________________ શતક-૨૦, ઉસો-૯ 413 વિદ્યાચરણની ઉર્ધ્વ ગતિનો વિષય કેટલો કહ્યો છે? એક ઉત્પાતવડે નંદનવનમાં સમવ સરણ કરે, ત્યાં રહેલાં ચૈત્યોને વાંદે, પછી બીજ ઉત્પાતવડે પાંડુકવનમાં સમવસરણ કરે, ત્યાં રહેલાં ચૈત્યોને વાંદે, પછી ત્યાંથી પાછો આવી અહિં રહેલો ચૈત્યોને વાંદે, વળી હે ગૌતમ ! જે તે વિદ્યાચારણ, ગમનાગમન સંબંધી પાપસ્થાપકને આલોચ્યા કે પ્રતિ કમ્યા સિવાય કાળ કરે તો તે આરાધક થતો નથી, અને જો તે સ્થાનને આલોચી તથા પ્રતિક્રમણ કરે તો તે આરાધક થાય છે. ૮િ૦૨]હે ભગવન્ ! અંધાચારણને બધા ચારણ” શા હેતુથી કહેવાય છે ? હે ગૌતમ ! નિરંતર અક્રમ અઠ્ઠમના તપકર્મવડે આત્માને ભાવતા મુનિને અંધાચારણ નામે લબ્ધિ ઉત્પન્ન થાય છે. માટે “અંધાચારણ’ એમ કહેવાય છે. હે ભગવન્અંધાચારણની કેવી શીધ્ર ગતિ હોય છે, હે ગૌતમ ! આ જંબૂદીપ નામે દ્વીપની પરિધિ-ઈત્યાદિ જેમ વિદ્યાચારણ સંબંધે કહ્યું છે તેમ અહિં કહેવું, પણ વિશેષ એ કે, આ જંબૂદ્વીપને વાવતુત્રણ ચપટી વગાડે એટલી વારમાં એકવીશ વાર ફરીને આવે, હે ગૌતમ ! તેવી જંધા ચારણની શીધ્ર ગતિ છે, જંઘાચારણની તિર્ય ગતિનો વિષય કેટલો કહ્યો છે?હે ગૌતમ ! તે જંધાચારણ એક ઉત્પાતવડે રુચકવરદ્વીપમાં સમવસરણ કરે, પછી ત્યાં રહેલા ચૈત્યોને વાંદે, વાંદી ત્યાંથી પાછા વળતાં બીજા ઉત્પાતવડે નંદીશ્વરદ્વીપમાં સમવસરણ કરે, પછી ત્યાંનાં ચૈત્યોને વાંદી,અહિં શીધ્ર આવી અહિંના ચૈત્યોને વાંદે, હે ભગવનું ! જંધાચારણની ગતિ અને ગતિવિષય ઉંચે કેટલો કહ્યો છે ? હે ગૌતમ ! તે જંઘા ચારણ એક ઉત્પાત વડે પાંડુકવનમાં સમવસરણ કરે, પછી ત્યાંના ચૈત્યો વાંદી, ત્યાંથી પાછા વળતાં બીજા ઉત્પાતવડે નંદનવનમાં સમવસરણ કરે, પછી ત્યાંના ચૈત્યો વાંદી ત્યાંથી અહિં આવી, અહિંના ચૈત્યોને વાંદે, વળી જો તે જંધાચારણ તે સ્થાનને આલોચ્યા કે પ્રતિક્રમ્યા સિવાય કાળ કરે તો તે આરાધક થતો નથી. અને તે સ્થાનકને આલોચી કે પ્રતિક્રમી કાળ કરે તો તે આરાધક થાય છે. શતકઃ ૨૦-ઉદ્દે સોડ૯ની મુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ T (ઉદ્દેશકઃ૧૦). [૮૦૩]હે ભગવન્! શું જીવો સોપક્રમઆયુષવાળા હોય છે કે નિરુપક્રમ આયુષ વાળા બને. નૈરયિકો સોપક્રમ આયુષવાળા હોતા નથી પણ નિરુપક્રમઆયુષવાળી હોયછે. એ પ્રમાણે વાવતુ-નિતકુમારો સુધી જાણવું. પૃથિવીકાયિકો જીવોની પેઠે બન્ને પ્રકારના જાણવા. એ પ્રમાણે વાવ-મનુષ્યો સુધી સમજવું. તેમજ વાનવ્યંતર, જ્યોતિ પિક અને વૈમાનિકોને નૈરયિકોની પેઠે જાણવા. [૮૦૪]હે ભગવન્! શું નૈરવિકો આત્મોપક્રમવડ-ઉપક્રમી-ઉત્પન્ન થાય છે, પરો પક્રમવડે-પૂર્વભવના આયુષને ઘટાડી ઉત્પન્ન થાય છે, કે નિરુપક્રમવડે પૂરેપૂરું આયુષ ભોગવીને ઉત્પન્ન થાય છે? હે ગૌતમ ! ત્રણે રીતે. એ પ્રમાણે વાવ-માનિકો સુધી - જાણવું. હે ભગવનું! શું નૈરયિકો આત્મોપક્રમવડે ઉદ્વર્તે મરે છે, પરોપક્રમવડે ઉદ્વર્તે છે કે નિરુપક્રમવડે ઉદ્વર્તે છેહે ગૌતમ! તેઓ નિરુપક્રમવડે ઉદ્ધર્તે છે. એ પ્રમાણે વાવતુ સ્વનિતકુમારી સુધી જાણવું. પૃથિવીકાયિકો અને યાવતુ-મનુષ્યો ત્રણે--વડે ઉદ્વર્તે છે. બાકી બધા નૈરયિકોની પેઠે જાણવા. વિશેષ એ કે જ્યોતિર્ષિકો અને વૈમાનિકો ચ્યવે” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org