SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ 36o ભગવઇ-૧દો-૪૬૭૨ વ્યાપ્ત થયેલા ગાત્રવાળો, થોડા અને પડી ગયેલા દાંતવાળો, ગરમીથી વ્યાકુળ થયેલો, તરસથી પીડાએલ, દુઃખી ભૂખ્યો તરસ્યો, દુર્બલ અને માનસિક ક્લેશવાળો પુરુષ હોય અને તે એક મોટા કોઠંબ નામના વૃક્ષની સૂકી, વાંકી ચૂકી ગાંઠોવાળી ચિકણી, વાંકી, અને નિરાધાર રહેલી ચંડિકા ઉપર મુંડ પરશું વડે પ્રહાર કરે, તો તે પુરુષ મોટા મોટા શબ્દો કરે પણ મોટા મોટા કકડા ન કરી શકે. એજ પ્રમાણે હે ગૌતમ! નરયિકોએ પોતાના પાપ કમ ગાઢ કર્યા છે, ચિકણા કર્યા છે. વાવતુ- તેથી તે નૈરયિકો નિવણરુપ ફળવાળા. થતા નથી. વળી જેમ કોઈ એક પુરુષ એરણ ઉપર ઘણ મારતો મોટા શબ્દ કરે યાવતુમહાપર્યવસાનવાળા થઈ. તથા જેમ કોઈ એક તરુણ, બલવાનું, યાવતુ.મેઘાવી અને નિપુણ કારીગરી પુરુષ એક મોટા શિમળાના વૃક્ષની લીલી જટાવિનાની, ગાંઠો. વિનાની, ચિકાશ વિનાની સીધી અને આધારવાળી ચંડિકા ઉપર તીક્ષ્ણ કુડાહાવડે પ્રહાર કરે તો તે પુરુષ મોટા મોટા શબ્દો કરતો નથી પણ મોટા મોટા દળને ફાડે છે, એજ પ્રમાણે હે ગૌતમ જે શ્રમણ નિગ્રંથોએ પોતાના કર્મોને યથાસ્થૂલશિથિલ યાવતુનિષ્ઠિત કરેલાં છે, યાવતુ તે કમ શીધ્ર જ નાશ પામે છે અને વાવતુ-તેઓ મહાપર્યવ સાનવાળા થાય છે. વળી જેમ કોઈ એક પુરુષ સૂકા ઘાસના પૂળાને યાવત્ અગ્નિમાં ફેંકે તથા પાણીના ટીપાને તપાવેલ લોઢાના કઢાયામાં નાખે તો તે જલદી નાશ પામે એ પ્રમાણે શ્રમણ નિર્મન્થના કર્મ શીધ્ર વિધ્વસ્ત થાય છે-ઈત્યાદિ માટે હે ગૌતમ! તે હેતુથી. એમ કહ્યું છે કે “અન્નગ્લાયક શ્રમણ નિગ્રન્થ જેટલું કર્મ ખપાવે’ ઈત્યાદિ બધું પૂર્વ પ્રમાણે કહેવું-ચાવતું તેટલું કર્મ કોટાકોટી વરસે પણ નૈરયિક જીવ ન ખપાવે. શતક વદ-ઉદેસાઇની મુનિ દીપરતનસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ (ઉદ્દેશકાય ) [૭૩]તે કાળે. તે સમયે ઉત્સુકતીર નગર હતું. એકજંબૂક ચૈત્ય હતું. તે કાળે તે સમયે સ્વામી સમોસયા યાવતુ-સભા પÚપાસના કરે છે. તે કાળે તે સમયે શક્ર દેવેન્દ્ર દેવરાજ વજપાણિ-ઈત્યાદિ જેમ બીજ ઉદ્દેશકમાં કહેવામાં આવ્યું છે તેમ દિવ્ય વિમાન વડે અહીં આવ્યો. અને યાવતુ જે તરફ શ્રમણ ભગવંત મહાવીર હતા તે તરફ જઈ યાવતુનમી આ પ્રમાણે બોલ્યો. હે ભગવન્! મોટી ઋદ્ધિવાળો યાવતુ-મોટા સુખવાળો દેવા બહારના મુદ્દગલોને ગ્રહણ કર્યા સિવાય અહીં આવવા સમર્થ છે? હે શક્ર! ના, એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! મોટી ઋદ્ધિવાળો દેવ યાવતુએજ પ્રમાણે બહારના પુદગલોને ગ્રહણ કરીને અહીં આવવા સમર્થ છે ? હે શક્રાં હા સમર્થ છે. હે ભગવન્! મોટી, ઋદ્ધિવાળો દેવ યાવતુ-એજ પ્રમાણે બહારના પુદગલોને ગ્રહણ કરીને જવાને બોલવાને, ઉત્તરદેવોને, આંખ ઉઘાડવાને કે આંખમીંચવાને, શરીરના અવયવોને સંકોચવાને કે પહોળા કરવાને સ્થાન શય્યા કે નિષદ્યાને ભોગવવાને, વિકવવાને અને પરિચારણાકરવાને સમર્થ છે? હા, વાવ-સમર્થ છે. તે દેવેન્દ્ર દેવરાજ પૂર્વોક્ત સંક્ષિપ્ત આઠ પ્રશ્નો પૂછી. અને ઉત્સુકતા- પૂર્વક ભગવંત મહાવીરને વાંદી તેજ દિવ્ય વિમાન ઉપર ચઢી ક્યાંથી આવ્યો હતો ત્યાં તે પાછો ચાલ્યો ગયો. [74] ગૌતમ આ પ્રમાણે બોલ્યા કેહે ભગવન્! અન્ય દિવસે દેવેન્દ્ર દેવરાજ શક્ર દેવાનુપ્રિય આપને વંદન, નમન, સત્કાર યાવતુ-પકુંપાસના કરે છે, પણ હે ભગવનું ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy