુટુળા, કંદુકક, અલ્વેહલિય, સફા, સજ્જા, છત્રા, વંશાનિકા અને કુમારી-સંબંધે પ્રશ્ન બધું આલુવર્ગની પેઠે કહેવું. અને એ પ્રમાણે દશે ઉદ્દેશકો કહેવા. વિશેષ એ કે અવગાહના તાડવર્ગની પેઠે કહેવી. હે ભગવનું ! પાઠા, મૃગવાલુંકી, મધુરસા, રાજવલ્લી, પદ્મા, મોઢરી, દંતી, અને ચંડી-સંબંધે પ્રશ્ન આલુ વર્ગની પેઠે અહિં પણ મૂલાદિક દસ ઉદ્દેશકો કહેવા. વિશેષ એ કે શરીરનું પ્રમાણ વલ્લી ની પેઠે જાણવું. હે ભગવન્! માષપણ, મુદ્દાપર્ણી, જીવક, કરેણુક, કાકોલી, ક્ષીરકાકોલી, ભંગી, સહી, કૃમિરાશિ, ભદ્ર-લાંગલી, પઉય કિષ્ણાહુલય, પાઢ હરેણુકા અને લોહીસંબંધે પ્રશ્ન આલુવર્ગની પેઠે અહિં પણ મૂળાદિક દશ ઉદ્દેશકો કહેવો. એ પ્રમાણે અહિં આ પાંચ વર્ગોમાં બધા મળીને પચાસ ઉદ્દેશકો કહેવા. બધે સ્થાને દેવો ઉપજતા નથી, તેથી દરેક સ્થાન પ્રથમની ત્રણજ લેશ્યાઓ હોય છે. | શતકાર૩ગુર્જરછાયાપૂર્ણ (શતકઃ૨૪) ઘર ઉદેસી 1 ક [૮૩પ-૮૩૭]ઉપપાત, પરિમાણ, સંઘયણ, ઉંચાઈ, સંસ્થાન-લેશ્યા, વૃષ્ટિ, જ્ઞાન અજ્ઞાન, યોગ, ઉપયોગ, સંજ્ઞા, કષાય. ઈન્દ્રિય, સમુદૂધાત, વૈદના, વેદ, આયુ, અધ્યા વસાય, અનુબંધ, અને કાયસંવેધ એ રીતે ચોવીશ ઉદ્દેશકો છે. [38] ભગવન્! નૈરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે, શું નૈરયિકોથી યાવત્ દેવોથી આવી ઉત્પન્ન થાય છે? હે ગૌતમ ! નરયિકો નૈરયિકોથી કે દેવોથી આવી ઉત્પન્ન થતા નથી, પણ તિર્યંચયોનિકોથી અને મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય છે. હે ભગવન્! જો, તિર્યંચયોનિકોથી આવે તો શું એકેન્દ્રિય તિર્યંચયોનિકોથી આવીને ઉત્પન્ન થાય છે કે યાવતું પંચેન્દ્રિય તિર્યંચયોનિકોથી હે ગૌતમ ! એકેન્દ્રિય યાવતું ચઉરિન્દ્રિય તિર્યંચયોનિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy