SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ 368 ભગવદ - 110 14689 દ્વિપકુમારો મહર્ધિક છે. યાવતુ-તેજોલેશ્યાવાળઆ સૌથી મહર્ધિક છે. [690-692] હે ભગવન્! શું ઉદધિકુમારો બધા સમાન આહારવાળા છેઈત્યાદિ પૂર્વ પ્રમાણે પ્રશ્ન. પૂર્વ પ્રમાણે જ બધું જાણવું. હે ભગવન્! તે એમજ છે, તે ભગવન્! તે એમજ છે. એ પ્રમાણે દિકુમારો વિષે તેરમો ઉદ્દેશક જાણવો અને એ પ્રમાણે સ્વનિત કુમારો વિષે ચૌદમો ઉદ્દેશક સમજવો. હે ભગવન્! તે એમજ છે. | શકા-ઉદેસા-૧૯૧૪નીમુનિદીપરત્નસાગરે કરેલગુઈરછાયાપૂર્ણ (શતક:૧૭) - ઉદેસો-૧[૯૩-૯૪]મૃતદેવના ભગવતીને નમસ્કાર કુંજર, સંયતદિ શૈલેશી, ક્રિયા, ઈશાનેન્દ્ર, પૃથિવીકાયિક, અષ્કાયિક, વાયુકાયિક, એકેન્દ્રિય, નાગકુમાર, સુવર્ણકુમાર, વિઘુકુમાર અને અગ્નિકુમાર એ સત્તર ઉદ્દેશકો કહેવાશે. [૮૫]રાજગૃહમાં નગરમાં યાવતુ- આ પ્રમાણે બોલ્યા- હે ભગવન્! ઉદાયી નામે પ્રધાન હસ્તી કઈ ગતિમાંથી મરણ પામી તુરત અહીં ઉદાયી નામે પ્રધાન હસ્તીપણે. ઉત્પન્ન થયો છે? હે ગૌતમ! અસુરકુમાર દેવ થકી મરણ પામી હે ભગવન્! આ ઉદાયી નામે હસ્તી ક્યો ઉત્પન્ન થશે? હે ગૌતમ! આ રત્નપ્રભા પૃથિવીને વિષે એક સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નરકાવાસમાં નૈરયિકપણે ઉત્પન્ન થશે. હે ભગવન્! તે ત્યાંથી મરણ પામી તુરત ક્યાં જશે, ક્યાં ઉત્પન્ન થશે? હે ગૌતમ! મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ સિદ્ધ થશે, ભૂતાનંદ નામે પ્રધાન હસ્તી કઈ ગતિમાંથી મરણ પામી તુરત અહિં ભૂતાનંદ નામે હસ્તીપણે ઉત્પન્ન થયો છે ? જેમ ઉદાથી નામે હસ્તીની વક્તવ્યતા કહી એમ ભૂતાનંદની પણ જાણવી. યાવતુ-સર્વ દુઃખોનો અન્ન કરશે. [69 હે ભગવન્! કોઈ પુરુષ તાડના ઝાડ ઉપર ચઢે, અને ત્યાં રહેલા તાડના ફળને હલાવે કે નીચે પાડે તો તે પુરુષને કેટલી ક્રિયાઓ લાગે? હે ગૌતમ! તે પુરુષને કાયિકી વગેરે પાંચ ક્રિયાઓ લાગે. જે જીવોના શરીદ્વારા તાડ વૃક્ષ તથા તાડનું ફળ ઉત્પન્ન થયું છે તે જીવોને પણ કાયિકી વગેરે પાંચ ક્રિયાઓ લાગે. હે ભગવન્! તે તાડનું ફળ પોતાના ભારને લીધે વાવત-નીચે પડે, અને નીચે પડતા તે તાડના ફળદ્વારા જે જીવો હણાય, યાવતુ-જીવિતથી જૂદ થાય, તો તેથી તે ફળ તોડનાર પુરુષને કેટલી ક્રિયાઓ લાગે ? હે ગૌતમ ! કાયિકી વગેરે ક્રિયાઓ લાગે, જે જીવોના શરીરથી તાડનું વૃક્ષા નીપજ્યું છે તે જીવોને યાવતુ ચાર ક્રિયાઓ લાગે, અને જે જીવોના શરીરથી તાડનું ફળ નીપજ્યું છે તે જીવોને તો કાયિકી યાવતુ પાંચ ક્રિયાઓ લાગે. તથા જે જીવો સ્વાભાવિક રીતે નીચે પડતાં તાડના ફળના ઉપકારક થાય છે તે જીવોને પણ કાયિકી વાવ-પાંચે ક્રિયાઓ લાગે. હે ભગવન્! કોઈ પુરુષ ઝડના મૂળને હલાવે કે નીચે પાડે તો તે પુરુષને કેટલી ક્રિયા લાગે?હે ગૌતમ!કાયિક, વગેરે પાંચે ક્રિયાઓ લાગે અને જે જીવોના શરીર થી મૂળ યાવતુ બીજ નીપજ્યાં છે તે જીવોને પણ કાયિકી વગેરે પાંચે ક્રિયાઓ લાગે. હે ભગવન્! ત્યાર પછી તે મૂળ પોતાના ભારને લીધે નીચે પડે અને બીજા જીવોનું ઘાતક થાય તો તેથી મૂળને હલાવનાર તે પુરુષને કેટલી ક્રિયા લાગે ? હે ગૌતમ! કાયિકી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy