SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૨૧, વર્ગ-૧, ઉસો-૧ 417 દશ ઉદ્દેશકમાં સમૂહરુપ આઠ વર્ગ અને એંશી ઉદ્દેશકો કહેવાના છે. [807] ભગવન્! શાલિ, વ્રીહિ, ઘઉં, યાવતુ જવજવ-એ બધાના મૂળતરીકે જે જીવો ઉત્પન્ન થાય છે, તે જીવો ક્યાંથી આવીને ઉપજે છે ? શું નૈરયિકોથી આવીને ઉપજે છે કે તિર્યંચો,મનુષ્યો અને દેવીથી પણ આવીને ઉપજે છે? વ્યુત્કાન્તિપદમાં કહ્યા પ્રમાણે તેઓનો ઉપપાત જાણવો. વિશેષ એ કે તેઓ દેવગતિથી આવીને મૂળપણે ઉપજતા નથી. હે ભગવન્! તે જીવો. એક સમયે કેટલા ઉત્પન્ન થાય? હે ગૌતમ! જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા કે અસંખ્યાતા. તેઓનો અપહાર ઉત્પલોદ્દેશકમાં કહ્યા પ્રમાણે જાણવો. હે ભગવન્! તે જીવોના શરીરની કેટલી અવગાહન છે ? જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટથી ધનુષપૃથક્વ-કહી છે. હે ભગવન્! શું તે જીવો જ્ઞાનાવરણીયકર્મના બંધક છે કે અબંધક છે? જેમ ઉત્પલોદ્દેશકમાં કહ્યું છે કે તે પ્રમાણે અહિં કહેવું. એ પ્રમાણે કર્મના વેદક સંબંધે જાણવું. ઉદય અને ઉદીરણા વિષે પણ એ પ્રમાણે સમજવું.. હે ભગવન્! શું તે જીવો કૃષ્ણલેશ્યાવાળા, નીલલેશ્યાવાળા કે કાપોતલેશ્યાવાળા હોય ? અહિં લેશ્યાસંબંધે છવ્વીસ ભાંગા કહેવા. વૃષ્ટિ અને પાવતુ-ઈન્દ્રિયો સંબંધે ઉત્પલોદ્દેશકમાં કહ્યા પ્રમાણે કહેવું. હે ભગવન્! શાલિ, વ્રીહિ, ગોધૂમ, યાવતુ-જવજવએ બધાના મૂળનો જીવ કાળથી કાળ સુધી રહે ? હે ગૌતમ! જઘન્યથી અંતમુહૂર્ત, અને ઉત્કથી અસંખ્યાતા કાળ સુધી રહે. હે ભગવન્! શાલિ, વ્રીહિ, ગોધૂમ, યાવતુ-જવવા -એ બધાના મૂળનો જીવ પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થાય, પાછો ફરીને શાલિ, વહિ અને થાવત્ જવજવના મૂળપણે ઉપજે એ પ્રમાણે કેટલા કાળ સુધી સેવે? જેમ ઉત્પલ ઉદ્દેશકમાં કહ્યું છે તે પ્રમાણે અહિં કહેવું. અને એ અભિલાપ વડે યાવતુ-મનુષ્ય સુધી. સમજવું. વળી તેઓનો આહાર પણ ઉત્પલોદ્દેશકમાં કહ્યા પ્રમાણે જાણવો. સ્થિતિ જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી વર્ષપૃથત્વ સમજવી. વળી સમુદ્દઘાત, સમવહતઅને ઉર્તના ઉત્પલોદ્દેશકમાં કહ્યા પ્રમાણે જાણવી. હે ભગવન્! સર્વપ્રાણો, યાવતું-સર્વ સત્વો શાલિ, વ્રીહિ, યાવતુ-જવજવના મૂળના જીવપણે પૂર્વ ઉત્પન્ન થયેલા છે? હા અનેક વાર ઉત્પન્ન થયેલા છે. 'હે ભગવન્! તે એમજ છે. શતક૨૧-વર્ગઃ૧-ઉદ્સો-૧ની અનિદીપરત્નસાગરે કહેલ ગુર્જરછાયાપૂર્ણ | (વર્ગ-ઉદેસાકર થી 10) [૮૦૮-૮૧૪હે ભગવન્! શાલિ, વ્રીહિ, યાવતુ-જવજવ-એ બધાના કંદરુપે જે જીવો ઉત્પન્ન થાય છે તેઓ ક્યાંથી આવીને ઉપજે છે? આ કંદના અધિકારમાં તેજ સમગ્ર મૂળનો ઉદ્દેશક યાવતું અનેક વાર અથવા અનંતવાર ઉત્પન્ન થયેલા છે ત્યાં સુધી કહેવો. વિશેષ એ કે મૂળને બદલે કંદનો પાઠ કહેવો. એ પ્રમાણે સ્કંધ સંબંધે તથા ત્વચા, શાખા, પ્રવાલ-કંપળો અને પાંદડાં સંબંધે પણ એક એક ઉદ્દેશક કહેવો. વળી પુષ્પસંબંધે પણ પૂર્વની પેઠે ઉદ્દેશક કહેવો. પણ તેમાં વિશેષ એ કે પુષ્પમાં દેવો પણ ઉત્પન્ન થાય છે એમ કહેવું. જેમ ઉત્પલોદ્દેશકમાં ચાર વેશ્યા અને તેના એંશી ભાંગા કહ્યા છે તેમ અહિં કહેવા. અવગાહના જઘન્યઅંગુલનોઅસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અંગુલપૃથક્ત-જાણવી. જેમ પુષ્પ સંબંધે કહ્યું તેમ ફળ અને બીજા સંબંધે પણ સમગ્ર ઉદ્દેશક કહેવો. એ પ્રમાણે 27) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy