SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ 36 ભગવઈ-૧-૧૮૮૯ મારે ત્યાંસુધી પાંચ ક્રિયાવાળો કહેવાય. [9] હે ભગવન્! પૂર્વ પ્રકાશવાળો કોઈ એક પુરુષ કચ્છમાં-ચાવતુ કોઈ એક મૃગના વધ માટે કાન સુધી લાંબા કરેલા બાણને પ્રયત્નપૂર્વક ખેંચીને ઉભો રહે, અને બીજો પાછળથી આવીને ઉભેલા પુરુષનું માથું પોતાના હાથથી તરવારવડે કાપી નાંખે. પછી તે બાણ પૂર્વના ખેંચાણથી ઉછળીને તે મૃગને વિધે. તો હે ભગવન્! શું તે પુરુષ મૃગના વૈરથી સ્પષ્ટ છે કે પુરુષના વૈરથી સૃષ્ટ છે? હે ગૌતમ! જે પુરુષ મૃગને મારે છે, તે પુરુષ મૃગના વૈરથી સૃષ્ટ છે. અને જે પુરુષ પુરુષને મારે છે તે પુરુષ પુરુષના વૈરથી સ્પષ્ટ છે. હે ભગવન્! તેનું શું કારણ હે ગૌતમ! તે નિશ્ચિત છે કે, કરાતું હોય તે કરાયું કહેવાય. સંધાતું હોય તે સંધાયું કહેવાય. વળાતું હોય તે વળાયું કહેવાય અને ફેંકાતું હોય તે ફેંકાયું કહેવાય? માટે હે ગૌતમ! તે હેતુથી જે મૃગને મારે તે મૃગના વૈરથી સ્પષ્ટ કહેવાય. અને જો મારનાર છ માસની અંદર મરે તો મરનાર પુરુષ કાયિકી વાવતું પાંચ ક્રિયાઓથી સ્કૃષ્ટ કહેવાય અને જો મરનાર છ માસ પછી મરે તો મારનાર કાયિકી યાવતુ-પારિતાપનિકી ક્રિયાથી-ચાર ક્રિયાથી સૃષ્ટ કહેવાય. [1] હે ભગવન્! કોઈ એક પુરુષ બીજા પુરુષને બરછીવડે મારે, અથવા પોતાના હાથથી તલવાર વડે તે પુરુષનું માથું કાપી નાખે, તો તે પુરુષ કેટલી ક્રિયાવાળો કહેવાય ? હે ગૌતમ ! જ્યાં સુધી તે પુરુષ પુરુષને બરછીવડે મારે અથવા પોતાના હાથે તલવારવડે તે પુરુષનું માથું કાપી નાખે ત્યાંસુધી તે પુરુષ કાયિકી, અધિકરણિકી વાવતુ-પ્રાણાતિપાત ક્રિયા વડે-પાંચ કિયાવડે ઋષ્ટ છે. અને તે પુરુષ આસન્નવધક તથા બીજાના પ્રાણની દરકાર નહીં રાખનાર પુરુષવેરથી સ્પર્શાય છે. [2] હે ભગવન્! સરખા, સરખી ચામડીવાળા, ઉમરવાળા, દ્રવ્યવાળા તથા સમાન ઉપકરણવાળા કોઈ એક બે પુરુષ હોય અને તે પુરુષો પરસ્પર લડાઈ કરે તેમાં એક પુરુષ જીતે અને એક પુરુષ હારે, હે ભગવન્! તે કેવી રીતે બને? હે ગૌતમ! જે પુરુષ વિયવાળો હોય તે જીતે છે અને વીર્યરહિત હોય તે હારે છે. હે ભગવન્! તેનું શું કારણ? હે ગૌતમ! જે પુરુષે વીર્યરહિત કર્યો નથી બાંધ્યા, નથી સ્પેશ્ય, યાવતુ-નથી પ્રાપ્ત કર્યો અને તેના તે કર્મો ઉદીર્ણ નથી, પણ ઉપશાંત છે તે પુરુષ જીતે છે. અને જે પુરુષે વીર્યરહિત કર્મો બાંધ્યા છે, સ્પેશ્ય છે અને યાવત્ તેના તે કમોં ઉદયમાં આવેલા છે પણ ઉપશાંત નથી તે પુરુષ પરાજય પામે છે. માટે હે ગૌતમ! તે કારણથી એમ કહ્યું છે કે, વીર્યવાળો પુરુષ જીતે છે અને વીર્યરહિત પુરુષ હારે છે. [3] હે ભગવન્! શું જીવો વીર્યવાળા છે? કે વિધવિનાના છે? હે ગૌતમ! જીવો વીવાળા પણ છે અને વીર્યરહિત પણ છે હે ભગવન્! તેનું શું કારણ? હે ગૌતમ ! જીવો બે પ્રકારના કહ્યા છે. સંસારસમાપન્ક અને અસંસારસમાપન્નક તેમાં જે જીવો અસંસારસમાપનક છે તે સિદ્ધો છે, અને તેઓ વીર્યરહિત છે તથા તેમાં જે જીવો સંસારસમાપનક છે તે બે પ્રકારના કહ્યા છે. - શૈલપ્રતિપન અને અશૈલપ્રતિપન. તેમાં જે શૈલપ્રતિપન્ન છે તે લધ્વીવીયવડે સવાર્ય છે અને કરણવીર્યવડે અવીર્ય છે. તથા જેમાં જે અશૈલેશપ્રતિપન્ન છે તે લબ્ધિવીર્યવડે સવાર્ય હોય છે, પણ કરણવીર્યવડે તો વીર્ય તથા અવીર્ય પણ હોય છે. માટે હે ગૌતમ! તે હેતુથી એમ કહ્યું છે કે, જીવો બે જાતના છેવીર્યવાળા અને વીર્યવિનાના પણ છે હે ભગવનું ! શું નૈરયિકો વીર્યવાળા છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy