SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧૭, ઉદેસો-૨ 371 જીવાત્મા છે.” [૭૦૨]હે ભગવન્! મોટી દ્ધિવાળો, યાવતુ-મોટા સુખવાળો દેવ પહેલાં રુપી હોઈને-મૂર્ત સ્વરૂપ ધારણ કરી પછી અરુણી રુપ વિક્ર્વવાને સમર્થ છે? તે અર્થ સમર્થ નથી. હું એ જાણું છું. હું એ જોઉં છું. હું એ નિશ્ચિત જાણું છું. હું એ સર્વથા જાણું છું. મેં એ જામ્યું છે, મેં એ જોયું છે, મેંનિશ્ચિત જાણ્યું છે અને મેં એ સર્વથા જાણ્યું છે કે, તેવા પ્રકારના રુપવાળા, કર્મવાળા. રાગવાળા, વેદવાળા, મોહવાળા, વેશ્યાવાળા, શરીરવાળા, અને શરીરથી નહિ મૂકાયેલા- જીવને વિશે એમ જણાય છે, તે આ પ્રમાણે તે શરીરયુક્ત જીવમાં-કાળાપણું, યાવતું-ધોળાપણું, સુગંધિપણું કે દુગધિપણું, કડવાપણું કે વાવતું મધુરપણું, તથા કર્કશપણું તે વાવતુ-રુક્ષપણું હોય છે, માટે હે ગૌતમ! તે હેતુ થી લાવતુ-તે દેવ પૂર્વ પ્રમાણે વિકુવવા સમર્થ નથી. શતકાઉદેસોર નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા ! (ઉદેશક 3) [૭૩]હે ભગવન્! શૈલેશી અવસ્થાને પ્રાપ્ત થયેલ અનગાર શું સદા નિરન્તર કંપે, અને યાવત તે તે ભાવે પરિણમે ? એ અર્થ સમર્થ નથી, માત્ર એક પરપ્રયોગ વિના ન કંપે. હે ભગવન્! એજના (કંપન) કેટલા પ્રકારની કહી છે? હે ગૌતમ ! પાંચ પ્રકારની. દ્રવ્યએજનાયાવતું ભવએજના. હે ભગવન્! દ્રવ્યએજના કેટલા પ્રકારની કહી છે? હે ગૌતમ ! ચાર પ્રકારની નૈરયિકદ્રવ્ય એજના, યાવતુ દેવદ્રવ્યએજના. હે ભગવનું ! શા. કારણથી નૈરયિકદ્રવ્યએજના' કહેવામાં આવે છે ? હે ગૌતમ ! જે માટે નૈરયિકો. નૈરયિકદ્રવ્યમાં વર્તતા હતા, વર્તે છે અને વર્તશે, તે નૈરયિકોએ નૈરયિકદ્રવ્યમાં વર્તતા. નૈરયિકદ્રવ્યની એજના કરી હતી, કરે છે અને કરશે, તે માટે મનુષ્યદ્રવ્યએજના અને દેવદ્રવ્યએજના પણ જાણવી. હે ભગવન્! ક્ષેત્રએજના કેટલા પ્રકારની કહી છે ? હે ગૌતમ ! ચાર પ્રકારની-નરયિક ક્ષેત્રએજના, યાવતુ-દેવક્ષેત્રએજન. હે ભગવનું ! નૈરયિકક્ષેત્રએજના કહેવાનું શું કારણ ? પૂર્વ પ્રમાણે જાણવું. વિશેષ એ કે નૈરયિકદ્ર વ્યએજનાને બદલે નૈરયિકક્ષેત્રએજના કહેવી. અને એમ યાવતુવ ક્ષેત્રએજના સુધી જાણવું. તથા કાલએજના, ભવ્યએજના અને ભાવએજના વિષે પણ એ પ્રમાણે જાણવું. ૭િ૦૪હે ભગવનું ! ચલના કેટલા પ્રકારની કહી છે? ત્રણ પ્રકારની શરીરચલના, ઈન્દ્રિયચલના અને યોગચલના. હે ભગવનું ! શરીરચલના કેટલા પ્રકારની કહી. છે ? પાંચ પ્રકારની. ઔદારિકશરીરચલના, યાવતુ-કાશ્મણ શરીરચલના. હે ભગવન્! ઈન્દ્રિયચલના કેટલા પ્રકારની કહી છે ? હે ગૌતમ! પાંચ પ્રકારની. શ્રોત્રેન્દ્રિય ચલના, યાવતુ-સ્પર્શેન્દ્રિય ચલના. હે ભગવનું ! યોગચલના કેટલા પ્રકારની કહી છે ? ત્રણ પ્રકારની. મનોયોગચલના, વચનયોગ ચલના અને કાયયોગ ચલના. હે ભગવન્! શા. હેતુથી ઔદારિકશરીરચલના કહેવાય છે ?હે ગૌતમ!જે માટે ઔદારિક શરીરમાં વર્તતા જીવોએ ઔદારિક શરીરયોગ્ય દ્રવ્યોને ઔઘરિકશરીરપણે પરિણામાવતા ઔદ્યરિકશરીરની ચલના કરી છે, કરે છે અને કરશે, તે કારણથી એમ કહ્યું. હે ભગવન! શા કારણથી વૈક્રિયશરીરચલના કહેવામાં આવે છે ? પૂર્વ પ્રમાણે બધું જાણવું. વિશેષ એ કે વૈક્રિયશરીરને વિષે વર્તતા ઈત્યાદિ કહેવું. એજ પ્રમાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy