SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧૫, 343 મનુષ્યને વિશે ઉપજે છે. ત્યાંથી અવીને તુરત મધ્યમ માનસોત્તર આયુષવડે સંપૂથદેવનિકાયમાં ઉપજે છે. ત્યા દિવ્ય ભોગો ભોગવી યાવતુ ત્યાંથી ચ્યવી પાંચમાં સંશી ગર્ભ-ગર્ભજ મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. ત્યાંથી ચ્યવીને તુરત હેઠેના માનસત્તર આયુષ સહિત સંપૂથ-દેવનિકાયમાં ઉપજે છે. ત્યાં દિવ્ય ભોગો ભોગવી યાવતુ-ચ્યવી છઠ્ઠા સંજ્ઞી ગર્ભજ મનુષ્યોમાં ઉપજે છે. ત્યાંથી નીકળી તુરત બ્રહ્મલોક નામે કલ્પ-દેવલોક કહ્યો છે, તે પૂર્વ તથા પશ્ચિમ લાંબો છે, અને ઉત્તર તથા દક્ષિણ. વિસ્તારવાળો છે, જેમ પ્રજ્ઞાપન સૂત્રના સ્થાનપદને વિષે કહ્યું છે એમ અહિ જાણવું, યાવતુ-તેમાં પાંચ અવતંસક વિમાનો કહ્યા છે, અશોકાવસંતક, યાવતુ પ્રતિરુપ સુન્દર છે, તે દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ત્યાં દશ સાગરોપમ સુધી દિવ્ય ભોગો ભોગવીને પાવતુ ત્યાંથી ચ્યવીને સાતમા સંજ્ઞીગર્ભ-ગર્ભજ મનુષ્યમાં ઉપજે છે. ત્યાં નવ માસ બરોબર પૂર્ણ થયા પછી અને સાડાસાત દિવસ વ્યતીત થયા બાદ સુકુમાર, ભદ્ર,મૃદુ અને દર્ભના કુંડલની પેઠે સંકુચિત કેશવાળો, કર્ણના આભૂષણવ જેના ગાલને સ્પર્શ થયો છે એવો દેવ કુમારસમાન કિાન્તિવાળો બાળક જન્મો, હે કાપ. તે હું છું. ત્યાર પછી કુમારાવસ્થામાં પ્રવ્રજ્યાવડે, કુમારાવસ્થામાં બ્રહ્મચર્ય વડે અવિદ્ધકર્ણ બુદ્ધિવાળા એવા મને પ્રધ્વજ્યાં ગ્રહણ કરવાની બુદ્ધિ થઈ અને સાત પ્રવૃત્ત પરિહાર-શરીરાત્તરને વિષે સંચાર કર્યો, તે આ પ્રમાણેએળેયક, મલારામ, મેડિક, રોહ, ભારદ્વાજ, ગૌતમપુત્ર અર્જુન અને મખલિપુત્ર ગોશા. લકના શારીમાં પ્રવેશ કર્યો. તેમાં જે પ્રથમ પ્રવૃત્તપરિહાર-રાજગૃહનગરની બહાર મેડિકુક્ષિ ચૈત્યને વિષે કુંડિયાયન ગોત્રીય ઉદાયનના શરીરનો ત્યાગ કરી એણેયના. શરીરમાં પ્રવેશ કર્યો. બાવીસ વર્ષ સુધી પ્રથમ શરીરાત્તરમાં પરાવર્તન કર્યું. બીજા શરીરાત્તરપ્રવેશમાં ઉદંડપુર નગરની બહાર ચન્દ્રાવતરણ ચૈત્યને વિષે એણેયકના શરી રનો ત્યાગ કરી મલ્લા રામના શરીરમાં પ્રવેશ કર્યો, એકવીશ વરસ સુધી બીજા. શરીરાત્તર માં પરાવર્તન કર્યું. ત્રીજા શરીરાત્તરપ્રવેશમાં ચંપાનગરીની બહાર અંગ. મંદિરનામે ચૈત્યને વિષે મલ્લારામના શરીરનો ત્યાગ કરી મંડિકના શરીરમાં પ્રવેશ કર્યો, અને વીસ વર્ષ સુધી ત્રીજું શરીરાસ્તર પરાવર્તન કર્યું. તેમાં જે ચોથું શરીરાત્તર પરાવર્તન છે તે વારાણસી નગરીથી બહાર કામમહાવન ચૈત્ય વિષે મંડિકના શરીરનો ત્યાગ કરી રહકના શરીરમાં પ્રવેશ કર્યો, ત્યાં ઓગણીશ વર્ષ સુધી ચોથું શરીરાત્તર પરાવર્તન કર્યું. તેમાં જે પાંચમું શરીરાન્તર પરાવર્તન છે તે આલભિકા નગરીની બહાર પ્રાપ્તકાલ દૈત્યને વિષે રોહના શરીરનો ત્યાગ કરી ભારદ્વાજના શરીરમાં પ્રવેશ કર્યો. અઢાર વર્ષ સુધી પાંચમું શરીરાત્તર પરાવર્તન કર્યું. તેમાં જે છટ્ટ શરીરાત્તર પરાવર્તન છે તે વૈશાલી નગરીની બહાર કુંડિયાયનચૈત્યને વિષે ભારદ્વાજ શરીરનો ત્યાગ કરી ગૌતમપુત્ર અર્જુનના શરીરમાં પ્રવેશ કર્યો, ત્યાં સત્તર વર્ષ સુધી છઠું શરી રાન્તર પરાવર્તન કર્યું. તેમાં જે સાતમું શરીરાત્તર પરાવર્તન છે તે આજ શ્રાવસ્તી નગરીને વિષે હાલાહલા કુંભારણના હાટને વિષે ગૌતમપુત્ર અર્જુનના શરીરનો ત્યાગ કરી મખલિપુત્ર ગોશાલકનું શરીર સમર્થ, સ્થિર, ધ્રુવ. ધારણ કરવા યોગ્ય, શીતને, ઉષ્ણતાને, સુધાને, વિવિધ ડાંસ મચ્છર વગેરે પરિષહ અને ઉપસર્ગને સહન કરવાર, તથા ચિરસંઘચળવાળું છે' એમ સમજી તેમાં બે પ્રવેશ કર્યો. અને તેમાં સોળ વરસ સુધી આ સાતમું શરીરાત્તરપરાવર્તન કર્યું છે. એ પ્રમાણે હે આયુખનું કાશ્યપ . મેં એકસો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy