SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧૮, ઉદેસી-૩ 381 નિર્ભરતા, ચરમશરીરને છોડતા, ચરમ મરણો મારતા તથા મારણાત્તિક કર્મને વેદતા, મારાત્તિક કર્મને નિર્જરતા, મારણાન્તિકે મરણ અને મારશાન્તિકશરીરને છોડતા ભાવિતાત્મા અનગારના જે ચરમનિર્જરાના પુદ્ગલો છે તે પુદ્ગલોને સૂક્ષ્મ કહેવામાં આવ્યા છે, અને તે પુલો સમગ્ર લોકને અવગાહીને રહે છે ? હા, માકંદિકપુત્ર ! ભાવિ તાત્મા અનગારના તે ચરમ નિર્જરાપુદગલો યાવતુ-સમગ્ર લોકને વ્યાપીને રહે છે. હે ભગવન! છદ્મસ્થ મનુષ્ય ને નિર્જરા પુલોનું પરસ્પર જુદાપણું યાવતુ નાનાપણું જાણે અને જુએ ? “જેમ પ્રથમ ઈન્દ્રિયોદ્દેશકમાં કહેવામાં આવ્યું છે તે પ્રમાણે યાવતું એમ વૈમાનિકો સુધી કહેવું. તેમાં જેઓ ઉપયોગયુક્ત છે તેઓ તે પુદગલોને જાણે છે, જુએ છે અને ગ્રહણ કરે છે. તે કારણ માટે એ સમગ્ર નિક્ષેપ- કહેવો. હે ભગવનું નૈરયિકો સંબંધે પ્રશ્ન. તેઓ નિરાપદલોને જાણતા નથી જોતા નથી, પણ તેનો આહાર કરે છે. એમ યાવતુ-પંચેન્દ્રિતિયચયોનિક સુધી જાણવું. હે ભગવન્! મનુષ્યો શું નિર્જરા પુલોને જાણે છે, જુએ છે અને આહારે છે-ગ્રહણ કરે છે, કે જાણતા નથી જોતા નથી અને ગ્રહણ કરતા નથી? હે ગૌતમ! કેટલાક જાણે છે, જુએ છે અને આહારે છે, અને કેટલાક જાણતા નથી, જોતા નથી પણ તેઓનો આહાર કરે છે. હે ભગવન્! શા માટે ? હે ગૌતમ! મનુષ્ય બે પ્રકારના કહ્યા છે, સંજ્ઞીરુપ- અને અસંજ્ઞીરુપ તેમાં જે અસંજ્ઞીપ છે તે જાણતા નથી, જોતા નથી, પણ તે નિર્જરા પુદગલોનો આહાર કરે છે, અને જે સંજ્ઞીરુપ છે તે પણ એ પ્રકારના છે, ઉપયુક્ત અને અનુપયુક્ત. તેમાં જે વિશિષ્ટ જ્ઞાનના ઉપયોગ રહિત છે તે જાણતા નથી, જોતા નથી, પણ આહાર કરે છે. જે વિશિષ્ટ ઉપયોગવાળા છે તેઓ તેને જાણે છે, જુએ છે અને તેનો આહાર કરે છે, તે કારણથી હે ગૌતમ! એમ કહેવાય છે કે કેટલાંક જાણતા નથી. જોતા નથી પણ તેનો આહાર કરે છે અને કેટલાંક જાણે છે, જુએ છે અને તેનો આહાર પણ કરે છે, વાણવ્યંતર અને જ્યોતિષ્કોની વક્તવ્યતા નૈરયિકો પ્રમાણે સમજવી. હે ભગવનું ! વૈમાનિકો સંબંધે પ્રશ્ન હે ગૌતમ ! મનુષ્યોની જેમ વૈમાનિકોની વક્તવ્યતા જાણવી. પરન્તુ વિશેષ એ છે કે, વૈમાનિકો બે પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે-માયી મિથ્યાવૃષ્ટિ અને સમ્યગ્દષ્ટિ. તેમાં જે માહીમિથ્યાદ્રષ્ટિદેવ છે તેઓ નિર્જરાપુદગલોને જાણતાનથી, જોતા નથી પણ આહારે છે. તથા જે અમાયી સમ્યગ્દષ્ટિછે, તે બેપ્રકારના અન્તરોપપત્રક અને પરંપરોપપત્રક. તેમાં જે અનંતરોપપત્રક- છે તે જાણતા નથી, જોતાં નથી, પણ આહારે છે, અને જે પરંપરોપપન્નક છે તે બે પ્રકારના પર્યાપ્તક અને અપયHક. તેમાં જે અપર્યાપ્તક છે તે જાણતા નથી, જેતા નથી, પણ આહારે છે. જે પર્યાપ્તક છે તે બે પ્રકારનાઉપયુક્ત અને અનુપયુક્ત. તેમાં જે અનુપયુક્ત છે તે જાણતા નથી, જોતાં નથી પણ આહારે છે. ૭િ૩૦]હે ભગવન્! બંધ કેટલા પ્રકારનો કહ્યો છે ? હે માકદિકપુત્ર ! બંધ બે પ્રકારનો દ્રવ્ય-બંધ અને ભાવબંધ. દ્રવ્યબંધ કેટલા પ્રકારનો કહ્યો છે? હે માકંદિકપુત્ર! બે પ્રકારનો પ્રયોગબન્ધ અને વિસસાબન્ધ (સ્વાભાવિકબન્ધ) હે ભગવનું ! વિસ્મસા બંધ કેટલા પ્રકારનો કહ્યો છે ? હે મા કંદિકપત્ર! તે બે પ્રકારનો-સાદિ વિસ્રસાબન્ધ અને અનાદિ વિસસાબબ્ધ, પ્રયોગબન્ધ કેટલા પ્રકારનો કહ્યો છે ? તે બે પ્રકારનો-શિથિલ બન્ધવાળો બન્ધ અને ગાઢબન્ધનવાળો બન્ધ. હે ભગવન્! ભાવબન્ધ કેટલા પ્રકારનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy