SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ 342 ભગવઇ-૧૫-1-૬૪૭ વિશેષતઃ અનાર્યપણું આદર્યું છે. [648 જેટલામાં આનન્દ સ્થવિર ગૌતમાદિ શ્રમણ નિર્મન્થોને આ વાત કહે છે તેટલામાં હાલાહલા કુંભારણનાહાટથી નીકળી આજીવિકસંઘસહિત ઘu અમને ધારણ કરતો મખલિપુત્રગોશાલક શીધ અને ત્વરિત ગતિએ યાવતુ ભગવંત મહાવીર છે ત્યાં આવ્યો. શ્રમણભગવંતમહાવીરને આ પ્રમાણે કહ્યું- હે આયુષ્માન કાપ ગોત્રીય! મને એ પ્રમાણે સારું કહો છો, હે આયુષ્યમાનું કાશ્યપ! તમે મને એમ ઠીક કહો છો કે “મંખલિપુત્ર ગોશાલક મારો ધર્મસંબધી શિષ્ય છે જે પંખલિપત્ર ગોશાલક તમારો ધર્મ સંબન્ધી શિષ્ય હતો તે શુક્લ-પવિત્ર અને શુક્લભિતાજિવાળો-પવિત્ર પરિણામવાળી થઈને મરણ સમયે કાળ કરી કોઈપણ દેવલોકને વિષે દેવપણે ઉત્પન્ન થયો છે, હું કૌડિન્યાયનગોત્રીય ઉદાયી નામે છું. અને મેં ગૌતમ પુત્ર અર્જુનના શરીરનો ત્યાગ કરી મખલિપુત્ર ગોશાલકના શરીરમાં પ્રવેશ કરીને આ સાતમો પ્રવૃત્તિપરિહારશરીરાન્તિ પ્રવેશ કર્યો છે. વળી તે આયુષ્મનું કાશ્યપ! જે કોઈ અમારા સિદ્ધાન્તને અનુ સારે મોક્ષે ગયેલા છે, જાય છે અને જો તે સર્વે 8408603 કર્મના ભેદોનો અનુક્રમે ક્ષય કય પછી સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મૂકાયછે, નિવણ પામે છે, અને સર્વ દુઃખનો અત્ત કર્યો છે, કરે છે ને કરશે. જેમાં ગંગા મહાનદી જ્યાંથી નીકળે છે અને જ્યાં સમાપ્ત થાય છે. તે ગંગાનો અદ્ધા-માર્ગ આયામ વડે પાંચસો યોજન છે, વિખંભ અર્ધ યોજન છે. અને ઉંડાઈમાં પાંચસો ધનુષ છે-એ રીતે ગંગા પ્રમાણે સાત ગંગાઓ મળીને એક મહાગંગા થાય છે, સાત મહાગંગાઓ મળી એક સાદી ગંગા થાય છે, સાત સાદિન ગંગાઓ મળીને એક મૃત્યુગેગા થાય છે, સાત મૃત્યુંગંગા મળીને એક લોહિતગંગા થાય છે, સાત લોહિતગંગાઓ મળીને એક અવંતી ગંગા થાય છે, સાત અવન્તી ગંગાઓ મળીને એક પરમાવતી ગંગા થાય છે. એ પ્રમાણે પૂર્વાપર મલીને 117649 ગંગા નદીઓ થાય છેએમ કહ્યું છે. તે ગંગાનદીની વાલુકાકણનો બે પ્રકારે ઉદ્ધાર કહ્યો છે, સૂક્ષ્મબૉદિક લેવરરુપ અને બાદરબોદિલ્લેવરરુપ. તેમાં સૂક્ષ્મ બોદિક્લેવરરુપ ઉદ્ધાર છે તે સ્થાપી રાખવા યોગ્ય છે.(તેમાં જે બાદરબોદિક્લેવરપ ઉદ્ધાર તેમાંથી સો સો વર્ષે એક એક વાલુકાના કણનો અપહાર કરીએ અને જેટલા કાળે ગંગાના સમુદાયસ્પ તે કોઠો ક્ષીણ થાય, નીરજ થાય, નિર્લેપ થાય અને નિષ્ઠિત થાય ત્યારે સપ્રમાણ કાલ કહેવાય છે, એવા પ્રકારના ત્રણ લાખ સરપ્રમાણ કાળવડે એક મહાકલ્પ થાય છે. ચોશી લાખ મહાકલ્પ એક મહામાનસ થાય છે અનન્ત સંપૂથ અનન્તજીવના સમુદાયરુપ નિકાયથી જીવ ચ્યવી સંપૂથ-દેવભવને વિષે ઉપરના માનસ-સરપ્રમાણ આયુષવડે ઉત્પન્ન થાય છે, અને તે ત્યાં દીવ્ય અને ભોગ્ય એવા ભોગોને ભોગવતો વિહરે છે. હવે દેવલોકથી આયુષનો, ભવનો અને સ્થિતિનો ક્ષયથી તુરતજ અવીસને પ્રથમ સંશી ગર્ભજ પંચે ન્દ્રિય મનુષ્યપણે ઉત્પન્ન થાય છે. ત્યારબાદ તે ત્યાંથી ચ્યવીને તુરતજ મધ્યમ માનસસપ્રમાણ આયુષવડે સંપૂથ-દેવનિકાયવિષે ઉત્પન્ન થાય છે. ત્યાં દિવ્ય ભોગવવા યોગ્ય ભોગોને ભોગવી લાવત-વિહરી તે દેવલોકથી આયુષના ક્ષયથી પાવતુ ઍવીને બીજા સંજ્ઞીગર્ભ મનુષ્યને વિષે જન્મે છે. ત્યાર પછી ત્યાંથી નીકળી તુરત હેઠેના માનસ પ્રમાણ આયુષ વડે સંપૂથ-દેવનિકાયને વિષે ઉપજે છે. ત્યા દિવ્ય ભોગોને ભોગવી ત્યાંથી ચ્યવી ત્રીજા સંજ્ઞીગર્ભ મનુષ્યને વિષે જન્મ છે. ત્યાંથી ચ્યવી ચોથા સંજ્ઞીગર્ભ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy