SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ 334 ભગવદ-૧પ-૬૩૭ આજીવિકસંઘવડે પરિવૃતથઈ આજીવિકસિદ્ધાંતવડે આત્માને ભાવિત કરતો વિહરે છે. તે વખતે તે મંખલિપુત્ર ગોશાલકની પાસે અન્ય કોઈ દિવસે આ છ દિશાચરો પૂર્વકૃતમાં કહેલા આઠ પ્રકારના નિમિત્ત, (નવમાં) ગીત માર્ગ અને દશમાં નૃત્યમાર્ગને પોતપોતાની મતિના દર્શનવડે (પૂર્વશ્રુતમાંથી) ઉદ્ધરી મંખલિ પુત્ર સર્વ ભૂતો, સર્વ જીવો અને સર્વ સત્વોને આ છ બાબતના અતિક્રમણીય ઉત્તર આપે છે, લાભઅલાભ, સુખ, દુઃખ, જીવિત અને મરણ. ત્યારપછી તે મખલિપુત્ર ગોશાલક અશંગ મહાનિ મિત્તના કોઈક એવા ઉપદેશમાત્ર વડે શ્રાવતી નગરીમાં અજિન છતાં હું જિન છું એમ પ્રલાપ કરતો. અહંતુ નહિ છતાં હું અહંતુ છું એમ મિથ્યા બકવાદ કરતો, કેવલી નહિ છતાં હું કેવલી છું એમ નિરર્થક બોલતો, સર્વજ્ઞ નહિ છતાં હું સર્વજ્ઞ છું એમ મિથ્યા કથન કરતો અને અજિન છતાં જિન શબ્દનો પ્રકાશ કરતો વિચરે છે. [૩૮]ત્યાર બાદ શ્રાવસ્તીનગરીમાં શૃંગાટકના આકારવાળા ત્રિક યાવતરાજમાર્ગોને વિષે ઘણાં માણસો પરસ્પર એ પ્રમાણે કહે છે, યાવતુ એમ પ્રરુપે છે કે હે દેવાનુપ્રિય! એ પ્રમાણે ખરેખર મખલિપુત્ર ગોશાલક જિન થઈને પોતાને જિન કહેતો, પાવતુજિન શબ્દનો પ્રકાશ કરતો વિચરે છે, તો એ પ્રમાણે કેમ માની શકાય”? તે કાલે તે સમયે મહાવીર સ્વામી સમોસ, યાવતુ-પષધ (પા) પછી ગઈ તે કાલે-તે સમયે શ્રમણભગવંતમહાવીરના જ્યેષ્ઠ અંતેવાસી ગૌતમ ગોત્રીય ઈન્દ્રભૂતિ નામે અનગાર યાવતુ-છ છઠ્ઠને પારણે ઈત્યાદિ બીજા શતકના નિર્ઝન્ય ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણએ. યાવતુ-ગોચરી માટે ફરતાં ઘણાં માણસોનો શબ્દ સાંભળે છે, ઘણાં માણસો પરસ્પર આ પ્રમાણે કહે છે કે, હે દેવાનુપ્રિય! ખરેખર મંખલિપત્ર ગોશાલક જિન થઈને પોતાને જિન કહેતો, યાવતુજિન શબ્દનો પ્રકાશ કરતો વિચરે છે, તો એ પ્રમાણે કેમ માની શકાય ? ત્યારબાદ ભગવાન ગૌતમ યાવત-ભાતપાણી દેખાડી યાવતુ-પકુંપાસના કરતા આ પ્રમાણે બોલ્યા-એ પ્રમાણે ખરેખર હે ભગવનું ! ઈત્યાદિ પૂર્વોક્ત કહેવું. ભાવ-તે ગોશાલક જિન શબ્દનો પ્રકાશ કરતો વિહરે છે, તો હે ભગવન્! એ પ્રમાણે કેમ હોય ? માટે હે ભગવનું મંખલિપુત્ર ગોશાલકના જન્મથી આરંભીને અન્ન સુધીનો આપનાથી કહેવાયેલો વૃત્તાન્ત સાંભળવા ઈચ્છું છું” હે ગૌતમ જે ઘણાં માણસો પરસ્પર આ પ્રમાણે કહે છે. તે મિથ્યા છે. એ પ્રમાણે ખરેખર આ મંખલિપુત્રગોશાલકની મંખલિનામે મંખજાતિનો પિતા હતો. તેને ભદ્રા નામે સ્ત્રી હતી. તે સુકમાલ હાથપગ વાળી, યાવતુ-પ્રતિપ-સુંદર હતી. ત્યાર બાદ તે ભદ્રા નામે સ્ત્રી અન્ય કોઈ દિવસે ગર્ભિણી થઈ. તે કાલે અને તે સમયે સરવળ નામે ગામ હતું. તે ઋદ્ધિવાળું, ઉપદ્રવરહિત, યાવ-દેવલોક સમાન પ્રકાશવાળું અને મનને પ્રસન્નતા આપનાર હતું. તે સરવળ નામે ગામને વિષે ગોબહુલ નામે બ્રાહ્મણ રહેતો હતો. તે ધનિક, યાવતું-કોઈથી પરાભવ ન પામે તેવો અને ઋગ્વદ-ઈત્યાદિ યાવતુ બ્રાહ્મણના શાસ્ત્રોને વિષે નિપુણ હતો. તે ગોબહુલ બ્રાહ્મણને એક ગોશાલા હતી. તે વખતે તે મંખલિ નામે પંખભિક્ષાચાર અન્ય કોઈ દિવસે ગર્ભિણી એવી ભદ્રા નામે સ્ત્રી સાથે ચિત્રનું પાટીયું હાથમાં લઈ ભિક્ષાચર પણા વડે આત્માને ભાવિત કરતો અનુક્રમે વિચરતો એક ગામથી બીજે ગામ જતો જ્યાં શરવળ નામે સન્નિવેશ-ગ્રામ છે અને જ્યાં ગોબહલ નામે બ્રાહ્મણની ગોશાલા છે ત્યાં આવ્યો, ત્યાં આવીને ગોબહુલ નામે બ્રાહ્મણની ગોશાલાના એકભાગનું પોતાનું રાચ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy