SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧૫, 341 શબ્દ કરતો એવો દ્રષ્ટિવિષ સપ સ્પર્યો. ત્યારબાદ તે વણિકોએ તે દ્રષ્ટિવિષ સપનો સ્પર્શ કર્યો એટલે અત્યન્ત ગુસ્સે થયેલા, અને યાવતુ-ક્રોધથી બળતા તેમ ધીમે ધીમે ઉઠી સરસરાટ કરતા વલ્મિકના શિખર ઉપર ચઢીને સૂર્યને જોઈને તે વણિકોને અનિમિષ દ્રષ્ટિવડે ચોતરફ જોયા. તે વણિકોને પાત્ર વિગેરે ઉપકરણ સહિત એક પ્રહારવડે કૂટા. ઘાત-પેઠે જલ્દી ભસ્મરાશિપ કર્યો. તે વણિકોમાં જે વણિક તે વણિકોના હિતની ઈચ્છા વાલો, યાવતુ-હિત, સુખ અને નિઃશ્રેયસ-કલ્યાણની ઈચ્છાવાળો હતો તેના ઉપર દયાથી તે દેવે પાત્ર વગેરે ઉપકરણ સહિત તેને પોતાના નગરે મૂક્યો.” એ પ્રમાણે હે આનન્દી તારા પણ ધમરચાય અને ધર્મોપદેશક શ્રમણ જ્ઞાતપુત્રે ઉદાર પર્યાયિ-અવસ્થા પ્રાપ્ત કર્યો છે, અને તેની દેવો, મનુષ્યો અને અસુર સહિત આ જીવલોકમાં "શ્રમણ ભગવનું મહા વીર, શ્રમણ ભગવાનું મહાવીર- એવી ઉધર કીતિ, વર્ણ, શબ્દ અને શ્લોક-યશ વ્યાપ્ત થયા છે, વ્યાકુલ થયા છે, અને સ્તવાયા છે. તે જો. મને તે આજ કંઈ પણ કહેશે તો મારા તપના તેજવડે એક ઘાએ કૂટાઘાત-પેઠે જેમ સર્વે વણિકોને બાળ્યા તેમ બાળીને ભસ્મ કરીશ. હે આનન્દી જેમ તે વણિકોનું હિત ઈચ્છનાર યાવતુ-નિઃશ્રેયસ-કલ્યાણ ઈચ્છનાર તે વણિકને દેવતાએ અનુકંપાથી પાત્રો વગેરે ઉપકરણ સહિત પોતાને નગરે મુક્યો તેમ હું તારું સંરક્ષણ અને સંગોપન કરીશ, તે માટે હું આનન્દતું જા, અને તારા ધમરચાય અને ધર્મોપદેશક શ્રમણ જ્ઞાતપુત્રને આ વાત કહે. ત્યારબાદ મખલિપુત્ર ગોશાલાએ તે આનન્દ સ્થવિરને આ પ્રમાણે કહ્યું એટલે તે ભય પામ્યા. અને જ્યાં શ્રમણ ભગવાનું મહાવીર હતા, ત્યાં આવ્યા. ત્રણવાર પ્રદક્ષિણા કરી વંદન અને નમસમકાર કરી આ પ્રમાણે બોલ્યા- હે ભગવન્! ખરેખર એ પ્રમાણે સર્વ વૃતાંત કહ્યો. [646 હે ભગવન્! મખલિપુત્ર ગોશાલક પોતાના તપના તેજવડે એક ઘાએ કૂટાઘાતની પેઠે ભસ્મરાશિ કરવાને-સમર્થ છે, હે ભગવનું. મખલિપુત્ર ગોશાલક નો થાવતુ તેમ કરવાનો વિષય છે, હે આનન્દી પંખલિપુત્ર ગોશાલક તપના તેજવડે વાવતુકરવાને-સમર્થ છે, તેમ કરવાનો વાવ વિષય છે, પરન્તુ અરિહંત ભગવંતને બાળી. ભસ્મ કરવા સમર્થ નથી, તો પણ તેમને પરિતાપ-દુઃખ ઉત્પન્ન કરવા સમર્થ છે. મંખલિ પુત્ર ગોશાલકનું જેટલું તપનું તેજ છે, તેથી અનગાર ભગવંતનું અનન્તગુણ વિશિષ્ટ તપતેજ છે, તેના કરતા અનન્ત ગુણ વિશિષ્ટ તપોબલ સ્થવિર ભગવંતોનું છે કેમકે સ્થવિર ભગવંતો ક્ષમા કરવામાં સમર્થ હોય છે. તે આનન્દી સ્થવિર ભગવંતોનું જેટલું તપોબલ હોય છે, તેથી અનન્તગુણ વિશિષ્ટ તપોબલ અરિહંત ભગવંતોનું હોય છે, કારણ કે અરિહંત ભગવંતો ક્ષમા કરવામાં સમર્થ હોય છે [૬૪]હે આનંદ! તે માટે તું જા, અને ગૌતમાદિ શ્રમણ નિગ્રન્થોને આ વાત કહે કે હે આય! તમે કોઈ મખલિપુત્ર ગોશાલકની સાથે ધર્મસંબધી પ્રતિચોદના ન કરશો, ધર્મસંબન્ધી પ્રતિસારણા ન કરાવશો, અને ધર્મસંન્ધી પ્રત્યુપચાર વડે તેનો તિરસ્કાર ન કરશો. મંખલિપુત્રગોશાલકે શ્રમણનિન્થો સાથે મિથ્યાત્વ-પ્લેચ્છપણું અથવા અના “પણું વિશેષતઃ આદર્યું છે ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીરે એ પ્રમાણે કહ્યું એટલે તે આનન્દ સ્થવિર શ્રમણ ભગવંત મહાવીરને વાંદી અને નમી ગૌતમાદિ શ્રમણ નિગ્રન્થોને બોલાવીને આ પ્રમાણે કહ્યું કે હે આર્યો ! તમે કોઈ પંખલિપુત્ર ગોશાલકને ધર્મસંબધી તેના મતને પ્રતિકૂલ વચન ન કહેશો, યાવત્ તેણે નિગ્રન્થોની સાથે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy