SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ 372 ભગવાઈ - 17-3% યાવતુ-કાશ્મણશરીર ચલના સુધી જાણવું. હે ભગવન્! શા કારણથી શ્રોત્રિયચલના કિહેવામાં આવે છે? એ પ્રમાણે કાયયોગચલના પણ જણાવી. [૩૦]હે ભગવન્! સંવેગનનિર્વેદ-ગુઓની તથા સાધર્મિકોની સેવા, પાપોની આલોચનાનિંદાગ્નેહ-ક્ષમાપના, ઉપશાંતતા, શ્રુતસહાયતા ઉપયોગ, શ્રોત્રેન્ટિયર્સ વર, યાવતુ-સ્પર્શેન્દ્રિયસંવર, યોuત્યા- ખ્યાન, શરીપ્રત્યાખ્યાન, કષાયપ્રત્યાખ્યાન, સંભોગપ્રત્યાખ્યાન, ઉપધિપ્રત્યાખ્યાન,વચનસંગોપન-કાયસંગોપન, ક્રોધનો ત્યાગ. યાવતુ મિથ્યાદર્શનશલ્યનો ત્યાગ, જ્ઞાનસંપન્નતા, દર્શનસંપન્નતા, ચારિત્રસંપન્નતા, સુધાદિ વેદનામાં સહનશીલતા અને મરણાત્તિક કષ્ટમાં સહનશીલતા-એ બધા પદનું હે આયુષ્યનું શ્રમણ ! અન્તિમ ફળ શું કહ્યું છે? હે ગૌતમ! મોક્ષ કહ્યું છે. “હે ભગવન્! તે એમજ છે. તે એમજ છે.” | શતક ૧૭-ઉદેસાર૩નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] ( ઉદ્દેશકઃ૪) [૭૦]તે કાળે તે સમયે રાજગૃહ નગરમાં (ભગવાન્ ગૌતમ) લાવતુ આ પ્રમાણે બોલ્યા કે, હે ભગવન્! જીવો વડે પ્રાણાતિપાત દ્વારા ક્રિયા-કર્મ કરાય છે? હા, કરાય છે. હે ભગવન્! તે ક્રિયા ધૃષ્ટ કે અસ્પૃષ્ઠ? હે ગૌતમ ! તે ઋષ્ટ કરાય. પણ અસ્પષ્ટ ન કરાયઈત્યાદિ બધું પ્રથમ શતકના છઠ્ઠા ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે કહેવું યાવતુ-તે ક્રિયા અનુક્રમે કરાય છે, પણ અનુક્રમ વિના કરાતી નથી. એ પ્રમાણે યાવત-વૈમાનિકો સુધી જાણવું. પરન્તુ વિશેષ એ કે જીવો અને એકેન્દ્રિયો વ્યાઘાત સિવાય છે એ દિશામાંથી આવેલાં કર્મ કરે છે, અને જે વ્યાઘાત હોય તો કૌચ ત્રણ કે, ચાર કે પાંચ દિશામાંથી, આવેલાં કર્મ કરે છે. હે ભગવન્! જીવો મૃષાવાદદ્વારા કર્મ કે છે? હા, કરે છે. હે ભગવન્! શું તે ક્રિયા- ઋષ્ટ કરાય-ઈત્યાદિ પ્રશ્ન. જેમ પ્રાણાતિપાત સંબન્ધ દેડક કહ્યો છે તેમ મૃષાવાદ સંબન્ધ પણ કહેવો. એમ અદત્તાદાન, મિથુન અને પરિગ્રહસંબધે પાંચે દડકો કહેવા. હે ભગવન્! જે સમયે જીવો પ્રાણાતિપાત દ્વારા (કમી કરે છે તે સમયે ભગવન્! તે પૃષ્ટ કર્મ કરે છે કે અસ્પૃષ્ઠ કર્મ કરે છે? પૂર્વ પ્રમાણે જાણવું. યાવતુ તે “અનાનુપૂર્વીકૃત નથી ત્યાં સુધી કહેવું. એ પ્રમાણે યાવતુ- ક્રમથી વૈમાનિકો સુધી વાવતુ-પરિગ્રહ સંબધે જાણવું. હે ભગવન્! જે ક્ષેત્રમાં જીવો પ્રાણાતિપાત દ્વારા કર્મ કરે છે તે ક્ષેત્રમાં પૃષ્ટ કે અસ્પૃષ્ટ કર્મ કરે છે-ઈત્યાદિ પ્રશ્ન. પૂર્વ પ્રમાણે ઉત્તર કહેવો. વાવતુ-પરિગ્રહ સુધી જાણવું. એમ પાંચે દંડકો કહેવા. હે ભગવન્! જે પ્રદેશમાં જીવો પ્રાણાતિપાત દ્વારા કર્મ કરે છે તે પ્રદેશમાં શું ઋષ્ટ કર્મ કરે છે કે અસ્પૃષ્ઠ કર્મ કરે છે-ઈત્યાદિ પૂર્વ પ્રમાણે દંડક કહેવો, એ પ્રમાણે યાવ-પરિગ્રહ સુધી જાણવું. એમ બધા મળીને વિશ દંડકો કહેવા. [70] હે ભગવન્! જીવોને જે દુઃખ છે તે શું આત્મકૃત છે પરકૃત છે કે ઉભયકૃત છે? હે ગૌતમ! જીવોને દુઃખ છે તે આત્મકૃત છે, પરકૃત નથી. તેમ ઉભયત પણ નથી, એ પ્રમાણે ક્રમથી પાવ-વૈમાનિકો સુધી જાણવું. જીવો શું આત્મકૃત દુખ વેદે છે, પરકતા દુઃખ વેદ છે કે તદુભયકૃત દુઃખ વેદે છે? જીવો આત્મકૃત દુઃખ વેદે છે, પરકૃત કે ઉભયકૃત દુઃખ વેદતા નથી. એ પ્રમાણે યાવતુ-વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! જીવોને જે વેદના છે તે શું આત્મકૃત છે, ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ! વેદના આત્મકૃત છે, પરકત કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy