SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ 414 ભગવઈ - 20-10804 એમ કહેવું. હે ભગવન્! નરયિકો આત્મર્દિ-વડે ઉપજે છે કે પરદ્ધિ-વડે છે? હે ગૌતમ! તેઓ પોતાના સામર્થ્યવડે ઉપજે છે, પણ બીજાના સામર્થ્યવડ ઉપજતા નથી. એ પ્રમાણે યાવતુ-વૈમાનિકો સુધી કહેવું. હે ભગવન્! શું નૈરયિકો આત્મદ્ધિ વડે ઉદ્વર્તે છે કે અન્યના સામર્થ્યવડે ઉદ્વર્તે છે ? હે ગૌતમ ! તેઓ આત્મશક્તિ વડે ઉદ્વર્તે છે પણ પરની શક્તિ વડે ઉદ્વર્તતા નથી. એ પ્રમાણે વાવ-વૈમાનિકો સુધી જાણવું. વિશેષ એ કે જ્યોતિષિક અને વૈમાનિકો “àવે છે એવો અભિલાપ-કહેવો. હે ભગવન્! શું નરયિકો પોતાના કર્મ વડે ઉત્પન્ન થાય છે કે બીજાના કર્મવડે ઉત્પન્ન થાય છે ? હે ગૌતમ ! તેઓ પોતાના કર્મવડે ઉત્પન્ન થાય છે, પણ બીજાના કર્મવડે ઉત્પન્ન થતા નથી. એ રીતે યાવતુ-વૈમાનિકો સુધી જાણવું. અને એ પ્રમાણે ઉદ્વર્તનાનો દંડક પણ કહેવો. હે ભગવનું ! નરયિકો આત્મપ્રયોગ-વડે ઉત્પન્ન થાય છે, કે પરપ્રયોગ વડે ? હે ગૌતમ ! તેઓ આત્મપ્રયોગ વડે ઉત્પન્ન થાય છે અને પરપ્રયોગ વડે ઉત્પન્ન થતા નથી. એ પ્રમાણે યાવતુ-વૈમાનિકો સુધી જાણવું. તથા ઉદ્વર્તના દંડક પણ એજ પ્રમાણે કહેવો. [૮૦૫]હે ભગવન્! શું તૈયકિ કતિસંચિત-એક સમયે સંખ્યાતા ઉત્પન્ન થયેલા, અકતિસંચિત-એક સમયે અસંખ્યાતા ઉત્પન્ન થયેલા કે અવક્તવ્યસંચિત-એકસમયે એક જ ઉત્પન્ન થયેલા હોય છે ? હે ગૌતમ ! ત્રણે. જે નૈરયિકો નરકગતિમાં એક સાથે સંખ્યાના પ્રવેશ કરે છે તે કતિસંચિત છે, વળી જે નૈરયિકો અસંખ્યાતા પ્રવેશ કરે છે તે નરયિકો અકતિ- સંચિત છે, અને જે નૈરયિકો એક એક પ્રવેશ કરે છે તે નૈરયિકો વાવતુઅવક્તવ્યસંચિત છે. એ પ્રમાણે વાવ-સ્વનિતકુમારી સુધી જાણવું. હે ભગવન્! પૃથિ વિકાયિકો કતિસંચિત છે-ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! તેઓ કતિસંચિત નથી, અવકતવ્ય સંચિત નથી પણ અતિસંચિત છે. પૃથિવીકાયિકો એક સાથે અસંખ્ય પ્રવેશ કરે છે માટે તેઓ અકતિસંચિત છે, એ પ્રમાણે યાવતું વનસ્પતિકાયિક જીવો સુધી જાણવું. બેઈન્દ્રિ યથી યાવતુ-વૈમાનિકો સુધી નૈરયિકોની પેઠે જાણવા. હે ભગવન્! શું સિદ્ધ કતિસંચિત છે-ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ! સિદ્ધ કતિસંચિત અને અવક્તવ્યસંચિત છે પણ અકતિ સંચિત નથી. હે ભગવન ! કતિ સંચિત આદિ નૈરિયકોનું અલ્પ બહુત્વ કઈ રીતે છે? હે ગૌતમ અવક્ત વ્યસંચિત નૈરયિકો સૌથી થોડા છે, કતિસંચિત નૈરયિકો સંખ્યાતગુણ છે અને અતિસંચિત નૈરયિકો અસંખ્યાતગુણ છે. એ પ્રમાણે એકેન્દ્રિય સિવાય યાવતુ-વૈમાનિકો સુધી અલ્પબદુત્વ કહેવુ. એકેન્દ્રિ યોનું અલ્પબદુત્વ નથી. હે ભગવન્! કતિ- સંચિત અને અવક્તવ્યસંચિત સિદ્ધોમાં કોણ કોનાથી વાવ-વિશેષાધિક છે ? હે ગૌતમ ! કતિસંચિત સિદ્ધો સૌથી થોડા છે, અને અવક્તવ્યસંચિત સિદ્ધો સંખ્યાતગુણ છે. હે ભગવનું ! શું નૈરયિકો વર્કસમર્જિત-એક સાથે છ ઉત્પન્ન થયેલા હોય છે. નોષક- સમર્જિત-એકથી આરંભી પાંચ સુધી ઉત્પન્ન થયેલા હોય છે? એક ષક અને એક નોષ- ટકની સંખ્યામાં ઉત્પન્ન થયેલા હોય છે. અનેક પટકની સંખ્યાવડે કે અનેક ષટ્રક અને એક નોષટકની સંખ્યા વડે ઉત્પન્ન થયેલા હોય છે? હે ગૌતમ! નૈરયિકો તે બધી રીતે ઉત્પન્ન થાય છે. જે નૈરયિકો એક સમયે છની સંખ્યાથી પ્રવેશ કરે છે તે નૈરયિકો ષટકસમર્જિત કહેવાય છે. જે નૈરયિક જધન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ પાંચ સંખ્યાવડ પ્રવેશ કરે છે તે નરયિકો નોર્કસમાર્જિત કહેવાય છે, યાવતુ જે નૈરયિકો અનેક ષટ્રક તથા જધન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ પાંચ સંખ્યાવડે પ્રવેશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy