SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧૪, ઉદેસો-૧૦ 333 કેવલજ્ઞાની અને સિદ્ધને પણ જાણે, યાવત- જેમ હે ભગવન! કેવજ્ઞાની સિદ્ધિને જાણે અને જુએ તેમ સિદ્ધ પણ સિદ્ધને જાણે અને જુએ ? હા, જાણે અને જુએ. હે ભગવન્! કેવલજ્ઞાની બોલે અથવા પ્રશ્નો ઉત્તર કહે ? હા, ગૌતમ! કેવલી બોલે અથવા પ્રશ્નનો ઉત્તર કહે. હે ભગવન્! તે પ્રમાણે સિદ્ધ પણ બોલે અથવા પ્રશ્નનો ઉત્તર આપે ? હે ગૌતમ! એ અર્થ સમર્થ-યુક્ત નથી, અથ સિદ્ધ બોલે નહિ. હે ભગવન્! ક્યા હેતુથી એમ કહો છો ? હે ગૌતમ! કેવલજ્ઞાની ઉત્થાન- કર્મ ગમનાદિ ક્રિયા, બલ, વિર્ય અને પુરુષકાર-પરાક્રમ સહિત હોય છે પણ સિદ્ધો ઉત્થાનરહિત, યાવતુ-પુરુષકાર-પરાક્રમ રહિત હોય છે, માટે. હે ભગવન! કેવલજ્ઞાની પોતાની આંખ ઉઘાડે અને મીંચે ? હા. ગૌતમ! આંખ ઉઘાડે અને મીંચે. એજ પ્રમાણે શરીરને સંકુચિત કરે અને પ્રસારે, ઊભા રહે, બેસે અને આડે પડખે થાય, તથા શઠા વસતિ) અને નૈષધિકી કરે. હે ભગવનું ! કેવલી રત્નપ્રભા પૃથિવીને આ “રત્નપ્રભા પૃથિવી’ એ પ્રમાણે જાણે અને દેખે ? હા ગૌતમ! જાણે અને દેખે. હે ભગવનું ! તે પ્રમાણે સિદ્ધ પણ રત્નપ્રભા પૃથિવીને “રત્નપ્રભા'-એમ જાણે ને દેખે ? હા ગૌતમ! ભગવન્! કેવલજ્ઞાની શર્કરા પ્રભા પૃથિવીને ‘શર્કરા પ્રભાકૃથિવી’ એ પ્રમાણે જાણે અને દેખે ? પૂર્વ પ્રમાણે જાણવું. એ પ્રમાણે યાવતુ-સાતમી નરકમૃથિવી સુધી જાણવું. હે ભગવનું ! કેવલી સૌધર્મકલ્પને ‘સૌધર્મ કલ્પ’ એમ જાણે અને દેખે ? હા, ગૌતમ જાણે અને દેખે. એ પ્રમાણે ઈશાન અને પાવતુ અશ્રુતકલ્પ સુધી જાણવું. હે ભગવન્! કેવલજ્ઞાની રૈવેયકવિમાનને નૈવેયકવિમાન એ પ્રમાણે જાણે અને દેખે ? પૂર્વ પ્રમાણે જાણવું. એ પ્રમાણે યાવતુ-અનુત્તરવિમાન સંબધે પણ જાણવું. હે ભગવન્! કેવલજ્ઞાની ઈષ~ાભારા પૃથિવીને ઈષત્નાભારા પૃથિવી’ એ પ્રમાણે જાણે અને દેખે ? એ પ્રમાણે જાણવું. હે ભગવન્! કેવલજ્ઞાની પરમાણુંપુદ્ગલને “પરમાણુપુગલ’ એ પ્રમાણે જાણે અને દેખે? હા, ગૌતમ! એ પ્રમાણે દ્વિદેશિક અબ્ધ, અને યાવતુ-જેમ હે ભગવન્! કેવલજ્ઞાની અનન્તપ્રદેશિક સ્કન્ધને અનન્તપ્રદેશિક સ્કન્ધ’ એમ જાણે અને દેખે તેમ સિદ્ધ પણ અનન્તપ્રદેશિક સ્કન્ધને થાવત્ જુએ? હા, જાણે અને જુએ. હે ભગવન્! તે એમજ છે, હે ભગવન્! તે એમજ છે'. શતક ૧૪-ઉદ્દે સો ૧૦ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ | શતક ૧૪-ગુર્જરછાયાપૂર્ણ | (શતક 15) ભગવતી શ્રુતદેવતાને નમસ્કાર. તે કાલે અને તે સમયે શ્રાવસ્તી નામે નગરી હતી. તે શ્રાવાસ્તી નગરીની ઉત્તર-પૂર્વ દિશાએ કોષ્ઠકચૈત્ય હતું. તે શ્રાવતી નગરીમાં આજીવિકા મતની ઉપાસિકા હલાહલ નામે કુંભારણ રહેતી હતી. તે ઋદ્ધિવાળી વાવતુ-કોઈથી પરાભવ ન પામે તેવી હતી. તેણે આજીવિકના સિદ્ધાંતનો અર્થ ગ્રહણ. કર્યો હતો, અર્થ પૂછયો હતો અને અર્થનો નિશ્ચય કર્યો હતો. તેના અસ્થિની મજ્જા પ્રેમ અને અનુરાગવડે રંગાએલી હતી. હે આયુમન ! આજીવિકાના સિદ્ધાંતપ અર્થ તેજ ખરો અર્થ છે અને તેજ પરમાર્થ છે, બાકી સર્વ અનર્થ'- એ પ્રમાણે તે આજીવિકાના સિદ્ધાંતવડે આત્માને ભાવિત કરતી વિહરતી હતી. તે કાલે અને તે સમયે ચોવીશવર્ષના દીક્ષાપત્યયવાળો પંખલિપુત્ર ગોશાલક હાલાહલા નામે કુંભારણના કુંભકારાપણમાં - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy