SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧૫, 335 રચીલું મૂક્યું, મૂકીને શરવળ નામે ગામમાં ઉચ્ચ, નીચ અને મધ્યમ કુળના ઘર સમુદાય માં ભિક્ષા માટે ફરતો રહેવા માટે ચોતરફ સ્થાનની ગવેષણા કરવા લાગ્યો. કોઈ પણ સ્થળે રહેવાનું સ્થાન નહિ મળતાં તેણે ગોબહુ બ્રાહ્મણની ગોશાળાના એક ભાગમાં વર્ષા ઋતુ માટે આવાસ કર્યો. તે વખતે તે ભદ્રનામે સ્ત્રીએ પૂરા નવમાસ અને સાડા સાત દિવસ વીત્યા પછી સુકુમાલહાથપગવાળા અને ધાવતુ-સુન્દર એવા પુત્રને જન્મ આપ્યો. ત્યાર બાદ તે બાળકના માતપિતાએ અગિયારમો દિવસ વીત્યા પછી યાવદુબારમે દિવસે આ આવા પ્રકારનું ગુણયુક્ત અને ગુણનિષ્પન્ન ‘ગોશાલક' એવું નામ પાડ્યું. ત્યાર બાદ તે બાળક બાલ્યાવસ્થાનો ત્યાગ કરી વિજ્ઞાનવડે પરિણત મતિવાળો થઈ યૌવનને પ્રાપ્ત થયો અને પોતેજ સ્વતંત્ર ચિત્રપટ હાથમાં લઈ મંખપણાવડે આત્માને ભાવિત કરતો વિહરવા લાગ્યો. [૩૯]તે કાલે અને તે સમયે હે ગૌતમ! મેં ત્રીશ વર્ષ સુધી ગૃહવાસમાં રહીને માતાપિતા દેવગત થયા પછી એ પ્રમાણે- ભાવનાઅધ્યયનને વિશે કહ્યા પ્રમાણે “માતા પિતા જીવતા દીક્ષા નહિ લઉં' આવો અભિગ્રહ પૂર્ણ થયો જાણી સુવર્ણનો ત્યાગ કરી, બળનો ત્યાગ કરી-ઈત્યાદિ યાવતુ-એક દેવદૂષ્ય વસ્ત્રને ગ્રહણ કરી મુંડ-દીક્ષિત થઈને ગૃહસ્થાવાસનો ત્યાગ કરી વ્રજ્યાનો સ્વીકાર કર્યો. તે વખતે બીજા વર્ષે માસ માસ ક્ષમણ કરતાં કરતાં અનુક્રમે વિહાર કરતાં, એક ગામથી બીજે ગામ જતાં યે રાજગૃહ નગર છે, જ્યાં નાલંદાનો બાહ્ય ભાગ છે અને જ્યાં તંતુવાય- વણકરની શાળા છે ત્યાં આવ્યો,આવીને યથાયોગ્ય અવગ્રહને ગ્રહણ કરી તંતુવાયની શાળાના એક ભાગમાં વષ તુમાં રહ્યો. ત્યાર બાદ હે ગૌતમ! હું પ્રથમ માસક્ષમણનો સ્વીકાર કરી વિહરવા લાગ્યો.તે સમયેjખલિપુત્રગોશાલકચિત્રપટ હાથમાં ગ્રહણ કરીમુખપણા વડે આત્માને ભાવિત કરતો અનુક્રમે વિચરતો, યાવતું- જ્યાં રાજગૃહ નગર છે, જ્યાં નાલંદાને બાહ્ય ભાગ છે અને જ્યાં વણકરની શાળા છે ત્યાં આવ્યો, ત્યાં આવીને રાજગૃહનગરમાં ઉંચ નીચ અને મધ્યમ કુળમાં આહારને માટે જતો, યાવતુ-બીજે ક્યાંય પણ વસતિ નહિ મળતાં તે તંતુ વાયની શાળાના એક ભાગમાં જ્યાં હું રહેલો હતો ત્યાં વર્ષા ઋતુમાં રહેવા માટે આવ્યો. ત્યારબાદ હે ગૌતમ! હું પ્રથમ માસક્ષમણ પારણાને દિવસે તંતુવાય નીશાળા થકી બહાર નીકળી નાલંદાના બહારના ભાગના મધ્ય ભાગમાં થઈ જયાં રાજ ગૃહ નગર છે ત્યાં આવ્યો. રાજગૃહ નગરમાં ઉચ્ચ, નીચ અને મધ્યમ કુળમાં યાવતુઆહાર માટે ફરતા મેં વિજયગાથાપતિના ઘરમાં પ્રવેશ કર્યો. તે વખતે તે વિજયનામે ગાથાપતિ મને આવતાં જોયો, મને આવતા જોઈને પ્રસન્ન અને સંતુષ્ટ થઈ તે તુરત. આસનથી ઉઠ્યો, ઉઠીને જલદી સિંહાસનથી ઉતરી પાદુકાનો ત્યાગ કરી એક સાડી, વાળું ઉત્તરાસંગ કરી, અંજલિવડે હાથ જોડી સાત આઠ પગલાં મારી સામો આવ્યો,મને ત્રણપ્રદક્ષિણા કરી, વંદન અને નમસ્કાર કર્યો, “મને પુષ્કળ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આહારથી પ્રતિભાભીશ’-એમ વિચારી તે સંતુષ્ટ થયો, પ્રતિલા ભતાં પણ સંતુષ્ટ થયો, પ્રતિલાવ્યા બાદ પણ સંતુષ્ટ થયો, અને ત્યાર પછી તે વિજય ગાથાપતિએ દ્રવ્યની શુદ્ધિથી, દાયકની શુદ્ધિથી અને પાત્રની શુદ્ધિથી તથા વિવિધ-મન, વચન, કાયાની શુદ્ધિથી અને ત્રિકરણ શુદ્ધિથી દાનવડે મને પ્રતિલાભવાથી દેવનું આયુષ બાંધ્યું, સંસાર અલ્પ કર્યો અને તેના ઘરમાં આ પાંચ દિવ્યાં પ્રગટ થયાં, તે આ પ્રમાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy