SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવઈ - 17-299 -આળોટવાને સમર્થ છે? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી સંયત, વિરત અને જેણે પાપ કર્મનું પ્રત્યાખ્યાન કર્યું છે એવો જીવ ધર્મમાં સ્થિત હોય અસંયત, અવિરત અને જેણે પાપકર્મનું પ્રત્યાખ્યાન કર્યું નથી એવો જીવ અધર્મમાં સ્થિત હોય તથા સંયતાસંયત જીવ ધમધિર્મમાં સ્થિત હોય- હે ભગવન્! શું જીવો ધર્મમાં સ્થિત હોય. અધર્મમાં સ્થિત હોય કે ધમધમમાં સ્થિત હોય ? હે ગૌતમ! એ પ્રમાણે નૈરયિક સંબધે પૃચ્છા કરવી. હે ગૌતમ ! નૈરયિકો ધર્મમાં સ્થિત ન હોય, તેમ ધમધર્મમાં સ્થિત ન હોય, પણ અધર્મમાં સ્થિત હોય. એ પ્રમાણે યાવતુ-ચઉરિન્દ્રિય જીવો સુધી જાણવું. પંચેન્દ્રિય તિર્યંચ જીવો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! પંચેન્દ્રિય તિર્યંચ જીવો ધર્મમાં સ્થિત નથી, પણ તેઓ અધર્મમાં અને ધમધમમાં સ્થિત છે. મનુષ્યોને વિશે સામાન્ય જીવોની પેઠે વક્તવ્યતા કહેવી. વાનવ્યંતરો, જ્યોતિષિકો અને વૈમાનિકો વિશે એ પ્રમાણે જાણવું. [૭૦૦]હે ભગવન્! અન્યતીર્થકો એમ કહે છે, યાવતું એમ પ્રરુપે છે કે “શ્રમણો પંડિત કહેવાય છે અને શ્રમણોપાસકો બાલપંડિત કહેવાય છે, પણ જે જીવને એક પણ જીવના વધની અવિરતિ છે તે જીવ એકાન્ત બાલ' કહેવાય. આ સત્ય કેમ હોય ? હે ગૌતમ ! જે અન્યતીથિંકો આ પ્રમાણે કહે છે તેઓએ મિથ્યા- કહ્યું છે, હું આ પ્રમાણે કહું છું- ખરેખર શ્રમણ પંડિત છે અને શ્રમણોપાસકો બાલપંડિત છે, પણ જે જીવે એક પણ પ્રાણીના વધની વિરતિ કરી છે તે જીવ “એકાંન્તબાલ” ન કહેવાય. નૈરયિકો સંબન્ધ એ. પ્રમાણે પ્રશ્ર હે ગૌતમ! નૈરયિકો બાળ છે, પણ પંડિત નથી. તેમ બાલપંડિત પણ નથી. એ પ્રમાણે યાવતુ-ચઉરિંદ્રિયો સુધી જાણવું. પંચેટિંય તિર્યંચો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! પંચંદ્રિય તિર્યંચો બાલ અને બાલપંડિત હોય છે, પણ પંડિત હોતા નથી. મનુષ્યો સંબંધે સામાન્ય જીવોની વક્તવ્યતા કહેવી. તથા વાનવ્યંતર, જ્યોતિષિક અને વૈમાનિક સંબંધ નૈરયિકની વક્તવ્યતા કહેવી. [૭૦૧]હે ભગવનું અન્યતીથકો પ્રમાણે કહે છે, યાવતું પ્રરુપે છે કે પ્રાણા. તિપાતમાં, પાવતુ મિથ્યાદશલ્યમાં વર્તતા પ્રાણીનો જીવ અન્ય છે અને જીવાત્મા તેથી, અન્યછે, પ્રાણાતિપાતવિરમણમાં, યાવતું-પરિગ્રહવિરમણમાં, કોધના ત્યાગમાં વાવતું મિથ્યાદર્શનશલ્યના ત્યાગમાં વર્તતા પ્રાણીનો જીવ અન્ય છે અને તેથી તેનો જીવાત્મા અન્ય છે. ઔત્પત્તિની બુદ્ધિમાં, યાવતુ-પારિણામિકી બુદ્ધિમાં વર્તમાન પ્રાણીનો જીવ અન્ય છે અને તેથી જીવાત્મા અન્ય છે, અવગ્રહ, વાવતુ ધારણામાં વર્તમાન પ્રાણીનો જીવ અન્ય છે અને જીવાત્મા અન્યછે, ઉત્થાનમાં,યાવતુપુરુષકાર-પરાક્રમમાં વર્તમાન પ્રાણીનો જીવ અન્ય છે અને જીવાત્મા અન્ય છે, નૈરયિકપણામાં, પંચેન્દ્રિતિયચપણામાં, મનુષ્યપણામાં તથા દેવપણામાં વર્તમાન જીવ અન્ય છે અને જીવાત્મા અન્ય છે, જ્ઞાનાવ રણીયમાં મિથ્યાવૃષ્ટિ અને સમ્યગૃમિથ્યાદ્રષ્ટિમાં, ચક્ષુદર્શન, યાવતું કેવલ દર્શનમાં, આભિનિબોધિકજ્ઞાન, યાવતું કેવળ- જ્ઞાનમાં, મતિઅજ્ઞાન, શ્રતઅજ્ઞાન, અને કાર્પણ શરીરમાં, તથા મનોયોગ, વચનયોગ, અને કાયયોગમાં, સાકારોપયોગ અને અનાકારોપયોગમાં વર્તમાન પ્રાણીનો જીવ અન્ય છે અને તેનો જીવાત્મા અન્ય છે. તે કેમ સત્ય હોય? હે ગૌતમ ! જે અન્યતીથિંકો એ પ્રમાણે કહે છે, યાવત તેઓ મિથ્યા કહે છે. “પ્રાણાતિપાત યાવતુ-મિથ્યાદર્શનમાં વર્તમાન પ્રાણીનો તેજ જીવ છે અને તેજ જીવાત્મા છે, યાવતુ-અનાકારોપયોગમાં વર્તમાન પ્રાણીનો તેજ જીવ છે અને તેજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy