SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧, ઉસો-૮ 35 બાલપંડિત મનુષ્ય શું નૈરયિકનું આયુષ્ય બાંધે કે વાવ-દેવનું આયુષ્ય બાંધી દેવમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ ! તે નૈરયિકનું આયુષ્ય ન કરે અને વાવતુ-દેવનું આયુષ્ય બાંધી દેવમાં ઉત્પન્ન થાય હે ભગવન્! તેનું શું કારણ? હે ગૌતમ! બાલપંડિત મનુષ્ય તથા પ્રકારના શ્રમણ કે બ્રાહ્મણની પાસેથી એક પણ ધાર્મિક અને આર્યવચન સાંભળી. અવધારી, કેટલીક પ્રવૃત્તિથી અટકે છે અને કેટલીક પ્રવૃત્તિથી નથી અટકતો. કેટલાકનું પચ્ચકખાણ કરે છે અને કેટલાકનું પચ્ચકખાણ નથી કરતો. માટે હે ગૌતમ ! તે હેતુથી નૈરયિકનું આયુષ્ય બાંધતો નથી યાવતુદેવનું આયુષ્ય બાંધી દેવોમાં ઉત્પન્ન થાય છે તે કારણથી પૂર્વવત્ કહ્યું છે. [7] હે ભગવન્! હરણોથી આજીવીકા ચલાવનાર, હરણોનો શિકારી અને હરણોને મારવા માટે તલાલીન એવો કોઈ પુરુષ હરણને મારવા માટે નદીના પાણીથી ઘેરાયલા ઝાડીવાળા સ્થાનમાં ઝરા તરફ, પાણીના વહેળામાં, ઘાસ વગેરેના ઢગલામાં. ગોળાકાર નદીના વાંકાચૂકા ભાગમાં, અંધારાવાળી જગ્યાએ, જંગલમાં પર્વતના એક ભાગમાં રહેલા વનમાં, પર્વતના ડુંગરાવાળા પ્રદેશવનમાં, તથા અનેક વૃક્ષોવાળા વનમાં જઇ “એ મૃગો છે એમ કહી એક મૃગના વધ માટે ખાડા અને જાળ રચે. તો હે ભગવન્! તે પુરુષ કેટલી ક્રિયાવાળો કહેવાય ? હે ગૌતમ ! તે પુરુષ કચ્છમાં યાવતુ-જળ રચે તો કદાચ ત્રણ કિયાવાળો, કદ્યચ ચાર ક્રિયાવાળો અને કદાચ પાંચ કિયાવાળો કહેવાય. હે ભગવન્! તેનું શું કારણ? જ્યાં સુધી તે પુરુષ તે જાળને ધારણ કરે છે, અને મૃગોને બાંધતો નથી, તથા મારતો નથી, ત્યાં સુધી તે પુરષ કાયિકી, અધિકરણિકી અને પ્રાષિકી ક્રિયાઓથી અશથિલો છે. વળી જ્યાં સુધી તે પુરુષ તે જાળને ધરી રાખે છે અને મૃગોને બાંધે છે પણ મૃગોને મારતો નથી ત્યાંસુધી તે પરષ કાયિકી, અધિકરણિકી, પ્રષિકી અને પારિતાપનિકી ક્રિયાઓથી સ્પશએિલો છે વળી જ્યાં સુધી તે પુરુષ તે જાળને ધરી રાખે, મૃગોને બાંધે અને મૃગોને મારે ત્યાં સુધી તે પુરુષ કાયિકી, અધિકરણિકી, પ્રાષિકી, પારિતાપનિકી અને પ્રાણાતિપાતક્રિયા એ પાંચ ક્રિયાવાળો કહેવાય છે. માટે હે ગૌતમ! તે હેતુથી પાંચ ક્રિયાવાળો કહેવાય છે. [88] હે ભગવન્! અનેક વૃક્ષોવાળા વનમાં કોઈ પુરુષ તરણાંને ભેગા કરીને બાળે તો તે કેટલી ક્રિયાવાળો કહેવાય ? હે ગૌતમ ! તે પુરુષ કદાચ ત્રણ, ચાર અને પાંચ ક્રિયાવાળો કહેવાય. હે ભગવનું ! તેનું શું કારણ? હે ગૌતમ! જ્યાંસુધી તે પુરુષ તરણાંને ભેગાં કરે ત્યાંસુધી ત્રણ ક્રિયાવાળો, અને આગ મૂકે પરંતુ બાળે નહિ ત્યાંસુધી ચાર ક્રિયાવાળી, અને આગ મૂકી બાળે ત્યારે તે કાયિકી વિગેરે પાંચ ક્રિયાવાળો કહેવાય માટે હે ગૌતમ! તે કારણથી પૂર્વ પ્રમાણે કહ્યું છે. [8] હે ભગવન્! હરણોથી આજીવિકા ચલાવનાર, હરણોનો શિકારી અને હરણોના શિકારમાં તલાલીન એવો કોઈ પુરુષ હરણને મારવા માટે કચ્છમાંવૃક્ષોવાળા વનમાં જઈ “એ મૃગ છે એમ કહી કોઈ એક હરણને મારવા બાણને ફેકે છે, તો તે પુરુષ કેટલી ક્રિયાવાળો કહેવાય? હે ગૌતમ ! તે પુરુષ કદાચ ત્રણ, ચાર, અને પાંચ ક્રિયાવાળો પણ કહેવાય. હે ભગવન્! તેનું શું કારણ? હે ગૌતમ! તે પુરુષ બાણને ફેંકે પરંતુ મૃગને વિંધે નહિ મારે નહિં, ત્યાંસુધી ત્રણ ક્રિયાવાળો, અને તે પુરુષ બાણને ફેંકે અને મૃગને વિંધે છે પણ મારતો નથી ત્યાંસુધી ચાર કિયાવાળો, વળી બાણને ફેંકે, વિધે અને મૃગને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy