SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧, ઉદેસો-૯ વિવિનાના છે ! હે ગૌતમ ! તે નૈરયિક લબ્ધિવીર્યવર્ડ સવીય છે અને કરણવીર્યવડે સવર્ય અને અવીર્ય પણ છે. હે ભગવનુ ! તેનું શું કારણ ? હે ગૌતમ ! જે નારકીઓ ઉત્થાન, કર્મ બલ, વીર્ય અને પુરુષાકાર પરાક્રમ છે, તે નૈરયિકો લબ્ધીવીયવડે અને કરણવીયવડે અવીર્ય છે. માટે હે ગૌતમ ! હે હેતુથી પૂર્વ પ્રમાણે જાણવું. એ પ્રમાણે થાવતુ-પંચેદ્રિયતિર્યંચયોનિકો સુધીના જીવો વિષે નૈરયિકોની પેઠે જાણવું અને સામાન્ય જીવોની પેઠે મનુષ્યો વિષે જાણવું. વિશેષ એ કે, સિદ્ધોને વર્જી દેવા, સામાન્ય જીવોમાં આવતા સિદ્ધોની પેઠે મનુષ્યો ન જાણવા. તથા વાનવ્યંતરો જ્યોતિર્ષિકો અને વૈમાનિકો નૈરયિકોની પેઠે જાણવા. હે ભગવન્! તે એ પ્રમાણે છે, યાવતુ વિહરે છે. શતક: ૧-માઉસો-૮નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] ( ઉદેશકઃ 9:-) [94 હે ભગવન્! શું સાતમો અવકાશાંતર ભારે છે, હળવો છે, ભારે હળવો છે. કે અગુરુ લઘુ-ભારે હળવા સિવાયનો છે ? હે ગૌતમ ! તે ભારે નથી, હળવો નથી, ભારે હળવો નથી પણ અગુરુલઘુ-ભારે હળવા સિવાયનો છે. હે ભગવન્! સાતમો તનુવાત ભારે છે, હળવો છે, ભારે હળવો છે કે અગુરુલઘુ છે? હે ગૌતમ ! તે ભારે નથી, હળવો નથી, ભારે હળવો છે પણ અધુરુલઘુ નથી. [5] એ પ્રમાણે સાતમો ધનવાત. ધનોદધિ, સાતમી પૃથ્વિ અને બધાં અવકાશાંતરો જાણવો. સાતમા અવકાશાંતર વિષે તનુવાત વિષે જેમ કહ્યું છે-એ પ્રમાણે ઘનોદધિ પૃથિવી, દ્વીપ, સમુદ્ર, અને ક્ષેત્રો વિષે પણ જાણવું. હે ભગવન્! શું નૈરયિકો ભારે છે, વાવતુ-અગુરુલઘુ છે? હે ગૌતમ ! તેઓ ભારે નથી, હળવા નથી, ભારે હળવા છે અને ભારે હળવા સિવાયના પણ છે. હે ભગવનું ! તેનું શું કારણ? હે ગૌતમ ! નૈરયિકો વૈક્રિય અને તૈક્સ શરીરની અપેક્ષાએ ભારે નથી, હળવા નથી, અને ભારે હળવા સિવાયના નથી. પરંતુ ભારે હળવા છે. અને જીવ તથા કર્મની અપેક્ષાએ ભારે નથી, હળવા નથી. ભારે હળવા નથી, પણ ભારે હળવા સિવાયના છે. હે ગૌતમ ! તે કારણથી પૂર્વ પ્રમાણે કહ્યું છે. અને એ પ્રમાણે યાવતુ-વૈમાનિકો સુધી જાણવું. વિશેષ એ કે, શરીરોનો ભેદ જાણવો. તથા ધમસ્તિકાય અને યાવતુ-જીવાસ્તિકાય એ બધા અગુરુલઘુ જાણવા. હે ભગવન્! શું પુદ્ગલાસ્તિકાયગુરુ છે, લઘુ છે, ગુરુલઘુ છે, કે અગુરુલઘુ છેહે ગૌતમ! પુદ્ગલાસ્તિકાય ગુરુ નથી, લઘુ નથી પણ ગુરુલઘુ છે, અને અગુરુલઘુ પણ છે. હે ભગવન્! તેનું શું કારણ ! હે ગૌતમ ! ગુરુલઘુ દ્રવ્યની અપેક્ષાએ ગુરુ નથી, લઘુ નથી, અગુરુલઘુ નથી પણ ગુરુલઘુ છે અને અગુરુલઘુ દ્રવ્યોની અપેક્ષાએ ગુર નથી, લઘુ નથી, ગુરુલઘુ નથી, પણ અગુરુલઘુ છે. સમયો અને કમોં અગુરુલઘુ છે. હે ભગવન્! શું કૃષ્ણલેશ્યા ગુરુ છે, યાવતુ-અગુરુલઘુ છે? હે ગૌતમ ! તે ગુરુ નથી. લઘુ નથી, પણ ગુરુલઘુ છે અને અગુરુલઘુ પણ છે. હે ભગવન્! તેનું શું કારણ ! હે ગૌતમ ! દ્રવ્યલેશ્યાની અપેક્ષાએ કૃષ્ણલેશ્યા ગુરુલઘુ છે અને ભાવલેશ્યાની અપેક્ષાએ કૃષ્ણલેશ્યા અગુરુલઘુ છે. એ પ્રમાણે યાવતું-શુક્લલેશ્યા સુધી જાણવું. તથા વૃષ્ટિ, દર્શન, જ્ઞાન, અજ્ઞાન. અને સંજ્ઞાને અગુરુલઘુ જાણવા. હેઠળના ચાર શરીર ગુરુલઘુ જાણવા. કાર્પણ શરીરને ગુરુલઘુ જાણવું મન યોગ વચન યોગ, શબ્દ, સાકાર ઉપયોગ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy