SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ 383 શતક-૧૮, ઉદેસી-૪ યાવત, મિથ્યાદર્શનશલ્ય ત્યાગ, ધમસ્તિકાય, અધમસ્તિકાય, યાવતુ-પર- માણુ પુદ્દલ, તથા શૈલેશી પ્રાપ્તઅનગાર, એ બધા મળીને જીવદ્રવ્યરુપ અને અજીવદ્રવ્યરુપ બે પ્રકારના છે. તે જીવના પરિભોગમાં આવતા નથી. [૭૩૪હે ભગવન્! કષાય કેટલા કહ્યા છે? હે ગૌતમ ! ચાર કષાયો કહ્યા છે. અહિં સમગ્ર કષાયપદ યાવતુ-લોભના વેદન વડે નિર્જરા કરશે ત્યાં સુધી કહેવું. હે ભગવન્! કેટલાં-યુગ્મો-કહ્યાં છે, હે ગૌતમ ! ચાર યુગ્મો કૃતયુગ્મ વ્યાજ, દ્વાપરયુગ્મ અને લ્યોજ, હે ભગવન્! એમ ચાર રાશિઓ કહેવાનું શું કારણ? હે ગૌતમ! જે રાશિ માંથી ચાર ચાર કાઢતાં છેવટે ચાર બાકી રહે તે રાશિ કૃતયુગ્મ. જે રાશિમાંથી ચાર કાઢતાં છેવટે ત્રણ બાકી રહે તે રાશિ સ્રોજ. જેમાંથી ચાર ચાર કાઢતાં છેવટે બે બાકી રહે તે રાશિને દ્વાપરયુગ્મ કહે છે, અને જે રાશિમાંથી ચાર ચાર કાઢતાં એક બાકી રહે તે રાશિને કલ્યોજ કહે છે. શું નૈરયિકો કૃતયુગ્મરાશિપ છે, યાવતુ કલ્યો જપ છે? હે ગૌતમ ! તેઓ જઘન્યપદે કૃતયુગ્મ છે અને ઉત્કૃષ્ટપણે જ છે. તથા અજઘન્યોત્કૃષ્ટ પદે કદાચ કૃતયુગ્મરુપ હોય, યાવતુ-કદાચ કલ્યોજપ પણ હોય, એ પ્રમાણે વાવતુ નિતકુમારો સુધી જાણવું. વનસ્પતિકાયિકો સંબંધે પ્રશ્ન. તેઓ જઘન્યપદ અને ઉત્કૃષ્ટપદની અપેક્ષાએ અપદ છે. પણ મધ્યમપદની અપેક્ષાએ કદાચ કૃતયુગ્મ અને યાવતુ-કદાચ કલ્યોજ૫ હોય છે. બેઈદ્રિયો સંબંધે પ્રશ્ન. તેઓ જઘન્યપદની અપેક્ષાએ કૃતયુગ્મ અને ઉત્કૃષ્ટપદે દ્વાપરયુગ્મ, મધ્યમપદે કદાચ કૃતયુગ્મ અને ઉત્કૃષ્ટપદે દ્વાપર યુગ્મ તથા મધ્યમપદે કદાચ કૃતયુગ્મ અને યાવતુ-કદાચ કલ્યોજરૂપ હોય એ પ્રમાણે વાવતુ-ચઉરિંદ્રિય જીવો સુધી જાણવું. બાકીના એકેદ્રિયો, બેઈદ્રિયોની પેઠે જાણવા. પંચેદ્રિયતિચો અને યાવતુંવૈમાનિકો નૈરયિકોની પેઠે સમજવા અને સિદ્ધો વનસ્પતિ- કાયિકોની પેઠે જાણવા. શું સ્ત્રીઓ કૃતયુગ્મ છે-ઈત્યાદિ પ્રશ્ન. તેઓ જઘન્ય ઉત્કૃષ્ટ પદે કૃતયુગ્મ છે, મધ્યમ પદે કદાચ કતયુગ્મ અને કદાચ કલ્યોજ હોયછે. એ પ્રમાણે અસુરકુમારની યાવતુસ્વનિતકુમારની સ્ત્રીઓ હોય છે. તિર્યંચયનિક મનુષ્ય સ્ત્રીઓ યાવતુવાનયંતર, જ્યોતિષિક અને વૈમાનિકીઓ પણ જાણવી. [૭૩૫]ભગવન્! જેટલા અલ્પઆયુષવાળા અંધકવતિજીવો છે તેટલા ઉત્કૃષ્ટ આયુષવાળા અંધકવહિ જીવો છે? હે ગૌતમ! હા, શતક:૧૮-ઉદેસા૪નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ ( ઉદ્દેશક: 5 [૭૩]હે ભગવન્! એક અસુરકુમારવાસમાં બે અસુરકુમારો અસુરકુમાર દેવપણે ઉત્પન્ન થયા. તેમાંનો એક અસરકમાર દેવ પ્રસન્નતા ઉત્પન્ન કરનાર, દર્શનીય. સુંદર અને મનોહર છે, બીજો અસુરકુમાર દેવ નથી, તો શું કારણ? હે ગૌતમ ! અસુરકુમાર દેવો બે પ્રકારના -વૈક્રિય અને અવૈક્રિય તેમાં જે અસુરકુમાર દેવ વિભૂષિત શરીરવાળો છે તે પ્રસન્નતા ઉત્પન્ન કરનાર અને મનોહર છે, અને જે અસુરકુમાર દેવ અવિભૂષિત શરીરવાળો છે તે પ્રસન્નતા ઉત્પન્ન કરનાર અને મનોહર નથી. શા કારણથી હે ગૌતમ ! આ મનુષ્યલોકમાં જેમ કોઈ બે પુરુષો હોય, તેમાં એક પુરુષ આભૂષણોથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy