________________ રાતક-૧૫, ૩પ૩ અને શ્રમણનો ઘાત કરનાર તું છદ્મસ્થાવસ્થામાં કાળધર્મ પામ્યો હતો. જો કે તે વખતે, સવનુભૂતિ અનગારે સમર્થ છતાં પણ તારો અપરાધ સમ્યક પ્રકારે સહન કર્યો, તેની ક્ષમા કરી, તિતિક્ષા કરી અને તેને અધ્યાસિત કર્યો. સુનક્ષત્ર અનગારે પણ યાવતુઅધ્યાસિત-સહન કર્યો. શ્રમણ ભગવાનું મહાવીરે સમર્થ છતાં પણ વાવતુ-સહન કર્યો, પરન્તુ ખરેખર હું તે પ્રમાણે સમ્યફ સહન નહિ કરું, હું ઘોડા, રથ અને સારથિસહિત તને મારા તપના તેજથી એકઘાએ કૂટાઘાત- કરીશ.” જ્યારે તે સુમંગલ અનગારે એ પ્રમાણે કહ્યું ત્યારે અત્યન્ત ગુસ્સે થયેલો અને પાવતુ અત્યન્ત ક્રોધથી બળતો તે વિમલવાહનરાજા સુમંગલ અનગારને ત્રીજી વાર પાડી નાંખશે. ત્યારે અત્યન્ત ગુસ્સે થયેલા અને પાવતુ-ક્રોધથી બળતા એવા તે સુમંગલ અનગાર આતાપના ભૂમિથી ઉતરી તૈજસ સમુદ્ધાત કરીને, સાત આઠ પગલાં પાછા જઈ ઘોડા, રથ અને સારથિસહિત વિમલવાહન રાજાને ભસ્મરાશિપ કરશે. હે ભગ વાનું ! સુમંગલનગાર ઘોડાસહિત, યવનવિમલ- વાહન રાજાને ભસ્મરાશિ 5 કરીને ક્યાં જશે, ક્યાં ઉત્પન્ન થશે? હે ગૌતમાં ઘણા પ્રકારના છઠ્ઠ, અઠ્ઠમ, દશમ દ્વાદશ ભક્ત ધાવતુ-વિચિત્ર તપકર્મવડે આત્માને ભાવિત કરતા ઘણાં વરસ સુધી શ્રમણ પણાના પાયિને પાળશે, પાળીને માસિક સંલેખના વડે સાઠભક્ત અનશનપણે વીતા વીને આલોચના અને પ્રતિક્રમણ કરી સમાધિને પ્રાપ્ત થઈ સવર્થિસિદ્ધ મહાવિમાનમાં દેવપણે ઉપજશે. ત્યાં સુમંગલ દેવની પણ જઘન્ય અને ઉત્કૃષ્ટરહિત એવી તેત્રીશ સાગરોપમની સ્થિતિ હશે. તે સુમંગલ દેવ તે દેવલોકથી યાવતુ-ભવના ક્ષય થવાથી મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે. ધાવતુ સર્વ દુઃખોનો અન્ત કરશે [૫૮]હે ભગવન્! જ્યારે સુમંગલ અનગાર ઘોડાસહિત વિમલવાહન રાજાને થાવતુ-ભમ્મરાશિપ કરશે ત્યાર બાદ તે ક્યાં જશે, ક્યાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ અધિસતમ પૃથિવીમાં ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા નરકને વિષે નારકપણે ઉત્પન્ન થશે. ત્યાંથી રવીને તુરત મત્સ્યોને વિષે ઉત્પન્ન થશે. ત્યાં પણ શસ્ત્રવડે વધ થવાથી દાહની પીડા વડે મરણ સમયે કાળ કરીને બીજીવાર પણ અધઃસપ્તમ નરકમૃથિવીમાં ઉત્કૃષ્ટસ્થિ તિવાળા નારકાવાસને વિષે નારકપણે ઉત્પન્ન થશે. ત્યાંથી અન્તરરહિતપણે ચ્યવી બીજીવાર પણ મત્સ્યોમાં ઉત્પન્ન થશે. ત્યાં પણ શસ્ત્રવડે વધ થવાથી યાવતુકાળ કરીને છઠ્ઠી તમાં નામે નરકમૃથિવીમાં ઉત્કૃષ્ટ કાળી સ્થિતિવાળા નરકમાં નૈરયિકપણે ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળી તુરતજ સ્ત્રીને વિષે ઉત્પન્ન થશે. ત્યાં પણ શત્રદ્વારા વધ થતાં દાહની પીડાથી યાવત-બીજીવાર છઠ્ઠી તમા પૃથિવીમાં ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા નરકમાં નારકપણે ઉત્પન્ન થશે. યાવતુ-ત્યાંથી નીકળીને બીજીવાર પણ સ્ત્રીઓમાં ઉત્પન્ન થશે. ત્યાં પણ શત્રવડે વધ થવાથી યાવતુ-કાળ કરીને પાંચમી ધૂમપ્રભાને વિષે ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા નરકાવાસમાં વાવ-ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળીને ઉર પરિ સપમાં ઉત્પન્ન થશે. ત્યાં પણ શસ્ત્રવડે વધ થવાથી કાળ કરીને બીજીવાર પાંચમીનરક "પૃથિવીમાં ઉત્પન્ન થઈ, ત્યાંથી નીકળી યાવતુ-બીજીવાર ઉર પરિસપમાં ઉત્પન્ન થશે. ત્યાંથી લાવતુ-કાળ કરીને ચોથી પંકપ્રભાપૃથિવીમાં ઉત્કૃષ્ટકાળની સ્થિતિવાળા નરકને વિષે નારકપણે ઉત્પન્ન થઈ, યાવત ત્યાંથી નીકળી સિંહોમાં ઉત્પન્ન થશે. ત્યાં પણ શસ્ત્રવડે વધ થવાથી તે પ્રમાણેજ યાવતુ-કાળ કરીને બીજીવાર ચોથી પંકપ્રભામાં ઉત્પન્ન 237 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org