SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ 358 ભગવાઈ -1 2666 એ પ્રમાણે યાવતુવૈમાનિકો સુધી કહેવું. [૬૭]તે કાલે તે સમયે શક્ર, દેવેદ્ર, દેવરાજ, વજપાણિ, પુરંદર યાવતુ-સુખને ભોગવતો વિહરે છે, અને પોતાના વિશાળ અવધિજ્ઞાન વડે આ સમસ્ત જેબૂદ્વીપને અવલોકતો શ્રમણ ભગવંત મહાવીરને જુએ છે. અહીં તૃતીય શતકમાં કહેલ ઈશાનેન્દ્રની વક્તવ્યતા પ્રમાણે શક્રની બધી વક્તવ્યતા કહેવી. વિશેષ એ છે કે આ શક્ર આભિયોગિક દેવોને બોલાવતો નથી. એનો સેનાધિપતિ હરિનૈગમેથી દેવ છે. ઘંટા સુઘોષા છે, પાલક નામે દેવ વિમાનનો બનાવનાર છે, એનો નિકળવાનો માર્ગ ઉત્તર દિશાએ છે, દક્ષિણ પૂર્વમાં રતિકર પર્વત છે. બાકી બધું તેજ પ્રમાણે જાણવું. શ્રમણ ભગવંત મહાવીરે ધર્મકથા કહી. યાવતુ-સભા પાછી ગઈ. ત્યારબાદ તે શુક્ર, દેવેન્દ્ર, દેવરાજ શ્રમણ ભગવંત મહાવીર પાસેથી ધર્મને સાંભલી, અવધારી હર્ષવાળો અને સંતોષવાલો થઈ શ્રમણ ભગવંત મહાવીરને વૉદી, નમી આ પ્રમાણે બોલ્યો- હે ભગવનું અવગ્રહ કેટલા પ્રકારનો કહ્યો છે ? હે શક પાંચ પ્રકારનો દેવેન્દ્રાવગ્રહ, રાજાવગ્રહ, ગૃહપતિ અવગ્રહ, સાગારિકાવગ્રહ અને સાધર્મિકાવગ્રહ. જે આ શ્રમણ નિર્ચન્યો આજકાલ વિચારે છે તેઓનું હું અવગ્રહની અનુજ્ઞા આપું છું. એમ કહી તે શક્ર શ્રમણ. ભગવંત મહાવીરને વાંદી નમી તેજ દિવ્ય વિમાન ઉપર બેસી જ્યાંથી આવ્યો હતો ત્યાં ચાલ્યો ગયો. ગૌતમ બોલ્યા કે હે ભગવનું . શક્ર દેવેન્દ્ર દેવરાજે જે આપને પૂર્વ પ્રમાણે તે અર્થ સત્ય છે? હા ગૌતમ! એ અર્થ સત્ય છે. [૬૮]હે ભગવન શક્ર દેવેંદ્ર દેવરાજ શું સત્યવાદી છે કે મિથ્યાવાદી છે? હે ગૌતમ તે સત્યવાદી છે પણ મિથ્યાવાઈ નથી. શક્ર દેવેન્દ્ર દેવરાજ સત્યભાષા બોલે છે, મૃષા ભાષા બોલે છે, સત્યમૂષ ભાષા બોલે છે કે અસત્યામૃષા ભાષા બોલે છે ? હે ગૌતમાં તે ચારે ભાષા બોલે. હે ભગવન્! શક્ર દેવેન્દ્ર દેવરાજ સાવધ ભાષા બોલે કે નિરવદ્ય? હે ગૌતમ! બંને હે ભગવનું તેનું શું કારણ હે ગૌતમી શક દેવેદ્ર દેવરાજ જ્યારે સૂક્ષ્મ કાય-હસ્ત અથવા વસ્ત્ર વડે મુખ ઢાંક્યા વિના બોલે ત્યારે તે સાવધ ભાષા બોલે છે અને મુખ ઢાંકીને બોલે ત્યારે તે નિરવધ ભાષા બોલે છે, હે ભગવનું શક દેવેન્દ્ર દેવરાજ ભવસિદ્ધિક છે, અવ્યવસિદ્ધિક છે, સમ્યગૃષ્ટિ છે, કે મિથ્યાવૃષ્ટિ છે ?) જેમ ત્રીજા શતકના પ્રથમ ઉદ્દેશકમાં સનકુમાર માટે કહ્યું છે તેમ અહિં પણ જાણવું. અને તે યાવ-અચરમ નથી' એ પીઠ સુધી કહેવું. [૬૯]હે ભગવન્! જીવોના કમ ચૈતન્યકત હોય છે કે અચૈતન્યક્ત હોય છે? હે ગૌતમ જીવોની કર્મો ચૈતન્યકિત હોય છે પણ અચૈતન્યતિ નથી હોતા. હે ભગવન્! તેનું શું કારણ છે ? અજીવો જ આહારપે, શરીરમ્પ અને ફ્લેવરરુપે ઉપસ્થિત કરેલાં પગલો તે તે રુપે પરિણમે છે, માટે અચૈતન્યકત કર્યો નથી. તથા દુસ્થાનરુપે, દુશધ્યારુપે અને દુનિષદ્યાપે તે તે પુદ્ગલો પરિણમે છે માટે અચેતન્યકત કર્મપુદગલો નથી. તથા તે આતંકરુપે પરિણમી જીવનના વધ માટે થાય છે, સંકલ્પપે પરિણમી જીવને વધ માટે થાય છે અને મરણાંત પરિણમી જીવના વધ માટે થાય છે માટે કર્મ પુદગલો અચૈતન્યકિત નથી. એ પ્રમાણે નૈરયિકો યાવતુ-વૈમાનિકો સંબંધે જાણવું. શતક 16, ઉદેસા:૨નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy