SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ 354 ભગવાઈ-૧૫-૧-૫૮ થઈ, યાવતુ ત્યાંથી નીકળી બીજીવાર સિંહોમાં ઉત્પન્ન થશે, ત્યાંથી પાવતુ-કાળ કરીને ત્રીજી વાલુકાપ્રભામાં ઉત્કૃષ્ટકાળની સ્થિતિવાળા નરકાવાસમાં ઉત્પન્ન થઈ, ત્યાંથી નીકળી પક્ષીઓમાં ઉત્પન્ન થશે. ત્યાં પણ શસ્ત્ર વડે વધ કરી ત્યાંથી બીજી શર્કરમ ભામાં ઉત્પન્ન થઈ, યાવતુ ત્યાંથી નીકળી સરીસૃપ ને વિશે ઉપજશે. ત્યાં શસ્ત્રવડે વધ થવાથી યાવતુ-કાળ કરી બીજીવાર શર્કરપ્રભાને વિશે વાવતુ ઉત્પન્ન થશે. અને ત્યાંથી નીકળી બીજીવાર સરીસૃપ ઉત્પન્ન થશે. યાવતુ કાળ કરીને આ રત્નપ્રભાથિવીને વિષે ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા. નરકાવાસમાં નૈરકિપણે ઉત્પન્ન થશે. યાવતુ-ત્યાંથી નીકળીને સંજ્ઞીને વિષે ઉપજશે. ત્યાં પણ શસ્ત્રવડે વધ થવાથી વાવતુ-કાળ કરી - અસંજ્ઞીમાં ઉત્પન્ન થશે. ત્યાં પણ શત્રવડે વધ થતાં યાવતુ-કાળ કરીને બીજીવાર પણ આ રત્નપ્રભાપૃથિવીમાં પલ્યોપમના અસંખ્યાતમાં ભાગની સ્થિતિવાળા નરકાવા સમાં નારકપણે ઉત્પન્ન થશે. હવે ત્યાંથી યાવતુ નીકળીને જે ખેચરના ભેદો છે,-ચમ પક્ષીઓ લોમપક્ષીઓ સમુદ્રકપક્ષીઓ અને વિતત પક્ષીઓમાં એક લાખ વાર મરણ પામી પામીને ત્યાં વારંવાર ઉત્પન્ન થશે. સર્વત્ર શસ્ત્રવધ થવાથી દાહની ઉત્પત્તિવડે મરણ સમયે કાળ કરી જે આ ભુજપરિસર્પના ભેદો છે,ઘો, નોળીઆ-ઈત્યાદિ પ્રજ્ઞાપના સૂત્રના પ્રથમ પદને વિષે કહ્યું છે તે પ્રમાણે જાણવું. જીવોમાં અનેક લાખ વાર મરણ પામી પુને ત્યાં વારંવાર ઉત્પનું થશે. બાકી બધું ખેચરની પેઠે જાણવું. યાવતુ-કાળ કરી જે આ ઉર:પરિસર્પના ભેદો હોય છે, સાપ, અજગર, આશાલિકા અને મહોરગ, તેમાં અનેક લાખવાર મરણ પામી ઉત્પન્ન થશે, ત્યાંથી લાવતુ-કાળ કરી જે આ જલચરના ભેદો હોય છે, -કચ્છપ યાવતુસ્સુમાર, તેઓમાં અનેક લાખવાર ઉપજશે, યાવતુ-કાળ કરી જે આ ચઉરિન્દ્રિય જીવોના ભેદો છે,-અંધિક, પ્રૌત્રિક-ઈત્યાદિ-જેમ પ્રજ્ઞાપના સૂત્રના પ્રથમ પ્રજ્ઞાપનાપદમાં કહ્યા પ્રમાણે યાવતુ-ગોમયકીડાઓમાં અનેક લાખનાર ઉપજશે. ત્યાં ઉત્પન્ન થઈ કાળ કરી જે આ ઈન્દ્રિય જીવોના ભેદો છે, ઉપચિત, યાવતુહસ્તિશૌંડ, તેઓમાં ઉત્પન્ન થઈ યાવતુ કાળ કરી જે આ બેઈન્દ્રિયોના ભેદો છે-મુલાકૃમિ યાવતુસમુદ્રલિફા, તેઓમાં અનેક લાખનાર મરણ પામી ઉત્પન્ન થશે. વિશેષ કરીને કટુક વૃક્ષોમાં અને કટુક વેલીમાં ઉપજશે, અને સર્વ સ્થળે શસ્ત્રવડે વધ થવાથી યાવતુ-કાળ કરીને જે આ વાયુકાયિકના છે,પૂર્વનો વાયુ, તેમાં અનેક લાખનાર ઉત્પન્ન થશે. યાવતુકાળ કરી જે આ તેઉકાયિકના ભેદો છે, અંગાર, યાવતુ-સૂર્યકાન્ત મણિ નિશ્ચિત અગ્નિ, તેમાં અનેક લાખવાર ઉત્પન્ન થશે. ઉત્પન્ન થઈ જે આ અપ્લાયિના ભેદો છે, ઝાકળનું પાણી,યાવતુ-કાળ કરીને જે આ પૃથિવીકાયિકના ભેદો છે,પૃથિવી, શર્કરા-કાંકરા, વાવતું સૂર્યકાન્તમણિ, તેઓમાં અનેક લાખવાર ઉત્પન્ન થશે. વિશેષતઃ બરબાદરપૃથિ વીકાયિ કને વિષે, સર્વત્ર શસ્ત્રવડે વધ થવાને લીધે વાવતુ-કાળ કરીને રાજગૃહનગરની બહાર વેશ્યાપણે ઉત્પન્ન થશે. ત્યાં પણ શસ્ત્રવડે વધ થતાં લાવતુ-કાળ કરી બીજીવાર રાજગૃહ નગરની અંદર વેશ્યાપણે ઉત્પન્ન થશે.ત્યાં પણ શસ્ત્રવ વધ થવાથી યાવતુ-કાળકરીને. [૫૯]આજ જેબૂદ્વીપમાં ભારત વર્ષને વિષે વિધ્યાચલપર્વતની પાસે બિભેલા નામે ગામમાં બ્રાહ્મણકુળને વિષે પુત્રીપણે ઉત્પન્ન થશે. તે પુત્રી જ્યારે બાલ્યભાવનો ત્યાગ કરી યૌવનને પ્રાપ્ત થશે ત્યારે તેના માતાપિતા ઉચિત દ્રવ્ય અને ઉચિત વિનયવડે યોગ્ય ભતને ભાયપણે આપશે. તે પુત્રી તેની સ્ત્રી થશે. તે ઈષ્ટ, કાન્ત, યાવતુ-અનુમત, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy